જીએસટીમાં 460 ઇન્સ્પેક્ટર્સની સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓએ હોબાળો મચાવી દીધો હતો. કમિશ્નર પી. ડી. વાઘેલાએ બદલી કરતાં તેમની સામે વિરોધ થયો હતો. દેખાવો યોજવામાં આવ્યા હતા. 3 વર્ષમાં બદલી કરી દેવી પડે છે. પણ પાંચ વર્ષથી પંદર વર્ષથી એક જ સ્થળે કામ કરતાં ભ્રષ્ટ અધિકારીઓએ વિરોધ કર્યો હતો. સ્થાપિત હિતો ઊભા થઈ જાય છે.
કેન્દ્રમાં ફાર્માસ્યૂટિકલ્સ અને કેમિકલ્સ વિભાગમાં જઈ રહેલા કમિશનર પી.ડી વાઘેલાએ જતાં પહેલા સોમવારે મોડી સાંજે 460 ઇન્સ્ક્પેક્ટર્સની બદલી કરી દીધી હતી.
રજૂઆત કરવા માટે તેઓ જીએસટી કમિશનર પી.ડી.વાઘેલાને મળી ન શકતા વહીવટી વિભાગના કમિશનર સમીર વકીલને તેઓ મળ્યા હતા.