જૂનાગઢ કુંભમાં રાજકીય કિન્નાખોરી, લોકસભામાં ભાજપ ફાયદો લેશે

જૂનાગઢના ભવનાથ મેળાને ગિરનાર શિવરાત્રી કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરી થી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં શિવરાત્રી કુંભમેળો યોજાશે.રોહિણી નક્ષત્રમાં  પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મીલાપ થશે.

૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨ વાગ્યે સંત નગર પ્રવેશ થશે.  જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરથી ભવનાથ જુના અખાડા સુધીની શોભાયાત્રા યોજાશે. ૨૭મી ફેબ્રુઆરીએ સવારે ૯ વાગ્યે શ્રીફળ અને શંખ આરતી દ્વારા મેળાનો શુભારંભ થશે.  આ પ્રસંગે ધ્વજારોહણ,  ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું પૂજન અને પ્રવેશદ્વારનુ નામકરણ કરાશે. સાંજે છ વાગ્યે ભવનાથ મંદિર પાછળ ઓપન એર થિયેટરમાં લેઝર શો નો આરંભ અને રાત્રે આઠ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

૨૮મી ફેબ્રુઆરી બપોરે ૩ વાગ્યે ગિરનાર રોપ વેના સાધનોની પ્રદર્શની યોજાશે. સાંજે ચાર વાગે ભૂતનાથથી ભવનાથ સુધી ડમરુ યાત્રા નીકળશે. રાત્રે આઠ વાગ્યાથી  શિવતાંડવ અને શિવ ઉપાસના પ્રસ્તુત કરશે.

ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં ૧લી માર્ચે સામાજીક સમરસતા વિષય પર પ્રમુખ સંતો સાથે ધર્મ સંમેલન યોજાશે.  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આ ધર્મ સંમેલન યોજાશે. ભારતના અને ગુજરાતના અનેક  પ્રમુખ સંતો-મહંતો આ ધર્મ સંમેલનમાં ભાગ લેવા ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં પધારશે. રાત્રે ૮ વાગ્યાથી આંતરરાષ્ટ્રીય ગાયક પદ્મશ્રી કૈલાશ ખેરનો કાર્યક્રમ યોજાશે.

૨ માર્ચે શનિવારે પ.પૂ. દીદીમાં સાધ્વી ઋતંભરાજીની અધ્યક્ષતામાં નારી શક્તિ વિષય પર પ્રમુખ સંતો સાથે ધર્મસંમેલન યોજાશે.  જૂનાગઢના ભવનાથ ખાતે પ્રકૃતિધામમાં બપોરે ૩ વાગ્યાથી યોજાનારા આ ધર્મ સંમેલનમાં યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.  સાંજે ૬.૩૦ વાગ્યે લેસર શો અને રાત્રે ૮ વાગ્યાથી ભજન ને લોક ડાયરો યોજાશે.

૩જી માર્ચને રવિવારે લોકલાડીલા રામ કથાકાર પ.પૂ. સંત શ્રી મોરારી બાપુ અને શારદાપીઠ દ્વારકાના પ.પૂ. દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં  વ્યસન મુક્તિ વિષય પર ભારતના પ્રમુખ સંતો સાથે ધર્મ  સંમેલન યોજાશે. પ્રકૃતિધામ, ભવનાથ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી યોજાનારા આ ધર્મ સંમેલનમાં ભાજપના જ નેતાઓ હાજર રહેશે. પણ કોંગ્રેસના કે બીજા પક્ષના એક પણ નેતાઓને કે સામાજિક નેતાઓને આમંત્રણ આપ્યું નથી. આપ સંતોની હાજરીમાં ભાજપ સરકાર પક્ષા પક્ષી રાખવામાં આવી છે.

સાંજે ૭ વાગ્યે  દામોદર કુંડ ખાતે  મહા આરતી યોજાશે.  રાત્રે આઠ વાગ્યાથી લોકસાહિત્યના  મર્મજ્ઞ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અલભ્ય આરાધક બિરજુ બારોટ તથા કોકિલ કંઠી ગીતાબેન રબારીનો લોકડાયરો યોજાશે.

ગિરનાર શિવરાત્રી કુંભ મેળા દરમ્યાન સાધુ સંતોની દિવ્ય રવાડી તા. ૪થી માર્ચે, સોમવારે યોજાશે.  સાધુઓના આસન, યોગ, કરતબ, હાથી-ઘોડા, બેન્ડવાજા, અંબાડી સાથેની રવાડી પર ડ્રોનથી પુષ્પવર્ષા થશે. રાત્રે ૧૦થી ૧૨.૦૦ દરમિયાન સાધુ-સંતોની રવાડી અને  શાહીસ્નાન યોજાશે.

રાજ્ય સરકારે ગિરનાર શિવરાત્રી કુંભ મેળાના વિશેષ આયોજન માટે રૂ. ૧૫ કરોડનું ખર્ચ છે.  સમગ્ર આયોજન સુપ્રસિદ્ધ સંતો-મહંતોના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢના સહયોગથી કર્યું છે. નાગરિકોને આ દિવ્ય-ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા રાજ્ય સરકારે નાગરિકોને આમંત્રણ પાઠવ્યું છે. પણ રાજકીય કિન્નાખોરી ભાજપના નેતાઓ રાખીને રાજ્યના નાણાનો લાભ ભાજપના નેતાઓ ઉઠાવવામાં આવે છે. લોકસભાની ચૂંટણી હોવાથી તેનો સીધો ફાયદો કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદીની સરકારને થશે.

ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાનને બોલાવવામાં આવ્યા છે પણ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનને કે બીજા રાજ્યોના મુખ્ય પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.