ઝૂંપડપટ્ટીના જમીન બદલા કૌભાંડથી બનતી 22 માળની ગગનચૂંબી ઈમાતરો

કે ન્યુઝ, અમદાવાદ,તા:18

ગુજરાત સરકારે ઝૂંપ઼પટ્ટીના સ્થાને નવા મકાનો બનાવીને ગરીબ લોકોને તે જ સ્થળે આપવાની યોજના બનાવી છે. જેમાં રાજ્ય વ્યાપી કૌભાડ શરૂં થયા છે. જે સ્થળે ઝૂંપડા હોય તે જ સ્થળે તેને પાકા મકાન આપવાના બદલે શહેર બહાર ધકેલી દેવામાં આવી રહ્યાં છે.

ઝૂંપડની જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. બિલ્ડરો તે સ્થાને મોંઘા મકાનો બનાવીને લાખો રૂપિયાના ફ્લેટ વેચી રહ્યાં છે.

ઝૂંપડાની જમીન પર બિલ્ડરોને વધારાની એખએસ આઈ આપવી એવો નિયમ છે. જેનો ભરપૂર લાભ બિલ્ડરોને આપવા માટે અમદાવાદ શહેર સત્તાવાળાઓએ પ્લાન બનાવી રાખ્યો છે. બિલ્ડરો એસ જી હાઈવે કે જ્યાં જમીન 3થી 5 લાખ મીટરના ભાવે વેચાય છે તે જમીન પર વધારાની એફઆસઆઈ મેળવવા માટે કામ કરી રહ્યાં છે.

મોંઘી જમીન પર બહુમાળી ઈમારત બનાવીને બિલ્ડરો મોટો નફો કમાઈ શકે એવું કાવતરૂં આકાર પામી રહ્યું છે.

ઝૂંપડાના ગરીબ લોકોના નામે વધારાની એફએસઆઈ મેળવીને 22 માળના મકાનો બનાવવા માટે બિલ્ડર લોબી તૈયાર બેઠી છે. કેટલાંક બિલ્ડીગો બની ગયા છે.

અમદાવાદ શહેરમાં 691 ઝૂંપડપટ્ટીમાં 2 લાખ લોકો રહેવા મજબૂર છે. શહેરમાં વીસ ટકા વિસ્તારમાં સુધી હજુ પાણીનુ નેટવર્ક પહોંચ્યુ નથી, તેમાં આ ઝૂંપડપટ્ટી છે. કાચા મકાનોમાં રહેતાં અને ઝુંપડામાં રહેતા લોકો મળીને 25 ટકા એટલે કે 15 લાખ લોકોને નવા મકાનો અમદાવાદ મહાનગર પાલિકા 6 વર્ષમાં આપશે.

શહેરમાં 1.65 લાખ કાચા મકાનો છે. જેમાં 12 લાખ લોકો વસે છે. સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પ્રોજેકટો મંજુર કરાય છે છતાં શહેરમાં વીસ ટકા વિસ્તારમાં અમપા પાણી આપી શકાતું નથી.  શહેરના 65 ટકા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી.

શહેરને ઝીરો સ્લમ સીટી તરીકે ડેવલપ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2019-20થી શરૂ કરીને 2025 સુધીમાં અમદાવાદને ઝૂંપડપટ્ટી મુક્ત શહેર જાહેર કરવાનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાનગી, ગુજરાત સરકારની જમીન પર ચાલીઓ, ઝુંપડપટ્ટીઓ તથા સ્લમ કવાર્ટસ જેવા જૂના પુરાણાં મકાનોની જગ્યાએ નવા બહુમાળી મકાનો બનાવવાની નીતિ તૈયાર કરવામાં આવશે. બિલ્ડરોને આ જગ્યાએ એફએસઆઇનો લાભ મળશે.

અમદાવાદ શહેરની આશરે 25થી 30 ટકા વસ્તી ચાલીઓ, સ્લમ કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે. તેથી આ તમામ રહીશોને નવા મકાનો, આવાસ યોજનાઓ, એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમ સહિતની યોજનામાં આવાસ ફાળવણી કરવા નક્કી કરાયું છે.

25 ટકા વસતી એટલે કે 15 લાખ લોકોને નવા ઘર બિલ્ડરો આપશે. તેની સામે મેયર બિજલ પટેલ જમીન આપશે અને જમીનના વધારાના હક્કો આપશે.

માણસ ઝુંપડપટ્ટીમાંથી ફ્લૅટમાં રહેવા જાય તે સાથે જ તેનું જીવનધોરણ બદલાય છે. રાજ્ય સરકાર 6 લાખથી વધુ આવક ન હોય તેવા લોકોને મકાન બનાવવા માટે રૂ.3.5 લાખની સહાય આપે છે.

સરકાર આવતા 3 વર્ષમાં રાજ્યમાં દરેક ઘરને “નલ સે જલ” નળથી પાણી આપવાની છે. પણ અમદાવાદમાં આપી શકાય તેમ નથી.  

35 ઝૂંપડપટ્ટીમાં 10 હજાર પાકા મકાનો ન બન્યા

1 જૂન 2018માં  શહેરના પૂર્વ વિસ્તારના 21 ઝુંપડ પટ્ટી તથા પશ્ચિમ વિસ્તારના 14 ઝૂંપડપટ્ટીને પસંદ કરી ડિનોટિફાઇવ કરીને સલાહકાર રિ-ડેવલપમેન્ટની ડિઝાઇન પણ તૈયાર કરી હતી. તે માટે રૂ.1 હજાર કરોડના ઠેકાઓ બહાર પાડવાના હતા. હજુ સુધી મેયર બિજલ પટેલ બહાર પાડી શક્યા નથી. 6 લાખ ચોરસ મીટરની જગ્યાની આ 35 ઝુંપડ પટ્ટી તોડી 10 હજાર કુટુંબોને પાકુ ઘર આપવા અંગે ભાજપના સત્તાધિશોને કંઈ થયું નથી.

રાજ્ય સરકારે સ્લમ રિ-ડેવલપમેન્ટ પોલીસી 2010 બનાવી હતી. બિલ્ડરોને ફાયદો કરાવવા નવી નીતિ બનાવી હતી.

80 ટકા ઝુંપડાવાસીઓ તૈયાર થાય તો તેના સ્થાને નવા મકાનો બનાવી આપવાનું નક્કી કરાયું હતું.

લોકો વિરોધ કરી રહ્યાં છે. તેથી હવે આ નીતિ બિલ્ડરની તરફેણમાં અને લોક વિરોધી બની ગઈ હોવાનું ચિત્ર ઊભું થયું છે. તેથી ઝૂંપડ પટ્ટી તોડી શકાતી નથી.

આવી 5 મોટી સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમોમાં સ્થાનિકોનો ભારે વિરોધ છે જેથી અમલવારી અટકેલી પડી છે. ઝુંપડપટ્ટીઓના સ્થાને અન્ય સ્થળોએ આ યોજના મૂકવામાં આવી રહી છે. શહેર સત્તાવાળાઓ ઝુંપડા વાસીઓની મંજૂરી લેતા નથી. તેથી આમ થઈ રહ્યું છે.

સ્લમ રિબેબીલીટીશન કમિટીમાં શહેરની 26 ઝુંપડપટ્ટીને ડિનોટિફાઇડ કરવાની પ્રક્રિયા શરૂ કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી અને કન્સલટન્ટ દ્વારા તમામ સ્લમ રિ-ડેવલપમેન્ટ સ્કીમોની ડિઝાઇન તૈયાર કરવાનું કામ પણ સોંપી દેવાયું હતું. પણ કામ આગળ વધતું નથી. વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કેટલાય સ્લમમાં રિ-ડેવલપમેન્ટનું કામ થઇ શકતું નથી. શહેરના સત્તાવાળાઓ જૂની પદ્ધતિથી કામ કરી રહ્યા છે.

૬૯૧ સ્લમ પોકેટમાંથી ૧૦૫ની પસંદગી

મ્યુનિ.એ ૧ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ નોંધાયેલા હોય તેવા સ્લમ વિસ્તારોમાં સરવે કર્યો હતો જેમાં શહેરના ૬૯૧ સ્લમ પોકેટનો સરવે થયો હતો જેમાં ૧૦૫ સ્લમ પોકેટને રિ-ડેવલપમેન્ટમાં અગ્રતાક્રમ મુજબ મુકવામાં આવ્યા હતા પણ મ્યુનિ.એ જ્યારે સ્લમ રિ-ડેવલપમેન્ટની શરૂઆત કરી તો પહેલી ૧૧ સ્કીમોમાં ચાર સ્કીમો એવી આવરી લીધી હતી જે અગ્રતા ક્રમના લીસ્ટમાં હતી નહીં. હાલમાં પણ આ રીતે આડેધડ પસંદગી કરી સ્લમ રિ-ડેવલપમેન્ટ થઇ રહ્યાં છે. માત્રને માત્ર બિલ્ડર પસંદગી ઉતારે તેવા સ્લમ રિ-ડેવલપમેન્ટમાં અગ્રતા અપાઇ રહી હોવાનું જાણવા મળે છે.

સરકારને વર્ષે વેરા પેટે રૂ.50 હજાર કરોડ કમાવી આપતા અને વર્ષે 8 હજાર કરોડ અમદાવાદ મહાનગર પાલિકા લોકો પાછળ ખર્ચતા શહેરમાં 65 લાખની વસતી ધરાવતાં મેટ્રો સિટીમાં 1466 ચોરસ કીલોમીટરના શહેરમાં 48 વોર્ડમાં 192 કોર્પોરેટર છે.