પ્રશાંત પંડીત,તા:18
અમદાવાદ શહેરને મેગાસિટીનો દરજ્જા અને સ્માર્ટસિટી તેમજ હેરીટેજ સિટીનો દરજ્જા અપાયો છે.પરંતુ આ રૂપાળા લાગતા ટેગની પાછળ દિવા તળે અંધારુ જેવો ઘાટ છે.આજે અમદાવાદ શહેરની વસ્તી ૬૫ લાખ અને બજેટ રૂપિયા આઠ હજાર કરોડના આંકડાને પાર કરી ગયુ છે.કમનસીબી એ છે કે,અમદાવાદ શહેરમાં આજે પણ ૬૯૧ જેટલા સ્લમ પોકેટોમાં બે લાખ લોકો વસવાટ કરે છે.શહેરમાં વીસ ટકા વિસ્તાર સુધી હજુ પાણીનુ નેટવર્ક પહોંચ્યુ નથી.
વર્ષ-૧૯૫૦માં સરદાર વલ્લભભાઈ પટેલ જે સમયે અમદાવાદ નગર પાલિકાનુ નેતૃત્વ સંભાળતા હતા એ સમયે અમદાવાદ શહેરનું કુલ ક્ષેત્રફળ બાવન ચોરસ કીલોમીટર હતુ.૧૫ વોર્ડમાં કુલ ૬૪ નગરસેવકો હતા.આજે ૪૬૬ ચોરસ કીલોમીટર ક્ષેત્રફળ છે.૪૮ વોર્ડમાં કુલ ૧૯૨ કોર્પોરેટર છે.સમગ્ર અમદાવાદ શહેરના વિકાસકામોને જે સ્થળથી મંજુરી આપવામાં આવે છે એ અમદાવાદ મહાનગર પાલિકાનું કુલ વાર્ષિક બજેટ રૂપિયા આઠ હજાર કરોડથી પણ વધુનુ થયુ છે.
વિકાસની મોટી-મોટી જાહેરાતોની વચ્ચે અમદાવાદ શહેરના સાત ઝોનમાં કુલ મળીને ૬૯૧ જેટલા સ્લમ પોકેટો આવેલા છે.જેમાં બે લાખ લોકો સુધી હજુ આજે પણ પાયાની સુવિધા અમપા પહોંચાડી શકી નથી.અમદાવાદ શહેરમાં કુલ મળીને ૧,૬૨,૭૪૯ જેટલા કાચા મકાનો આવેલા છે.અમદાવાદ શહેરમાં સાત ઝોનમાં વસ્તીના ધોરણે જાવામાં આવે તો કુલ ૪૮ જેટલા ફાયર સ્ટેશનની જરૂર છે.જે સામે હાલ માત્ર ૧૬ ફાયર સ્ટેશનો જ કાર્યરત છે.અમદાવાદ શહેરના સાત ઝોનમાં કુલ મળીને ૨૪૭ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમો આવેલી છે.
આ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી મળ્યાને વર્ષો વીતી ગયા બાદ આજે ઘણી એવી ટીપી સ્કીમો છે જયાં રસ્તાથી લઈને અર્બન હેલ્થ સેન્ટર સુધીની સગવડો અમપા વહીવટીતંત્ર પુરી પાડી શકયુ નથી.વર્ષ-૧૯૫૦થી જ અમદાવાદ શહેરને સરદાર વલ્લભભાઈની દુરંદેશી દ્રષ્ટીના કારણે મહાનગર પાલિકાનો દરજ્જા મેળવવામાં સફળતા મળી હતી.
કમનસીબે આજના રાજકારણીઓ પોતાની સત્તા લાલસાને પોષવા અમદાવાદ શહેરની હદમાં નવા નવા વિસ્તારો ઉમેરતા જાય છે પણ ખુબ ચોંકાવનારુ તથ્ય એ છે કે,સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના પ્રોજેકટો મંજુર કરાય છે છતાં શહેરમાં વીસ ટકા વિસ્તારમાં અમપા પાણીનુ નેટવર્ક સ્થાપી શકયુ નથી.
અમપાના કુલ ૭૨ વિભાગો વિકાસની સાથે..
કક્ષા સ્ટાફ
વર્ગ–૧ ૨૪૬
વર્ગ-૨ ૩૯૦
વર્ગ-૩ ૫૨૮૩
વર્ગ-૪ ૧૯૮૯૦
અમદાવાદમાં ૪૫ પુસ્તકાલયો,નવ કાયમી બંધ..
અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિમાં કુલ મળીને ૪૫ જેટલા પુસ્તકાલયો આવેલા છે.જે પૈકી ૩૬માં સુવિધાઓનો અભાવ છે.જયારે નવ કાયમી બંધ હાલતમાં છે.
મા.જે.પુસ્તકાલયની થતી ઉપેક્ષા..
અમદાવાદ શહેરના એલિસબ્રિજ પાસે આવેલુ અમપા સંચાલિત મા.જે.પુસ્તકાલય એની સ્થાપનાના ૭૫ થી પણ વધુ વર્ષ પુરા કરી ચુકયુ છે.આમ છતાં ખુદ શાસકો દ્વારા જ આ પુસ્તકાલયની ઉપેક્ષા કરાઈ રહી છે.ગ્રંથપાલ બિપીન મોદીને પુસ્તકાલયની ફી વિશે પુછતા તેમણે કહ્યુ,પુસ્તકાલયમાં અને મોબાઈલ પુસ્તકાલયમાં બંનેમાં એકસરખી વાર્ષિક પાંચસો રૂપિયા ફી ડીપોઝીટ સાથે રાખવામાં આવી છે.હાલ આ પુસ્તકાલયમાં અગાઉના વર્ષોમાં કરાતી કવિ સંમેલન સહીતની અન્ય સાહીÂત્યક પ્રવૃત્તિ ઉપર શાસકોએ બજેટનો અભાવ હોવાના બહાને રોક લગાવી દેતા કાયમી વાંચકોની સંખ્યા બે હજાર જેટલી રહેવા પામી છે.
૬૫ ટકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી..
આઠ હજાર કરોડથી પણ વધુના વાર્ષિક બજેટ છતાં શહેરના ૬૫ ટકા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને મામલે ગત માસે મળેલી અમપાની સામાન્ય માસિક બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ઉગ્ર રજુઆત કરી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પાસે જવાબ માંગવામાં આવ્યો હતો.પરંતુ કમિશનરે મને રૂબરૂ મળજા કહી આ ગંભીર બાબતનો જવાબ આપવાનુ ટાળ્યુ