સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે રહેતા એક પરીવારના મોભીએ પોતાના બાપદાદાની જમીન રીગાન્ટ કરવા માટે કોર્ટ કચેરીના ધકકા ખાવા છતાં તેમાં સફળતા ન મળી હોવાનો આક્ષેપ કરીને ઉપવાસ પર ઉતરવાની ચિમકી આપી તે અંગે ગુરૂવારે જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.
આ રજુઆતમાં તલોદના બળવંતભાઈ મોહનભાઈ વણકરે કરેલા આક્ષેપ મુજબ તેમના બાપદાદાની તલોદમાં આવેલ સર્વે નં. ૧૯૯/અ ની જમીન ગમે તે કારણોસર રીગ્રાન્ટ કરવા માટે હાઈકોર્ટ તથા સંલગ્ન વિભાગની કચેરીઓમાં આધાર પુરાવા સાથે રજુઆત કરી હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી. હાઈકોર્ટ આ જમીન રીગ્રાન્ટ કરવા માટે કરેલા આદેશનું પાલન ન થતુ હોવાનું જણાવીને આખરે તેમણે ન્યાય મેળવવા માટે ઉપવાસ પર બેસવાનું નક્કી કર્યું છે અને તે અંગે ગુરૂવારે જીલ્લા કલેકટરને લેખિત જાણ કરીને તમામ જવાબદારી સરકારને માથે થોપી દીધી છે
ગુજરાતી
English




