તલોદમાં રેલવે નાળાના કેબલ ખુલ્લા રહેતાં રોષ

તલોદ, તા.૦૩

તલોદ – મહિયલ વચ્ચે બનાવવામાં આવેલ નાળામાં રેલ્વેના કેબલ જમીનમાં નાખવામાં આવ્યા હતા. જે હાલમાં ખુલ્લા હોવાથી પ્રજાજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે લાઈન શરૂ કરવામાં આવી છતાં તંત્ર દ્વારા આ કેબલ જમીનમાં નાખ્યા નથી અને બહાર ખુલ્લા પડ્યા છે. આવવા જવાનો રસ્તો પણ બંધ છે અને પ્રજાજનોને આસપાસ જવામાં પણ ડર લાગી રહ્યો છે. તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ કેબલનું જમીનમાં નાખી નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.