આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા – AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે.
તાપી-નર્મદા લિંક યોજના છે શું ?
ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની ક્ષમતા અને મજબુતાઈ વધારીને તમામ બંધને એક બીજા સાથે જોડવામાં આવશે. વળી, નર્મદા બંધને તાપી (ઉકાઈ) બંધ સાથે નહેર દ્વારા જોડવાની યોજનાનું નામ “તાપી-નર્મદા લિંક યોજના”.
ચોમાસામાં વરસાદથી નર્મદા અને ઉકઈ ડેમ ભરાઈ ગયા બાદ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે તેનો સંગ્રહ એક બીજા બંધમાં નહેર દ્વારા પાણી પહોંચાડીને ભરવામાં આવશે. ગુજરાતના બંધ ભરાય ગયા બાદ વધતુ પાણી મહારાષ્ટ્રને આપવામાં આવશે.
10 હજાર હેક્ટર જમીન આદિવાસીઓ પાસેથી ખૂંચવી લેવાશે
પાર તાપી-નર્મદા લિંક યોજનામાં કુલ 10,559.70 હેક્ટર જમીન આદિવાસીઓ પાસેથી સરકાર સંપાદિત કરીને આંચકી લેવાની છે. જેમાં 4,439.40 હેક્ટર જંગલની જમીન સંપાદિત થશે. પરંતુ અહી અગત્યની વાત તે છે કે 4 હજાર હેક્ટર જંગલની જમીન પાર તાપી-નર્મદા લિંક યોજનામાં સંપાદિત કરવાની હોય ત્યારે પર્યાવરણવાદી કે વન્યજીવોની રક્ષાના નામે કોર્પોરેટની દલાલી કરનારો વર્ગ મૌન છે. પાર તાપી-નર્મદા લિંક યોજનામાં ખેડૂતોની 5152 હેક્ટર જમીન સંપાદિત થવાની છે. 967.80 હેક્ટર સરકારી જમીન સંપાદિત થવાની છે.
288 ગામો પ્રભાવિત થશે
વલસાડ , તાપી, નવસારી, સુરત, નર્મદા, વડોદરા તેમડ ડાંગના કુલ 288 ગામો પાર તાપી-નર્મદા લિંક યોજનામાં અસરગ્રસ્ત થવાના છે.
પ્રજાના નાણા વેચફાશે
તાપી-નર્મદા લિંક યોજનામાં વેડફાવનારા પ્રજાના ટેક્સનાં નાણાંથી રાજકીય પક્ષના તેમજ કોર્પોરેટ ક્ષેત્રના દલાલો મોટા પાયે ટકાવારી મોળવવાની આશાયે યોજનાના લાભો ગણાવશે. ટીવી અને અખબારો પૈસા લઈને જાહેરાતો આપશે. પ્નેરજા માની લેશે કે આ યોજનાતો અદભૂત છે. પણ સરવાળે જે રીતે નર્મદા, સૌની, સુજલામ સુફલામ અને કલ્પસર નિષ્ફળ ગઈ છે તે રીતે તાપી-નર્મદા લીંક યોજના પણ નિષ્ફળ જવાની છે. કારણ કે બંધો છલકાતા બંધ થઈ ગયા છે તો વધારાનું પાણી લાવશો ક્યાંથી ? આ તમામ યોજના માટે રૂ.1.25 લાખ કરોડવો ખર્ચ સરકાર કરી ચૂકી છે. હવે તાપી-નર્મદા લીંક યોજનામાં બીજા રૂ.25થી 30 હજાર કરોજ ખર્ચી નાંખશે. જેનું કોઈ આર્થિક કે સામાજિક વળતર મળવાનું નથી.
ખોખલી યોજના
યોજનાનો હેતુ અને વાસ્તવિક્તા તદ્દન વિપરિત જણાય છે. યોજના તો સારી અને રૂપાલી લાગે પણ તે ભયાનક એટલા માટે છે કે, હવે નદીઓમાં પાણી જ નથી તો તે પાણીથી બંધો કઈ રીતે ભરાશે. સુકી નદીઓ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે થયેલા જળ-વાયુ પરિવર્તનોના કારણે નર્મદા સહિતના બંધોમાં ઓછું પાણી આવે છે. તેથી લીંક યોજનામાં પાણી જ બચતું નથી.
મૃગજળ યોજના
સમગ્ર યોજનાથી હજારો આદિવાસી પરિવારોની પેઢીઓ આ મુસિબતથી નુકશાનીનો સામનો કરશે. ગુલાબી યોજનાના આંકડા અને મ્રુગજળ સમાન સ્વપ્નો બતાવી આદિવાસીઓની જમીનો આંચકી લેવાની આવી યોજનાઓએ સતત આદિવાસી સમાજ ઉપર પ્રહાર કર્યા જ છે. માટે આદિવાસી કિશાન સંઘર્ષ મોર્ચા સમગ્ર યોજનાની વાસ્તવિક્તા અને વિગતો જાહેર કરે છે.
અગાઉના કડવા અનુભવો
ગુજરાતના મોટા બંધ આદિવાસી વિસ્તારમાં બન્યા છે. તે વિસ્તારની પ્રજાને તો સિંચાઈ કે પીવાનું પાણી આજે મળતું નથી. આદિવાસીઓએ નર્મદા કે ઉકાઈ બંધના નામે મહાભયંકર બરબાદી વ્હોરી છે. બંધો બનતાં સૌથી વધું ભોગ આદિવાસઓએ આપ્યો છે. તેમ છતાં આદિવાસી વિસ્તારો 2019માં પાણી વગર તરસ્યા છે. આદિવાસીઓના હક્કનું પાણી સુરત, અમદાવાદ, રાજકોટ, ભૂજ અને દ્વારકાના લોકો પીવે છે. પણ આદિવાસીઓને પિવાનું પાણી મળતું નથી.
અગાઉ 10 યોજનાના માઠા પરિણામો
ફરી એક આવી જ ભયાનક યોજના બની રહી છે જેમાં આદિવાસીઓની જમીન મોટા પ્રમાણમાં જાય છે, આદિવાસઓ અગાઉ 10 યોજનાઓમાં વિસ્થાપીત થઈને પોતાની જમીન પરથી મૂળ સાથે ઉખડી ગયા હતા. હવે ફરી એક વખત તેઓ મૂળ સાથે ઉખડવાના છે. જેમાં આદિવાસીઓને અગાઉના અનુભવ પ્રમાણે પાણીતો મળવાનું નથી.
આમ બંધોએ આદિવાસી જાતિ માટે જોખમ ઊભા કરી દીધા છે.
નર્મદા બંધ અને નર્મદા નહેરને ગુજરાતની પ્રજા પવિત્ર માનતી આવી હતી. પણ જે રીતે નર્મદા નહેરો બનાવવામાં ભાજપના સમયમાં ભ્રષ્ટાચાર થયા છે અને ગુણવત્તા હલકી નિકળી છે તથા આઝ સુધી 250 સ્થળે નર્મદા નહેરો ફાટી છે અને સાબરકાંઠામાં તો 2017માં નહેર ફાટતા તબાહી સર્જાઈ છે. જેમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો છે. કેગ દ્વારા આવા કરોડો રૂપિયાના ભ્રષ્ટાર શોધી કાઢવામાં આવ્યા છે. નર્મદાના નામે વધું એક યોજના મૂકીને ભ્રષ્ટાચાર થવાનો છે. અગાઉ નર્મદાના નામે સુજલામ સુફલામ અને સૌની યોજના મૂકી છે તે પણ નિષ્ફળ થઈ છે. સૌની યોજના પણ લીંક યોજના છે અને તેમાં નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવાની હતી. આજે ત્યાં એક હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થતી નથી. તેથી તાપી-પાર લીંક યોજના પણ રાજકીય બની જશે, તેનાથી મત મેળવાશે અને સરવાળે નિષ્ફળ જશે.
10 લાખ આદિવાસીઓને વન માંથી કાઢવાનું કાવતરું
પર્યાવરણ અને વન્ય જીવોના નામે 10 લાખ આદિવાસીઓને જંગલોમાંથી હાંકી કાઢવાના નામે સુપ્રિમમાં ગયેલા કોર્પોરેટ દાલાલોની સંસ્થાઓ એ આદિવાસીઓથી જંગલોમાંથી હટાવવા આદેશ કર્યા છે.
અપીલ
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા સમગ્ર યોજના બાબતે સરકાર પુન: વિચાર કરે તેવી માંગણી કરી છે. લોક જાગૃત્તિ શરૂં કરીને આદિવાસી પરિવારોને એક રહેવા અપીલ કરી છે. આદિવાસી સમાજને કોઈ પણ પ્રકારે અન્યાયના થાય તેની લડત ચાલશે. તમામ અસરગ્રસ્ત ગામોમાં મુલાકાત કરી આગળ વધશે. મોટા પાયે સર્જાય શકે તેવી હોનારતને અટકાવવા ના ભાગ રુપે તૈયારી શરૂં કરી છે. આદિવાસી ના જ ભોગે વિકાસ ની નિતિ નો AKSM સખત વિરોધ કરે છે. રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીમાં અફવા ફેલાવી હતી કે આ યોજના થવાની નથી.
તેમ AKSM-અધ્યક્ષ રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું.