તાલાલાના ધારાસભ્યની ખાલી જગ્યાની ચૂંટણીમાં પંચ આફતમાં

તાલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડને ખનીજ ચોરી કૌંભાડમાં થયેલી સજાના પગલે તેમને બરતરફ કરીને તે બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવતાં ગુજરાત વડી અદાલતે રાજ્યના ચૂંટણી તંત્રની ઝાટકણી કાઢી છે. ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી રીટ અરજી પરની આજની સુનાવણી બાદ  કેટલાંક મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળતું હતું. તેથી સોંગદનામું 26મી માર્ચના રોજ કરવાનો ચૂંટણી પંચને હુક્મ કર્યો હતો.

ચૂંટણી પંચે કહ્યું હતું કે, વિધાનસભાના સ્પીકરના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ ચૂંટણી પંચનું નથી. લોકસભાની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી થઈ જાય તે માટે બંને ચૂંટણીનું જાહેરનાનું સાથે જ બહાર પાડવામાં આવ્યું હતું. હાઇકોર્ટ ચૂંટણી પંચના આ જવાબથી સંતુષ્ટ થઈ ન હતી.

ભગવાન બારડને વેરાવળ કોર્ટે ગેરકાયદેસર લાઇમસ્ટોનના ખનન મામલે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી. સજાનો ચુકાદાના 5 દિવસ બાદ સ્પીકરે બારડને ધારાસભ્ય પદ પરથી બરતરફ કરી દીધા હતા. આ બન્ને નિર્ણયોને રદ કરવા બારડે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાને સજા થઇ હોવા છતાં આજદીન સુધી તેમના વિરુદ્ધ પગલાં લેવાયા નથી. રાજકીય અદાવત રાખીને પગલાં લેવાયા છે. સજાના હુક્મ સામે સેશન્સ કોર્ટે મનાઇહુક્મ આપ્યો હતો. છતાં પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી.

ભગવાન બારડને વેરાવળ કોર્ટે ગેરકાયદેસર લાઇમસ્ટોનના ખનન મામલે 2 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી હતી. સજાનો ચુકાદાના 5 દિવસ બાદ ભાજપના નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે બારડને ધારાસભ્ય પદ પરથી સાંભળ્યા બગર બરતરફ કરી દીધા હતા. તાલાલામાં ખાલી પડેલી બેઠક પર પેટાચુંટણીની જાહેરાત કરી દીધી હતી. આ બન્ને નિર્ણયોને રદ કરવા બારડે વડી અદાલતમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાને સજા થઇ હોવા છતાં આજદીન સુધી તેમના વિરુધ્ધ પગલાં લેવાયા નથી. કોંગ્રેસના ધારાસભ્યને રાજકીય અદાવત રાખીને પગલાં લેવાયા છે. સરકાર ઇચ્છે તો જાહેર રજાના દિવસે પણ તંત્રનો ઉપયોગ કરે છે. સજાના હુક્મ સામે સેશન્સ કોર્ટે મનાઇહુક્મ આપ્યો હતો. છતાં પેટાચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી.

અધ્યક્ષ તરફથી કોઇ સૂચના આપવામાં આવી ન હતી, માત્ર ચૂંટણી પંચને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ હાઇકોર્ટે કેટલાંક મુદ્દાઓ અંગે ચૂંટણી પંચ સમક્ષ સ્પષ્ટતા માંગી હતી.