થરાદમાં ખુલ્લી ગટરોના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી

થરાદ, તા.૧૫

થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ખુલ્લી ગટરોના ગંદાં પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મહિલાઓમાં ભારોભાર રોષ છે. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સોસાયટીના રહેણાંક મકાનો સામે પાણી રેલાઈ રહ્યું હોવાથી આ બાબતે રહીશો દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રહીશોએ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની ચીમકી આપી છે. જેને લઈ તંત્રમાં દોડધામ મચી છે.