દાંતામાં પાંચ, મહેમદાવાદ, વઘઈ અને શેહરામાં પાંચ ઈંચથી વધુ વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉતર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૦-૦૭-૨૦૧૮ને સવારે ૭ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ધનસુરા તાલુકામાં ૧૨૦ મી.મી., ભીલોડામાં ૧૧૫ મી.મી., ખેરગામ-સતલાસણામાં ૧૧૨ મી.મી., ખંભાતમાં ૧૦૯ મી.મી., વાંસદામાં ૧૦૫ મી.મી. અને વલસાડમાં ૧૦૧ મી.મી., ડાંગમાં ૯૯ મી.મી. મળી કુલ આઠ તાલુકામાંઓમાં ચાર ઈંચથી વધુ અને આણંદ-વડોદરા તાલુકામાં ૯૭ મી.મી., અમીરગઢમાં ૮૮ મી.મી., ખેડબ્રહ્મામાં ૮૬ મી.મી., બોરસદમાં ૮૧ મી.મી., પેટલાદ-ગોધરામાં ૮૦ મી.મી., ધરમપુરમાં ૭૬ મી.મી., મેઘરજમાં ૭૫ મી.મી., વિજયનગરમાં ૭૪ મી.મી., બાયડમાં ૭૩ મી.મી., મોડાસા-ખાનપુરમાં ૭૨ મી.મી. મળી કુલ ૧૩ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઈડર તાલુકામાં ૬૯ મી.મી., ધોલેરામાં ૬૭ મી.મી., ચીખલી-પારડીમાં ૬૫ મી.મી., આંકલાવ-કપરાડામાં ૬૩ મી.મી., વડાલી-તારાપુરમાં ૬૨ મી.મી., બેચરાજી-માલપુરમાં ૬૧ મી.મી., છોટાઉદેપુર-દેવગઢ બારીયામાં ૬૦ મી.મી., ખેરાલુ-બાવળામાં ૫૮ મી.મી., મોરવાહડફ- વીરપુરમાં ૫૫ મી.મી., બાલાશિનોરમાં ૫૩ મી.મી., વડગામમાં ૫૨ મી.મી., પાલનપુર-ગણદેવીમાં ૫૦ મી.મી., કપડવંજમાં ૪૯ મી.મી.

મળી કુલ ૨૦ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જયારે અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

દરમિયાન સવારે ૮ કલાકથી ૧૦ કલાક દરમિયાન સતલાસણા તાલુકામાં ૫૬ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ સહિત, ખેરગામ, વાંસદા, ધરમપુર, પાટડી, ફતેપુરા, વઘઈ, માંડવી, અમીરગઢ, કપરાડા, વલસાડ, દાહોદ, ઝાલોદ મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજયના ૧૮ જળાશયો હાઇ એલર્ટ પર : ૧૧ જળાશયો માટે એલર્ટ

હાલમાં ૨૨ જળાશયોમાં રોજની ૧૦૦૦ કયુસેકથી વધુ પાણીની આવક :

કુલ ૨૦૩ જળાશયોમાં પાણીનો જથ્થો ૩૨.૯૪ ટકા

રાજ્યના જળ સંપત્તિ વિભાગના જણાવ્યા મુજબ આજે તા.૨૦-07-૨૦૧૮ના રોજ સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૮ જળાશયો હાઇએલર્ટ, ૧૧ જળાશયો એલર્ટ તેમજ ૯ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી અને જૂનાગઢનું અંબાજલ એમ કુલ ૧૮ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજયના કુલ ૧૧ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૯૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૭.૦૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૦.૦૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૭ એમ રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૨.૯૪ ટકા એટલે ૧,૮૩,૩૧૧ મીટર ઘન ફૂટ છે.

રાજયના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૨૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૦ જળાશયો ૨૫ થી ૫૦ ટકા તેમજ ૯૦ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.

સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૨,૭૫૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૭૪ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૧,૮૩,૩૧૧ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૨.૯૪ ટકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સરદાર સરોવર, દમણગંગા, પાનમ, ધરોઈ, ઉકાઈ, સસોઈ, સુખી, વણાકબોરી, દાંતીવાડા, ઓઝત-વિઅર (વંથલી), કડાણા, કેલીયા, હીરણ-૨, પુના, આજી-૨, ઓઝત-વિઅર, ઝુજ, કરાડ, મેશ્વો, શિંગોડા, રાવલ અને રોજકી એમ કુલ ૨૨ જળાશયયોમાં દૈનિક ૧૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક થઈ રહી છે તેમ વધુમાં જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.