દાહોદમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ જોડિયા બાળકનું મોત

દાહોદ તાલુકાના કતવારા ગામમાં ઓરી અને પોલીયોનો રસી પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જોડિયા બાળકોના મોત નીપજ્યા છે. આ મામલે કતવારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના કતવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા.
બંને બાળકોને ગત 4 માર્ચના રોજ ઓરી અને પોલીયોની રસી પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ બંને બાળકોની તબિયત લથડી હતી. રાત્રે બાળકોએ સ્તનપાન પણ કર્યું ન હતું. જેથી બંને બાળકોને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જઇ લવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે 6 માર્ચના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મયંક નામના બાળકનું 6 માર્ચે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારે તેના મૃતદેહને દાટી દીધો હતો.