દિવાળીના તહેવાર અગાઉ શહેરમાં મીઠાઈ-ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ

દિવાળીના તહેવારો નજીક આવતા અમપાના હેલ્થ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓને ત્યાં તવાઈ બોલાવીને મીઠો માવો,વરખવાળી કાજુકતરી સહીતના નમુના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યા છે. બે દિવસમાં કુલ ૩૩ એકમોને નોટીસ ફટકારીને ૧૬૦ કીલોગ્રામ જથ્થાનો નાશ કરાયો છે. કુલ મળીને રૂપિયા ૪૪,૫૦૦નો વહીવટી ચાર્જ વસુલાયો છે.

આ અંગે મળતી માહીતી અનુસાર, શહેરમાં આગામી દિવાળી પર્વને ધ્યાનમાં લઈને ફૂડ સેફટી એકટ-૨૦૦૬ હેઠળ વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં કાર્યવાહી કરાઈ છે. માધવ સ્વીટ, નિર્ણયનગર ખાતેથી મીઠા માવાનુ સેમ્પલ લેવાયુ છે. બેટકો ટ્રાન્સ લોજીસ્ટીક ખાતેથી બરફીનુ સેમ્પલ લેવાયુ છે. અંબિકા ડેરી, નરોડા-દહેગામ રોડ ખાતેથી વિવિધ સ્વીટના નમુના લેવામાં આવ્યા છે. ભાઈપુરા વિસ્તારમાં આવેલા ભોલેનાથ ફરસાણ ખાતેથી મીઠા માવાનુ સેમ્પલ લેવામા આવ્યુ છે. આમ્બેશ્વર ચવાણા માર્ટ ખાતેથી કાજુકતરીનુ સેમ્પલ લેવામાં આવ્યુ છે.

ન્યુ આશાપુરી માર્ટ ખાતેથી કાજુકતરીનુ સેમ્પલ લેવામાં આવ્યુ છે. અંબિકા ડેરી, ઘાટલોડીયા ખાતેથી ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે. મિલન ચવાણા માર્ટ ખાતેથી મીઠા માવાનુ સેમ્પલ લેવામાં આવ્યુ છે. મીરા નમકીન ખાતેથી બેસનના સેમ્પલ લેવામાં આવ્યા છે. મહાલક્ષ્મી દુધ ઘર ખાતેથી ઘીના સેમ્પલ લેવામા આવ્યા છે. ભોલેનાથ ચવાણા માર્ટ, સરદારનગર ખાતેથી પામોલીન તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે. નહેરૂનગરમાં આવેલા બસંતી સ્વીટમાંથી વરખવાળી કાજુકતરી અને મીઠા માવાના સેમ્પલ લેવામા આવ્યા છે. નહેરૂનગરમાં જ આવેલા અંબિકા ફૂડમાંથી કાજુ-અંજીર રોલના નમુના લેવામાં આવ્યા છે. શકિત ચવાણા, બાપુનગર ખાતેથી ડ્રાયફ્રુટ મેવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જયહીંદ સ્વીટ માર્ટ, રતનપોળ ખાતેથી માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે. સેટેલાઈટમાં આવેલા સુખડીયા જમનાદાસને ત્યાંથી સંગમ કતરીના સેમ્પલ લેવામાં આવ્યા છે.