દીપડાઓનો આતંક એક જ વિસ્તારમાં વાવંવાર પકડાય છે

ઝઘડિયા તાલુકા રેન્જ વિસ્તારના ભગત ફળિયા ગામેથી 4 વર્ષની ઉંમરનો દીપડો પિંજરામાં પુરાયો છે. માસમાં અત્યાર સુધી ૧૧ દીપડાઓ ઝડપાયા છે. છ માસ દરમિયાન ઝઘડિયા રેન્જ ના અશા પાણેથા, માલજીપુરા, ગોવાલી, વાસણા, વંઠેવાડ, રાણીપુરા, વાંદરવેલી ગામેથી અગિયાર દીપડાઓ પિંજરે પુરાયા છે. હજી દીપડો ઝઘડિયા પંથકમાં નજરે પડતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

બાર઼ડોલી નજીક માંડવી તાલુકાના વરેલી ગામમાં ફાર્મમાં વન વિભાગે મુકેલા પાંજરામાં મરઘીનો શિકાર કરવા જતા 4 વર્ષની કદાવર તંદુરસ્ત દીપડી બપોરના સમયે પુરાઈ ગઈ હતી. વન વિભાગે પાંજરૃ કબજે લઇ રાત્રે ગાઢ વનક્ષેત્રમાં છોડવાની કાર્યવાહી કરશે. વરેલી ગામેથી સતત 37 દિપડા વન વિભાગે મુકેલા પાંજરામાં 2 જાન્યુઆરી 2020 સુધીમાં પકડાયા છે.

જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં  8 લોકો 2019માં એપ્રિલી અત્યાર સુધીમાં દિપડાના હુમલાનો ભોગ બની મોતને ભેટયા છે. ત્રણ અઠવાડિયામાં જ ૧૧ દિપડાઓને વન વિભાગે પાંજરે પુર્યા હોવાની ઘટના સામે આવી છે.

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ખંભલા ગામમાંથી 20 એપ્રિલ 2018 સુધીમાં 19 દીપડા પાંજરે પુરાઈ ચુક્યા છે. અમરેલીમાં દિપડાને પકડવા 30 પાંજરા મુકાયા છે. અહીં કુલ અત્યાર સુધીમાં 40 દિપડા પકડાયા છે. ત્યારે દિપડાના હુમલાથી 11 જેટલા લોકોના મૃત્યુ થયા છે.