દ્વારકાના લોકોનું અડધુ પાણી એસ્સર કંપનીને ભાજપ સરકાર આપી દે છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કર્યો હતો. 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલો છે તેમ છતા 6 મહિના પસાર થઈ ગયા પછી પણ અને સામે ચોમાસુ એક મહિના પછી શરૂ થવાનું છે ત્યારે અછતગ્રસ્તોને સરકારે ઓછી મદદ કરી છે.

અછતગ્રસ્ત વિસ્તાર માટેના બધા જ નીયમો માત્ર કાગળ પર અમલ થતો હોય તેમ સામે આવ્યું છે. જમીન માપણી કૌભાંડ, પાકવીમા કૌભાંડ, મગફળી કૌભાંડ, બરદાન કૌભાંડ, તુવેર કૌભાંડ, ખાતર કૌભાંડ, નકલી બિયારણ કૌભાંડ, બાદ અછતગ્રસ્ત સમયે ઘાસચારા અને પાણીનું કૌભાંડ સામે આવે તેવું લાગી રહ્યું છે.

પ્રજા જેટલું પાણી એસ્સાર વાપરે છે

ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દ્વારકાના ખેડુતોની હાલત કફોડી બની છે. લોકોને 60 એમએલડી પાણીની જરૂરિયાત છે. તેની સામે અત્યારે 45 એમએલડી પાણી આપવામાં આવતું હોવાનું સરકાર કહે છે પણ વાસ્તવમાં તો 15 એમએલડી પાણી પ્રજાને મળે છે અને 12થી 15 એમએલડી પાણી એસ્સાર કંપનીને આપી દેવામાં આવે છે.

ઘાસચારો નહીં

અછતગ્રસ્તના મેન્યુઅલ મુજબ 5 કિલોમીટરની ત્રીજયામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવા જરૂરી છે પરંતુ દેવભૂમિ દ્વારકામાં 1 અને કલ્યાણપુરમાં 1 ઘાસચારા વિતરણ કેન્દ્ર જ ખોલવામાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી ટાણેજ ગૌરક્ષા યાદ આવે છે. પરંતુ પશુદીઠ રોજની આર્થિક સહાયમાં મોટા પાયે ઘટ કરવામાં આવી છે. એક પશુદીઠ અછતગ્રસ્તના મેન્યુઅલ મુજબ 25 રૂપિયા અને મુખ્યમંત્રીની જાહેરાત મુજબ 10 રૂપિયા વધારીને 35 રૂપિયા રોજના દરેક પશુદીઠ આપવાના હોય છે જે 15 ફેબ્રુઆરી થી ચૂકવવાના બાકી છે.

મનરેગામાં રાહત કામ નહીં

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો રોજગાર માટેનો મનરેગા યોજનાને યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવતુ નથી. જેના કારણે ખેડૂત અને ખેત મજૂરોને પુરતી રોજગારી મળતી નથી અને રાહતના કામ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યા નથી.

ઢોરવાડા કે કેટલ કેમ્પ ન ખોલ્યા

રખડતા ભટકતા ઢોર માટે કેટલકેમ્પ ઢોરવાળા ચાલુ કરવામાં આવ્યા નથી. સાથોસાથ ઘાસચારો પણ પુરો પાળવામાં આવતો નથી.

75 ટકા પાણી ગુમ થઈ જાય છે

ગઢકા ગામમાં 1,50,000 લીટર પાણી આપવામાં આવતું હોવાનું સરકાર કહે છે. પણ તે કાગળ પર મળે છે, વાસ્તવિકતામાં 50,000 લીટર જ પાણી આપવામાં આવે છે. સિદસરા ગામમા રોજ 40,000 લીટર પાણી આપવાની જોગવાઇ છે,  તેની સામે રોજ 10,000 લીટર જ પાણી આપવામાં આવે છે. આમ બે ગામોમાંથી 1,30,000 લીટર જેટલુ પાણી ચોરાઈ જાય છે.  તો સમગ્ર ગુજરાતમાંથી કેટલું પાણી ચોરાઈ જતું હશે અને કાગળ પર તેના બિલ મજૂર થતા હશે પરંતુ લોકો સુધી એ પાણી પહોચાડવામાં આવતું નથી.

કોણ હાજર રહ્યાં
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા
તથા આગેવાનઓ વિક્રમભાઈ માડમ, કે. ટી. પટેલ, મુળુભાઈ કંડોરિયા, પાલભાઈ આંબલિયા, મેરામણભાઈ
ગોરીયા, યાસીનભાઈ ગજણ, મેરગભાઈ ચાવડા, ગિરુભા જાડેજા, દેવુભાઇ ગઢવી, દિલુભા જાડેજા, રાજાભાઈ
પોસ્તરીયા રાકેશ નકુમ, અરજણભાઈ કણઝરીયા અને વિજુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.