નર્મદા નદી બે કાંઠે વહેતી હતી તેના કાંઠા ક્યાં છે એ હવે શોધવું પડે એમ છે. નર્મદા નદીમાં ‘સરદાર સરોવર ડેમ’ બન્યા પછી અને વિશેષ તો દરવાજા લગાવ્યા પછી નર્મદામાં નદીના પાણીની જગ્યાએ દરિયાના પાણી આવે અને જાય છે. નર્મદા નદી “સરદાર સરોવર ડેમ” પછીની નદીખતમ થઇ રહી છે અને પ્રકૃતિ સાથે સરકાર રમત રહી છે. નદી કાંઠાના ખેતરોમાં ગુલાબની ખેતી થતી હતી જે હવે ખતમ થઈ રહી છે. અહીં હવે ગુલાબ થવાના બંધ થઈ રહ્યાં છે. વળી માછલી પકડવાનો વ્યવસાય અને માછલી ખાઈને જીવતાં પરિવાર ઉપર આફત આવી પડી છે. તેમ પર્યાવરણ સુરક્ષા સમિતિએ જણાવ્યું હતું. નર્મદા નદી ભરૂચ-નર્મદા જીલ્લાની જીવાદોરી હતી, માછીમારો અને ખેડૂતો આ નદી પર નિર્ભર છે. હવે જયારે દરિયાના ખારા પાણીનાઆવવાથી પાણીના બોર ખારા થયા છે, માછીમારી બંધ થઇ રહી છે, ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નો ઉભા થયા છે.