નર્મદા વિસ્તારમાં વરસાદ ઘટી ગયો

10 જાન્યુઆરી 2018માં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ જાહેર કર્યું કે નર્મદા નદીમાં ચોમાસાના પાણીનો પ્રવાહ ઘટી ગયો છે. તેથી ગુજરાતના ખેડૂતોને પિયત માટે નર્મદાનું પાણી નથી મળતું. 138 મીટર ઊંચાઈએ પૂરા થયેલાં બંધના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકર્પણ કર્યું તેના પહેલા જ વર્ષથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવું પડ્યું છે. મોદીએ બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો તેના પહેલા વરસથી જ ખેડૂતોની અવદશા શરૂ થઇ છે.