નારાયણ સાંઈને આજીવન જેલમાં પસાર કરવાની સજા, પિતા આશારામનું જીવન પણ જેલમાં

આસારામના પુત્ર નારાયણ સાંઇને સુરતની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા 6 વર્ષે આપી છે. સાધિકા દુષ્કર્મ કેસમાં આ ચૂકાદો આપવામાં આવ્યો છે. આજે સેશન્સ કોર્ટમાં બંને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતુ. પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ હતી. નારાયણે ધાર્મિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર રહીને ગુનો કર્યો છે જેથી વધુમાં વધુ સજા થવી જોઇએ. જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં વર્ષ 2002માં સાધિકા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ 2013માં થઈ હતી. બાદમાં નારાયણ સાંઇની 58 દિવસ બાદ કુરુક્ષેત્રથી ધરપકડ કરાઇ હતી. સાડા પાંચ વર્ષથી જેલમાં બંધ નારાયણ સાંઇ સામે ટ્રાયલ ચાલી હતી.

ગત 26 એપ્રિલે નારાયણ સહિત પાંચને દોષિત ઠેરવવામાં આવ્યાં હતા અને પાંચને નિર્દોષ છોડાયા હતા. જેમાં આજે સેશન્સ કોર્ટ દ્વારા નારાયણ સાંઈને આજીવન કેદ, ગંગા, જમુના અને હનુમાનને 10 વર્ષ અને રમેશને 6 માસની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે નારાયણ સાંઈને 1 લાખ રૂપિયા અને ગંગા,જમુના, હનુમાનને 5000 હજાર અને રમેશને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

નારાયણ સાંઇનો પિતા આસારામ પણ દુષ્કર્મ કેસમાં રાજસ્થાનની જેલમાં બંધ છે અને નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા આપી છે ત્યારે દુષ્કર્મ પીડિતાને પણ આ નિર્ણયથી ન્યાય મળ્યો હોવાનું અનુભવ્યું હશે. નારાયણ સાંઇએ અનેક યુવતિઓની જિંદગી બરબાદ કરી છે.

6 ઓક્ટોબર 2013માં સુરતના જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પીડિત સાધીકાનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ કર્યું હતુ. બાદમાં પોલીસે આસારામના પુત્રની ધરપકડ કરી હતી. આ કેસને દબાવવા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલાઓ કરાવવામાં પણ નારાયણ સાંઇ સામે કેસ થયો હતો.

લંપટ નારાયણ સાઈ સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં છે. અને હવે 30 એપ્રિલે કોર્ટ સજાનું એલાન કરે તેવી શક્યતા છે, જેમા તેને 7 થી 10 વર્ષ સુધીની જેલની સજા થવાની શક્યતા છે.સુરતની સાધિકા યુવતિએ ડીસેમ્બર-2013માં જહાંગીરપુરા પોલીસ મથકમાં મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ નોંધાવેલી દુષ્કર્મના કારસા રચવા તથા ધમકી આપવા અંગે કરેલી ગુનાની ફરિયાદમાં આજે કુલ 10જેટલા આરોપીઓ સામે એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

આરોપી સાધક કૌશલ ઉર્ફે હનુમાન લાલ બાપુ ઉર્ફે વિવેકાનંદ ઠાકુર (રહે. વિરાર-મહારાષ્ટ્ર નારાયણ સાંઇ આશ્રમ), આરોપી સાધિકા બહેનો ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા પ્રમોદકુમાર મિશ્રા (રહે. હિમાલયા ઝીરકોન એપાર્ટમેન્ટ ચાંદખેડા, અમદાવાદ), ભાવના ઉર્ફે જમના મધુસુદન પટેલ (રહે. ગોપાલપુરી, સીરસી રોડ, જયપુર) વગેરેએ એકબજાના મેળાપિપણામાં ફરિયાદી સાધિકાને શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને નારાયણ સાંઇની કુટિયામાં યૌન શોષણ માટે મોકલવામાં મદદાગારી કરી હોવાનો આક્ષેપ મુકતી ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં કરવામાં આવી હતી.

જ્યારે ગાંભોઇ આશ્રમની આઠ જેટલી સાધિકાઓ વિરુદ્ધ ફરિયાદી સાધઇકાને આશ્રમ છોડતાં પહેલાં હિસાબ કરવા માટે આશ્રમ પર આવવા ધાકધમકી આપી ફરિયાદીના સબંધીના ઘર પર પથ્થરમારો કરવાનો આરોપ મૂક્યો હતો.આકેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત આરોપી સાધિકા બહેનો ગંગા-જમના તથા કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસ ધરપકડથી બચવા 58 દિવસોથી વધુ સમયથી એક આશ્રમથી બીજા આશ્રમ ભાગતા રહ્યા હતા. જે દરમિયાન ભાગેડું જાહેર કરાયેલા આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય ચાર જેટલા આરોપીઓને એક યા બીજી રીતે આશરો આપવામાં મદદગારી કરનાર કુલ ૩૫ જેટલા આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ પણ ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી.આ કેસમાં હાલમાં છેલ્લા દોઢ-બે વર્ષથી જેલવાસ ભોગવતા મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત ગુનામાં મદદગારી કરનાર કુલ 35 જેટલા આરોપીઓ સામે સુરત પોલીસે નિયત સમયમાં ચાર્જશીટ અને પૂરવણી ચાર્જશીટ રજુ કરી નીચલી કોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં કેસ કમીટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 35માંથી 10 આરોપીઓન કોર્ટ સમક્ષ ઉપસ્થિતિ વચ્ચે ચાર્જફ્રેમ કરાયો હતો. જેમાં મુખ્ય આરોપી નારાયણ સાંઇ, આરોપી સાધિકા બહેનો ગંગા-જમના, સાધક કૌશલ ઠાકુર, નારાયણના ડ્રાઇવર કમ બોડીગાર્ડ રમેશ રાજકુમાર મલ્હોત્રા (રહે. આસારામ આશ્રમ, જહાંગીરપુરા), મોહિત ધરમદાસ ભોજવાણી (રહે. હનુમાનગર, જયપુર), પંકજ ઉર્ફે રવિન્દ્ર દેવડા (રહે. મહુ ઇન્દોર, એમ.પી.), અજયકુમાર રાજકુમાર દિનાવ (રહે. સાકેત મેરઠ (યુપી) તથા તેમના પત્ની નેહા દિવાન તથા મોનિકા પુરુષોતમદાસ અગ્રવાલ (રહે. શ્રીનગર શકુર ચાલી, નવી દિલ્હી) વગેરેનો સમાવેશ થાય છે.