નોટબંધી બાદ હવે વેપારીઓની પરેશાનીનો દૌર શરૂ, 50 કરોડની નોટિસ

૮ નવેમ્બર,૧૬ ના રોજ નોટબંધી સમયે રોકડ રકમ જમા કરાવવા બદલ નોટીસો પાઠવવાનું શરૂ કરાયું છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. ૩૫ કરોડની ડિમાન્ડ નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક બિલ્ડૅરને ૨૧ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. બેંકની વિગતો માંગી હતી. જાણીતા જ્વેલર, સોના-ચાંદીના વેપાર સિવાય કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે.

શહેરના ૨૦ બિલ્ડર, જ્વેલર, પેટ્રોલપંપ સંચાલક અને હોટેલ માલિકોને પણ ડિમાન્ડ નોટીસ પાઠવવામાં આવી છે. વર્ષો જુના ટેક્સ સંબંધિત કેસોના નિકાલ બાબતે વિભાગ દ્વારા સબકા વિશ્વાસ સ્કિમ શરૂ કરવામાં આવી હતી. હવે આઇ.ટી અધિકારીઓ નોટબંધી તથા નવા કેસોના નિકાલમાં સઘન કામગીરી કરશે.