દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર બાદ 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે કોઈ રાહત મળી નથી. રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમે તેને ફગાવી દીધી હતી. પબુભાની માંગણી સ્વીકારવામાં આવી નથી. તેઓ હવે ધારાસભ્ય પદ માટે કામ નહીં કરી શકે. તેમ છતાં જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રિવેદીએ ભાજપના સભ્યને તેના પદ પરથી દૂર કરવાનો અગાઉની જેમ ઝડપી નિર્ણય લીધો નથી.
2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી.
ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. ત્યાં હવે ફરીથી ચૂંટણી યોજવા કાર્યવાહી હાથ ધરવા માટે આદેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ મોટો ઝટકો ગણવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ અરજીમાં લખ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી દરમિયાન પબુભા માણેકે ઉમેદવારી પત્ર ભર્યું તેમાં ભૂલ હતી, જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ચૂંટણીને જ રદ્દ કરી દીધી હતી.
કોંગ્રેસના મેરામણ ગોરિયાએ ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી પત્ર ખોટું હોવા છતાં ભાજપની રૂપાણી સરકારના દબાણથી આર.ઓ. અને ડેપ્યુટી કલેક્ટરે માન્ય રાખ્યું હતું. તેની સામે હવે ચૂંટણી પંચે પગલાં ભરવાના રહેશે. જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવતા હતા.
આ અરજીનો ચુકાદો સંભળાવતા ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. દ્વારકામાં હવે ફરીથી ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ઝટકો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પબુભા માણેકે ઉમેદવારી પત્ર ભર્યું તેમાં ભૂલ હતી, જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ચૂંટણીને જ રદ્દ કરી દીધી હતી.
2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવાર આહિર મેરામણ મારખીને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી, ત્યારે હવે આ બેઠકની પેટા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે.
પબુભાએ ઉમેદવારી પત્રમાં ઘણી ખોટી વિગતો આપી હતી. ઉમેદવારી ફોર્મ અધુરું હતું. પબુભાની રજુઆત કરવામાં આવી છે કે તેમના સાક્ષીઓને અંગે્રજી આવડતું નથી. તેથી વડી અદાલતે સાક્ષીઓને ગુજરાતીમાં નિવેદન આપવાની છુટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી.
પબુભાનું ડમી ફોર્મ જેમણે ભર્યું હતું તે નિલેશ માણેકે પણ ફોર્મમાં વિધાનસભાનો વિસ્તાર દર્શાવ્યો ન હતો.
પ્રથમ 3 વખથ પબુભા અપક્ષ તરીકે ચૂંટાયા હતા. પછી કોંગ્રેસમાંતી તેઓ ચૂંટણી લડ્યા હતા અને પછી ભાજપમાં પક્ષાંતર કરીને તેઓ ચૂંટણી લડ્યા હતાય સતત 7 વખત તેઓ દ્વારકાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
3જા ધોરણ સુધી ભણેલા માણેક ઉદ્યોગ અને શીપીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પબુભા આર્થિક રીતે સધ્ધર છે.
20-11-2017માં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી કાઢી નાંખવામાં આવી હતી.