અમદાવાદ,તા:16
રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખરેખર વાસ્તવિકતા છે કે, 92,000 હેક્ટરમાંથી 1000 હેક્ટરમાં પાણી નથી. તે જમીન ઊંચી કરવામાં આવી છે. બાકીનો 91 હજાર હેક્ટર વિસ્તાર પાણીમાં ડૂબેલો છે.
જમીન માફિયાઓના મૂડી રોકણનું ધોવાણ થઈ ગયું છે. તેથી રાજનેતાઓની ચામડી બચાવવા માટે રમત રમવામાં આવી છે. જે ઈન્ડ્રીયલ ઝોન છે તેને ઈન્ડસ્ટ્રીયલ સિટી બતાવીને સરકારી કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે ત્યાં પાણી ભરાયા નથી. પણ ધોલેરા સ્માર્ટ સિટી તો 92,100 હેક્ટરમાં છે. માત્ર જેમાં 1100 હેક્ટર વિસ્તારની વાત કંપની દ્વારા કરવામાં આવી છે. બાકીના 91,00 હેક્ટર વિસ્તારના 22 ગામડાઓ પાણીમાં છે.
ઈન્ડસ્ટ્રીયલ સીટીમાં પાણી નથી ભરાયાઃ શિવહરે
ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીના મેનેજીંગ ડીરેક્ટર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે, ‘ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી પણ પાણીમાં ડૂબી ગયું છે’ એવા અહેવાલો છે. પણ આ વિસ્તારમાં ભારે વરસાદ પડવા છતાં પણ ઈન્ડસ્ટ્રીયલ સીટી વિસ્તારમાં કોઈ જ પાણી ભરાયા નથી કે ઈન્ડસ્ટ્રીયલ સીટી પાણીમાં ડૂબ્યું નથી.’
શિવહરેએ કબૂલાત કરતાં કહ્યું હતું કે, ભારે વરસાદને પગલે ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટીની નજીકના નાના નાનાં ગામડાઓમાં પાણી ભરાવાની સ્થિતિ છે. ત્યાં જે સ્થિતિ છે તે ઈન્ડસ્ટ્રીયલ સીટીને લાગુ પડતી નથી.’
ખેડૂત નેતાઓ કહે છે કે, શિવહરેની આ વાત એટલી માટે વાજબી નથી કારણ કે સરકાર દ્વારા 921 ચોરસ કિ.મી.માં ધોલેરા સમાર્ટ સિટી અને એરપોર્ટ બની રહ્યું છે. નહીં કે 1100 હેક્ટરમાં. સરકારની આ કંપનીએ 22 ગામના તળાવો, સરકારી જમીન પરથી રૂ.1100 કરોડની માટી કાઢીને નાંખી છે. તેથી જમીન ઊંચી આવી છે અને તેના કારણે જ પાણી ભરાયા છે.
શિવહરે પત્રકારોને બાકીના 910 ચોરસ કિલો મીટરમાં જઈ જઈને ગામ લોકોની ખરાબ હાલત છે તે બતાવવાની જરૂર હતી, તેમ કહીને ખેડૂત પદ્યયુમનસિંહે જણાવ્યું હતું કે, ધોલેરા ગામ પાસે જે એ.બી.સી. બિલ્ડીંગો બનાવી છે તેની ચારેબાજુ પાણી ભરાયેલા છે. ધોલેરા સ્માર્ટ સિટી બનાવી રહેલી એલ એન્ડ ટી કંપની પોતે પાણીમાં ડૂબી ગઈ છે. દરિયાથી થોડા ઈંચ ઊંચાઈ પર આવેલા ધોલેરામાં દરિયાનું પાણી આવશે ત્યારે ચારેબાજુ વિનાશ થશે.
અનેક સ્થળેથી માટી ખોદી કઢાઈ
ધોલેરાનો સર્વે નંબર 18 1100 હેક્ટરનો છે. એ સર ઓથોરીટી એ જીઆઈડીસી બનાવે છે. જેમાં રોડ જમીનથી 3 મીટર ઊંચા બનાવ્યા છે. 3 મીટર ઊંચો માટીનો પાળો કર્યો છે. ધોલેરા સર ઓથોરિટીએ જીઆઈડીસીમાં પ્લોટ પાડેલા છે. રોડ બનાવેલા છે. વચ્ચેના ભાગ પૂરેલા છે.
ગામના તળાવો ખોદીને માટી લઈ જવામાં આવી છે. સરકારની 18 હજાર હેક્ટર જમીન પરથી ઘણા સ્થળે માટી કાઢી લેવામાં આવી છે. સિટી માટે 10 ફૂટ ઊંચી ભરતી કરી છે. માટી દરેક તળાવ ખોદી, સરકારી જમીન પરથી માટી લાવ્યા છે. તેની રોયલ્ટી આપી નથી.
સરકારી સરવે નંબર 23 ગામ બાવળીયારીથી માટી લઈ ગયા છે. ગમે ત્યાંથી લાવીને માટી નાંખી છે. તળાવો ઊંડા કરીને માટી લઈ ગયા છે.
સુનામીમાં આખું શહેર બરબાદ થઈ શકે છે
શિવહરેએ કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીયલ સીટી વિસ્તારમાં કોઈ જ ની સ્થિતિ નથી જેથી સીટીના ભવિષ્ય સામે જે સવાલો ઊભા કરાયા છે એ બેબુનિયાદ છે.
આ અંગે સાગર રબારી કહે છે કે, ધોલેરા સ્માર્ટ સિટી એ 20 કિ.મી.નું નથી તે 921 ચોરસ કી.મી.નું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે. જે સિટી પાણીમાં ડૂબેલું છે. નદીઓ ઊભરાય છે તેથી પાણી ફેલાય છે. ડ્રેનેજ સીસ્ટમ 100 વર્ષના વરસાદના આધારને જોઈને બનાવાઈ છે. બહારથી 80 કિ.મી. દૂરનું પાણી સુરેન્દ્રનગર સુધીનું પાણી આવે છે. સાબરમતીનું ભારે મોટું પૂર આવે તે પણ ત્યાં ભરાય છે. સમુદ્રથી અડધો ફૂટ ઊંચું લેવલ છે. જ્યારે સમુદ્રમાં સુનામી આવશે ત્યારે લોથલની જેમ ધોલેરા પણ ડૂબી જશે. જો 12 ઈંચ વરસાદમાં 900 ચોરસ કિ,મી,નો વિસ્તાર પાણીમાં ડૂબી જતો હોય તો સુનામીમાં આખું શહેર બરબાદ થઈ જશે. એવું સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે. આજે પણ 2થી 7 ફૂટ પાણી ભરાયેલા છે.
ફળદ્રુપ જમીન
અહીં નર્મદા નિગમે 28 હજાર હેક્ટર ફળદ્રુપ જમીન પર નહેરથી સિંચાઈ આપવાનું આયોજન કર્યું છે. તે માટે સરકારે રૂ.15 હજાર કરોડ નહેરો બનાવવા માટે અહીં વાપરી નાંખ્યા છે. તેથી અહીંની જમીન બંજર નથી ફળદ્રુપ છે એવું સરકાર પોતે કહે છે પણ ધોલેરા સિટીના શિવહરે કહે છે કે અહીં જમીન બંજર અને ખારી છે. જે ખોટી વાત કહી રહ્યા છે.
વરસાદી શ્રપાણીને દરિયામાં વહાવી શકાય એવી ડિઝાઈન
શિવહરેએ જણાવ્યું હતું કે, વરસાદની ઋતુમાં નદીઓ વહે છે. જ્યાં સુધી એના પાણી ખંભાતના અખાતમાં મળે છે, ત્યાં સુધીમાં તો આ પાણી કાંતો જમીનમાં ઉતરી જાય છે કે, પછી ગરમીથી હવામાં બાષ્પિભવન થાય છે. ભારે વરસાદના સમયમાં, આ નદીઓ એમના કિનારા છોડી પટની બહાર વહેવવા લાગે છે અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ જાય છે. આ સમગ્ર વિસ્તાર નિચાણ વાળો અને સપાટ પ્રદેશ છે. સામાન્ય રીતે નદીઓના કિનારા કાચા છે એટલે, પૂરના પાણી એના કિનારાની ઉપરવટ જતાં ‘ઓવરફ્લો’ની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ ‘ઓવરફ્લો’ની સ્થિતિ ગામડાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા કરે છે.
આમ છતાં, આ પૂરની સ્થિતિ આ વિસ્તારના માત્ર નાનાં ગામડાંઓ પૂરતી સિમિત જ છે. ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી કે જે ભારતનું સૌથી મોટું ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટી અને ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર બની રહ્યો છે એ વિવિધ આંતરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ્સ અને શ્રેષ્ઠ પધ્ધતિઓના આધારે આંતરમાળખાકિય સવલતો સહિત ડીઝાઈન કરવામાં આવ્યો છે. વરસાદી પાણીને સહેલાઈથી દરિયામાં વહાવી શકાય એ રીતે ડીઝાઈન કરાઈ છે.
જમીન નીચી અને રસ્તા ઊંચા
શિવહરે કહે છે કે, હાલની જમીનથી રસ્તાઓનું લેવલ લગભગ બે મીટર જેટલું ઊંચું રાખવામાં આવ્યું છે; ભવિષ્યમાં આગળ જતાં પૂરના પાણીથી આ સમગ્ર વિસ્તારને રક્ષણ આપશે.
ખેડૂતો કહે છે કે, 6 ફૂટ ઊંચા રસ્તા કંપનીએ બનાવ્યા છે તે બતાવે છે કે અહીં પાણી ભરાય છે. 1100 કરોડની માટી નાંખીને 22 ચો.કી.માં રસ્તા બનાવેલા છે. જેની માટીની રોયલ્ટ પણ સરકારને ચૂકવી નથી.
શિવહરે કહે છે કે, ‘જે રીતે સમગ્ર ધોલેરા પૂરની ઝપટમાં આવી ગયું છે અને રહેઠાણો પૂર્ણ રીતે અસર પામ્યાં છે’ એ અહેવાલો સાચા નથી.’
ખેડૂતો કહે છે કે, ‘આજે પણ અમારા ખેતરોમાં 2થી 6 ફૂટ પાણી ભરાયેલા છે. ગઈકાલ સુધી ગામોમાં પાણી ભરાયેલા હતા. 22 ગામના લોકો બહાર નિકળી શકતા ન હતા. તેમના માટે સરની કંપની જવાબદાર છે.
10 વર્ષમાં ખૂબજ ઓછા મકાન બન્યા છે
ડીએસઆઈઆર – ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આકાર પામતી આ ધોલેરા સીટી 13 ઈન્ડસ્ટ્રીયલ અને 11 ઈન્વેસ્ટમેન્ટ ઝોન નિર્માણના કરવાના એક ભાગરુપે બની રહ્યું છે. જેનો મુખ્ય હેતુ દિલ્હી અને મુંબઈ વચ્ચે શહેરી વિસ્તારો સાથે વિકાસને વેગ આપવાનો છે.
22 ગામ સર એક્ટ 2009માં લાગુ કર્યા પછી અહીં 10 વર્ષથી માત્ર થોડા બિલ્ડીંગો બન્યા છે. ધોલેરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કેન્દ્ર સરકારે નાણાં આપ્યા છે. 28,000 હેક્ટર સરકારી જમીન રૂ.20માં લીધી હતી અને તેજ જમીન કંપનીને સરકારે એક ચોરસ મીટરના રૂ.600ના ભાવે જમીન આપી છે.
ધોલેરા ગામ પાસે એબીસી નામનું બિલ્ડીંગ રૂ.210 કરોડના ખર્ચે બનેલું છે. તેની બાજુમાં પાણી ભરાઈ ગયા છે. બાવળીયીરી જેવા અનેક ગામના પાળા તોડીને પાણી કાઢવું પડ્યું છે. તેમ છતાં સરકારી કંપની કહે છે કે ધોલેરા સિટી સામે કોઈ આફત નથી. બધું બરાબર છે. પણ વાસ્તવિકતા જૂદી છે.