પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું.

જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં નથી. તેમ કહીને મહિલા સરપંચ મંજૂબેને આક્રોશ ઠાલવ્યો હતો. કુંવરજી બાવળીયા પોતાના જ ગામમાં પાણીના પ્રશ્ને ઘેરાઈ જતાં તેઓ ઝંખવણ અનુભવતાં હોય એવું આસપાસ ઊભેલા લોકોને લાગ્યું હતું. પાણીની વિતરણ વ્યવસ્થા સારી રીતે ગોઠવાય તે માટે કુંવરજી બાવળીયા સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

9 ઓક્ટોબર 2018માં અમરાપુર તાલુકા પંચાયત બેઠક પર કુંવરજી બાવળીયાના ઉમેદવારનો 450 મતથી પરાજય થયો હતો. અમરાપુરએ રાજ્‍યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું ગામ (વતન) છે. કોંગ્રેસના ઉમેદવાર દયાબેન મુકેશભાઈ તલસાણીયા ભાજપના ઉમેદવાર દુધીબેન જયંતીભાઈ કોળી ને હરાવી વિજેતા ઘોષિત થતા હતા. મંજુબેન અમરશી વાછાણી અમરાપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચુંટણી લડયા હતા. તેઓએ તાલુકા પંચાયતના સભ્‍ય પદેથી રાજીનામું આપતા અમરાપુર1ની પેટા ચુંટણી યોજાઇ હતી.

અમરાપુરની આ સીટમાં સૌથી વધુ મતદારો કોળી જ્ઞાતિના જ છે. કુંવરજીભાઇની શૈક્ષણીક સંસ્‍થા પણ ત્‍યાં હોવા છતા અને ખુદ કુંવરજીભાઇ બાવળીયાએ બે-બે વખત આ ગામમાં મીટીંગો કરી મતદારોને સમજાવ્‍યા હોવા છતા પરીણામ ભાજપની વિરૂધ્‍ધ આવ્યું હતું.

પતિ મુકેશભાઇ તલસાણીયાએ ભાજપમાંથી જ ટીકીટ ન અપાતા તેઓએ કોંગ્રેસમાંથી જંપલાવ્‍યું હતું અને વિજેતા બન્‍યા હતા. દયાબેન અને મુકેશભાઇના હજુ ગયા વર્ષે જ લગ્ન થયા છે મુકેશભાઇ વ્‍યવસાયે હિરા ઘસવાનું કામ કરે છે. પરંતુ પોતાના ગામમાં કે આજુબાજુના ગામોમાં કોઇના પડતર પ્રશ્નો હોય તેનો સ્‍વખર્ચે દોડી નિકાલ કરતા હોય તેમનો વિજય થયો હતો.