પારુલ યુનિવર્સિટીએ કૃષિના અભ્યાસક્રમ ગેરકાયદે ચાલુ કરી દીધા

રાજ્યમાં આવેલ રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. તથા  (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ) બી.એસ.સી.(હોર્ટીકલ્ચર) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં સરકારની જાણમાં શિક્ષણ આપવામાં આવતું હોવા છતાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાંએ આજ સુધી કોઈ જ શિક્ષાત્મક પગલાં લીધા નથી એન વિદ્યાર્થી પાસેથી કરોડો રૂપિયાની ફી એકઠી કરવા દીધી છે.

વિદ્યાર્થીઓ અને નાગરિકોને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જાહેર નિવેદન કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ કોર્ષો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004 વિરુદ્ધ હોઇ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવાયુ હતું. જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી પડે છે.

ઈ.સ. 2018-19માં ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત વડી અદાલતમાં એસસીએ, એલપીએ દાખલ કરી
દાદ માંગવામાં આવેલી હતી. વડી અદાલત દ્વારા સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓમાં ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી કે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલી નથી. અભ્યાસક્રમ ચલાવવા બાબતે આઇ.સી.એ.આર.ના ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલા નથી. વડી અદાલત દ્વારા 2018ના ચૂકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલા છે.
ઈ.સ.30-10-2018ના ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશનો દાખલ કરવામાં આવી છે. જે પીટીશનોની સુપ્રિમ કોર્ટ દ્વારા 11-10-19ના રોજ સુનાવણી હાથ ધરીને નિકાલ કરાયો છે. આમ આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ અભ્યાસક્રમોને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી નથી.