જાણીતા વકતા અને દેસાઈ સી.એમ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક અશ્વિનભાઈ એમ આણદાણીએ “કવિ શ્રી રાજેન્દ્ર શુકલ, રાજેશ વ્યાસ અને હરીશ મીનાશ્રુની ગઝલોમાં આધ્યાત્મિકતા” વિષય પર એક શોધનિબંધ તૈયાર કર્યો હતો. આ નિબંધને ગુજરાત યુનિવર્સીટીએ પીએચડીની પદવી માટે માન્ય ગણ્યો છે. અશ્વિનભાઈએ આ શોધનિબંધ કાંકણપુર કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો.જૈમિનિભાઈ એન.શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો.