બુલેટ ટ્રેન માટે 900 કરોડના બદલે 200 કરોડનું જ વળતર કેમ ?

ગુજરાતમાં બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે તેના માટે ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ.900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર તેમાં કાપ મુકીને માત્ર રૂ.200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ.1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમને રૂ.900 કરોડ જેવી રકમ કેમ આપવામાં આવતી નથી એવું 5000 હજાર જેટલાં ખેડૂતો પૂછી રહ્યાં છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યના 8 જિલ્લાના 196 ગામોની 680થી 800 હેકટર જેટલી જમીન સંપાદન કરવા ગુજરાત સરકાર વળતર આપવા માંગે છે પણ તે જંત્રી પ્રમાણે છે. ખરેખર તો બજાર કિંમત તો જંત્રીથી સાત ગણી વધારે છે. 185 ગામડાંઓ અને શહેરોની જમીન સંપાદન માટેની બીજા તબક્કાની કાર્યવાહી પૂરી થઈ છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. એક હજાર ખેડૂતોએ તો જમીન નહીં આપવા માટે ગુજરાતની વડી અદલતમાં શોગંદનામું આપતાં જાપાન કંપનીએ લોનનો હપતો આપવાનો ઈન્કાર કેદ્ર સરકારને કરી દીધો છે. જમીન મેળવી લેવાય પછી જ નાણાં આપવાનું જાપાન સરકારે જાહેર કરતાં ગુજરાતની અને ભારતની ભાજપ સરકારો ભીંસમાં મૂકાઈ છે. તેથી હવે ખેડૂતોને વધું વળતર આપવાની જાહેરાત કરે છે પણ કેટલું વળતર આપશે તે અંગે હજુ સ્પષ્ટ નથી.

જંત્રી કિંમત અંગેના નવી ફોર્મ્યુલા લાગુ પાડવા અંગે ગુજરાત મહેસૂલ વિભાગે જાહેર કર્યું છે પણ કેવા પ્રકારનું વળત આપવું તે હજુ જાહેર ન કરીને સરકાર કંઈક છુપાવવા માંગે છે એવું તેના પરથી સ્પષ્ટ થાય છે. આજે અનેક યોજનાઓમાં ખેડૂતોની જમીન ગઈ છે તેમને અનેક કિસ્સામાં વળતર આપવામાં આવ્યું નથી. તેથી ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર નથી.