ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન અભિયાન

લોકડાઉન દરમ્યાન કોઈપણ પ્રકારના બીમારી સામે લડી રહેલ વ્યક્તિને હોસ્પિટલમાં રક્તની અછત ના પડે તે માટે યુવા મોરચા દ્વારા ૭૮૭૮૬૯૨૦૨૦ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર પર મિસકોલ કરી સામાન્ય વ્યક્તિ સરળ રીતે રક્ત મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ નંબર પર મિસકોલ કરનાર વ્યક્તિને એક લિંક મોકલવામાં આવશે અને તે લિંકમાં પોતાની વિગત ભરી મોકલનાર વ્યક્તિને જલ્દીથી જલ્દી રક્ત મળે તેવા પ્રયત્ન કરી તે વ્યક્તિ સુધી રક્ત પહોંચે તે હેતુથી આ અભિયાન શરૂ કરેલ છે.

જે વ્યક્તિને રક્ત આપવાની ઈચ્છા હોય તે વ્યક્તિ પણ ૭૮૭૮૬૯૨૦૨૦ નંબર પર મિસકોલ કરી શકે છે. લોકડાઉનને ધ્યાનમાં રાખી જે પણ વ્યક્તિ રક્ત આપવા ઈચ્છતો હોય તે વ્યક્તિના ઘરે જઈ તેનું રક્ત લઈ શકાય તેવા પ્રકારનું આયોજન હાથ ધરાવ્યું છે.