ભાવનગર,તા.17
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલના તબીબને શંકાસ્પદ કોંગોફિવર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તબીબના રીપોર્ટને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલના એક તબીબની તબીયત આજે સોમવારે ખરાબ થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તબીબને કોંગોફિવર હોવાની શંકાના પગલે અન્ય તબીબે રીપોર્ટ કર્યા હતા આ રીપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કેતબીબીને કોંગોફિવર પોઝીટીવ છે કે નહીં.પશુઓની ઈતરડીમાંથી કોંગોફિવર થતો હોય છે. અગાઉ કેટલાક પશુપાલકોને પણ કોંગોફિવર થયો હતો તેથી આરોગ્ય વિભાગની ટીમે જુદા જુદા ગામમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરી હતી.