ભોંયણ ગામે એક સાથે 3 મૃતકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હિબકે ચઢ્યું

ડીસા, તા.૧૪

દાંતીવાડાના મારવાડા પાસે શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરીને પસાર થતી ટ્રક પલટી મારતા ભોયણ ગામના ત્રણ પિતરાઇ ભાઇઓના મોત નિપજ્યા હતા. જોકે રવિવારે ડીસાના ભોંયણ ગામમાં ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

દાંતીવાડાના વાવધરા ગામથી શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરેલ ટ્રક ડીસા તરફ આવી રહી હતી. દરમિયાન મારવાડા નજીક ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા ટ્રકે બે પલટી મારી હતી. જેમાં ત્રણ લોકોના ઘટના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જોકે તમામ મૃતકો ડીસાના ભોંયણ ગામના હતા. રવિવારે ત્રણેય મૃતકોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામેલા હીરાભાઈ મણાભાઈ વાલ્મિકીને 3 સંતાન, જ્યારે રાજુભાઇ મંછાભાઈ વાલ્મિકીને 4 સંતાનો, જ્યારે લક્ષ્મણભાઈ મફાભાઈ વાલ્મિકીને ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.