મધમાખીએ 3 કિમી સુધીના ખેતરોમાં ઉત્પાદન વધારી દીધું

દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાનાકજુરડા ગામના ભિમાણી હરસુખભાઇ નામના ખેડૂત દ્વારા ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખીના ઉછેરથી આજુબાજુના 3 કિ.મી.ના ખેતરમાં સરેરાશ 30 ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે. જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. મધમાખીની ખેતીથી વધારાની આવક પણ મળે છે. 1.5 ફુટ બાય 1 ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે. જેમાં અસંખ્ય માખી એકત્ર થાય છે. ઇટાલીયન મધમાખી મુખ્યત્વે સુગંધની દિશામાં પ્રયાણ કરે છે. જ્યાં વધુ પરાગરજ હોય તેવા રાયડો, ધાણા અને ફૂલની પરાગરજ લઇને ત્રણ કિલોમીટરના વિસ્તારમાં મધ ચૂસી લાવીને તે જ પેટીમાં ભરાઇ જાય છે. મધ એ ઉતમ ખોરાક અને વિવિધ રોગની દવા છે. 45ની ઉંમર પછી તો દરેક લોકોએ દરરોજ 3 ચમચી મધ વાપરવું જોઇએ જેથી ઘડપણમાં થતી બિમારી જેવી કે શારીરીક અશક્તિ, કફ, બલગમ અને સાંધાના દર્દ સદભાગ્યે મધના સેવનથી સરળતાથી ઉકલી જાય છે. વર્ષે 2 લાખ જેટલી ચોખ્ખી રકમ મધમાખીની ખેતીથી કમાઇ રહ્યા છે.