મહુડાના વેપારમાં ગુજરાત સરકારનું શોષણ

મહુડાના ભાવ એકાએક ગગડી ગયા છે. મહુડાના ભાવ ગુજરાત સરકારના વન વિભાગે એક કિલોના રૂ.17 આપી રહ્યું છે. જ્યારે રૂ.40 આપવામાં આવે છે. આમ સરકારે આદિવાસી પ્રજાનું શોષણ શરૂ કર્યું છે. સરકારે ભાવ ઓછો કરતાં વેપારીઓ પણ આદિવાસીઓને ઓછા ભાવ આપવાનું શરૂ કર્યું છે. વેપારીઓ રૂ.35ની ખરીદી કરીને મધ્યપ્રદેશમાં વેંચી દે છે. વેપારીઓ રૂ.35નું મીશન લે છે. સરકારી નિગમ મહુડા લઈને તેના બદલામાં મકાઈ, ખાંડ, ચોખા આપવામાં આવે છે. રોકડા આપવામાં આવતાં નથી. ફુલને મહુડા અને ફળને ડોળી કહેવામાં આવે છે.

10 હજાર ક્વિન્ટલ ઉત્પાદન

ગયા વર્ષે 15 હજાર ક્વિન્ટલ ઉત્પાદન થયું હતું. ગયા વર્ષે પણ સરકારે રૂ.20 એક કિલોના ભાવ આપ્યા હતા. આ વખતે રૂ.17 નક્કી કર્યા છે. ગયા વર્ષે નિગમે 60 ગાડી મહુડાની ખરીદી કરી હતી. તેથી મધ્ય પ્રદેશ મહુડા વેચવા પડ્યા હતા. આ વખતે પણ આવું થઈ રહ્યું છે. આદિવાસીઓને એક કિલોના રૂ.50 ભાવ મળે તો જ પોશાય તેમ છે. ડોળીનો જથ્થો આવી રહ્યો છે, ઉત્પાદન રૂ.10-12 હજાર ક્વિન્ટર થાય તેમ છે. ડોળીના તેલની માંગ છે.

પેશા એક્ટમાં મહુડા ડોળી નિયંત્રણમાં નથી, તેથી જ્યાં વેચવી હોય ત્યાં વેચી શકે છે. પરંતુ એમાં આદિવાસીઓને ભારે નુક્સાન થઈ રહ્યું છે. સરકારે મહુડા અને ડોળી ખરીદી વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું છે.

છોટાઉદેપુર જિલ્લામાં જંગલમાં થતી અનેક વનસ્પતિઓનો આયુર્વેદિક દવાઓમાં ખૂબ મોટા પાયે ઉપયોગ થાય છે. છેલ્લાં ત્રણ વર્ષથી ભાવ નીચે લઈ જવામાં આવ્યા છે અને ઉત્પાદન ઓછું થયું છે. રાજ્યની ફાર્મર્સીસ કંપનીઓ ખરીદ કરવા આવે છે. પણ, નોટબંધી પછી અને જીએસટી પછી જંગલ પેદાશની વસ્તુઓ આવે છે ખરી પરંતુ વેચાણ થતી નથી. વન વિકાસ નિગમ પણ મહુડા ડોળી પૂરતો રસ લે છે.

ભિલોડાતાલુકાના ગંભીરપુરા, ચુનાસણ સહિત આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ મહુડાના વૃક્ષો છે. પ્રતિ વૃક્ષ એના આયુષ્ય અનુસાર વાર્ષિક 20થી 200 કિલો વચ્ચે બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે.

મહુડાના ફુલનો વેપાર

મહૂડાના ફુલની ખેતી કરનારા ખેડૂતો માટે આ વર્ષ એકંદરે સારૂં રહ્યું.  મધ્યપ્રદેશની તુલનામાં સારા હતા. પંચમહાલ જિલ્લાનાં 5 હજાર જેટલાં વૃક્ષો છે. વિકાસ નિગમ મહુડા ડોળીની ખરીદી અર્થે એજન્ટો નીમે છે. છત્તીશ ગઢમાં સરકારે મહુડામાંથી પીણું બનાવવા માટે રૂ.600 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પણ ગુજરાત સરકારે આવું કર્યું નથી. ફુલ અને બીમાંથી દારુ, આઈસ્ક્રીમ, તેલ, દવા, પીણું બને છે.