માર્કેટયાર્ડમાં રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક

15 MAY 2013

ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ થકી થતી રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક
દેશમાં ૭૩૦૦ જથ્થાબંધ બજારોમાંથી ૨૭૩૫ એટલે કે ૩૭ ટકા બજારોમાં ઓનલાઈન સુવિધા
૧૯૩૯- આ વર્ષે દેશમાં ૫૭ માર્કેટયાર્ડની સ્થાપના સાથે શરૃઆત
૨૦૧૩ – દેશમાં ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોનીથતી લે-વેચ
૨૬,૮૮૦ : કરોડ રૃપિયા રાજ્યનાં માર્કેટયાર્ડોમાંથી ૪૩૯૬ લાખ ક્વિન્ટલ પેદાશોની થયેલા વેચાણની આવક

માર્કેટયાર્ડ એટલે કિસાનોની કમાણીનું કેન્દ્ર. ખેતરમાં તનતોડ મહેનત કરી પેદા કરેલી ખેતપેદાશની આવક ખેડૂતોનું આર્િથક પાસું નક્કી કરે છે. અબજો રૃપિયાનું ર્વાિષક ટર્નઓવર ધરાવતાં માર્કેટયાર્ડો ખેતીનું ભવિષ્ય અને દેશની કૃષિ પ્રગતિનો ચિતાર રજૂ કરે છે. ૧૯૩૯માં ૫૭ માર્કેટયાર્ડથી શરૃઆત થઇ હતી. હાલમાં દેશમાં અંદાજિત ૮૦૦૦ માર્કેટયાર્ડ દ્વારા ખેતપેદાશોની લે-વેચ થાય છે. વર્ષ ૨૦૦૬માં જાહેર થયેલા આંક મુજબ દેશમાં ૨૪૨૯ મુખ્ય માર્કેટયાર્ડ અને ૫૧૩૭ સબયાર્ડ તેમજ ૨૭ હજાર સીઝનેબલ યાર્ડ આવેલાં છે. જેમાં ૮૯૦ માર્કેટયાર્ડ સાથે આંધ્રપ્રદેશ રાજ્ય મોખરે છે.પશ્ચિમ બંગાળમાં ૬૮૪, ઉત્તરપ્રદેશમાં ૫૮૫, મધ્યપ્રદેશમાં ૪૮૯ અને ગુજરાતમાં ૪૦૩ માર્કેટયાર્ડ આવેલાં છે. ગુજરાતમાં માર્કેટયાર્ડ થકી ખેતપેદાશોની આવકનો આંક ૨૬ હજાર કરોડ રૃપિયાએ પહોંચ્યો છે. ૧૯૯૨માં ઉદારીકરણની નીતિ ભારતમાં દાખલ થતાં આજે માર્કેટયાર્ડ ગ્લોબલ બની ગયાં છે. રાજ્યનું ઊંઝા માર્કેટયાર્ડ જીરાના વેપારમાં એશિયામાં અગ્રણી માર્કેટયાર્ડ ગણાય છે.

ખેડૂતોને ખેતપેદાશોના ઊંચામાં ઊંચા ભાવ અને ત્વરિત નાણાં મળી રહે તેવા હેતુસર સ્થપાયેલી માર્કેટ સમિતિઓ આજે વટવૃક્ષ બની ગઈ છે. કરોડો રૃપિયાની ખેતપેદાશોની લે-વેચ કરતી માર્કેટ સમિતિઓનો ખેડૂતોને મદદરૃપ થવાનો હેતુ આજે રાજ્યમાં ફળીભૂત થયો છે. રાજ્યમાં સબયાર્ડ અને મુખ્યયાર્ડ મળી ૪૦૩થી વધુ અને દેશમાં આઠ હજારથી વધારે માર્કેટયાર્ડ આવેલાં છે. ૨૦૦૩થી અમલમાં આવેલો માર્કેટ એક્ટ આજે પણ ૧૬ રાજ્યોમાં અમલમાં કરાયા પછી નિયમો ઘડાયા નથી. દેશમાં કૃષિ પ્રગતિને પગલે માર્કેટયાર્ડોનો સતત વિકાસ થઇ રહ્યો છે. દેશમાં આજે ઇ-માર્કેટ મોબાઇલ કોલ્ડવાન, કોલ્ડચેઇન, આધુનિક ગ્રેડિંગ અને પેકિંગ વ્યવસ્થા તેમજ રેપનેઇંગ ચેમ્બર ગોડાઉન જેવી વ્યવસ્થાની બોલબાલા છે. અર્થતંત્રનું વૈશ્વિકીકરણ અને વેપારનું ઉદારીકરણ એ આર્િથક ટેકનોલોજીનું મહત્વનું પાસું છે.
દેશમાં કૃષિ ઉત્પાદનનો આંક રૃપિયા ૫૫ કરોડ ટનને આંબી ગયો છે. દેશમાં ખેત પેદાશોનું રોજનું અબજો રૃપિયાનું ટર્નઓવર અને માર્કેટયાર્ડો પાસે અઢળક ધન હોવા છતાં ખેડૂતો માટે આ પૈસા ઉપયોગમાં લેવાતા નથી જો ખેડૂતો અને ગ્રાહકોને વધુને વધુ ફાયદો થાય તો કૃષિ બજાર વ્યવસ્થા મજબુત બને. આધુનિક જમાનામાં મુકત અર્થતંત્ર સાથે આજે નહીં તો કાલે કદમતાલ મિલાવ્યા વિના ચાલવાનું નથી.ખેતીમાં સમૃધ્ધિ વધવાથી કૃષિ બજારોની આવક પણ વધે તે પણ સ્વભાવિક છે. આથી આ આવકનો ઉપયોગ ખેતીક્ષેત્રે આધુનિકતા અપનાવવામાં થાય તે જરૃરી છે. જો એમ નહી થાય તો આ વ્યવસ્થા લંગડી બની જતા વાર નહી લાગે. ખેડૂતો જે ભાવે માલનું વેચાણ કરે છે તેનો ફાયદો ગ્રાહક સુધી પહોંચે તેવા પણ પ્રયત્નો કરવા જોઇએ. ખળાથી ખાનાર સુધીની ખેતી વ્યવસ્થા પણ ગોઠવવી પડશે. હાલમાં કૃષિ બજારો હોવા છતાં પણ ગ્રાહક અને ખેડૂત બંનેનું શોષણ થાય છે. માર્કેટયાર્ડો આધુનિક સુવિધાઓને નામે રોડ-રસ્તા, ભોજનાલય, હરાજી માટેના શેડ, કમ્પ્યુટરાઇઝડ માહિતી કેન્દ્ર બનાવી ખેડૂતોને સુવિધા પૂરી પાડવાનો સંતોષ માણી લે છે તેટલું પુરતુ નથી.
રાજ્યમાં કૃષિપેદાશોની આવકના આંક
(આવક ક્વિન્ટલ લાખમાં)
જણસ ૨૦૦૯-૧૦ ૨૦૧૦-૧૧
કપાસ ૩૮૯.૨૫ ૫૭૭.૯૪
ઘઉં ૨૧૩.૧૧ ૬૬૮.૯૮
ડાંગર ૧૭૮.૩૫ ૨૫૪.૧૨
જુવાર ૧૧.૪૫ ૨૮.૧૦
બાજરી ૨૭.૩૯ ૮૭.૧૪
મકાઈ ૧૪.૨૩ ૧૪.૦૪
અન્ય ૧૯૩.૮૦ ૧૦૮.૩૮
તુવેર ૬.૬૭ ૩૧.૫
ચણા ૨૨.૧૧ ૨૮.૨૫
અડદ ૯.૨૫ ૩૧.૨
મગ ૪.૯૨ ૩.૪૮
અન્ય ૧૯૦.૦૧ ૧૫.૭૭
મગફળી ૪૮.૭૩ ૬૦.૫
તલ ૧૫.૨૭ ૭૦.૧૫
એરંડા ૪૩.૫૫ ૧૫.૮૩
અન્ય ૨૨.૫૦ ૩૭.૧
લસણ ૨૭.૦૮ ૪૧.૩૪
ધાણા ૪.૩૬ ૯.૩૬
મરચાં ૩.૯૯ ૪.૦૦
વરિયાળી ૯.૩૭ ૨.૪
જીરું ૨૪.૪૮ ૭૫.૭૩
રાઈ ૨૪.૧૨ ૧૧૭.૬૪
ઈસબગુલ ૬.૧૬ ૨.૭૯