તમે જે મીઠાઈ ખાઈ રહ્યાં છો તે તેલની મિઠાઈઓ છે. તલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યાં છે. રોજની 3 લાખ કિલો મીઠાઈ બનાવટી મીઠાઈ આરોગી રહ્યાં છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસંસ આપી દીધા છે જે ગુજરાતના લોકોને બનાવટી મીઠાઈઓ ખવડાવી રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આવા લાયસંસ ન આપવા માટે કેન્દ્ર સરકારને 6 વર્ષમાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કેન્દ્રની ભાજપ સરકાર આવી બનાવટી મીઠાઈ માટે લાયસંસ આપી રહી છે.
દૂધ નહીં 100 ટકા તેલની મીઠાઈ
દરેક મીઠાઈની દુકાન મીઠાઈ ખાઈ રહ્યાં છો તે દૂધમાંથી બનેલી નથી હોતી પણ તે તેલ અને દૂધના પાઉડરથી બનેલી છે. તેની 100 ટકા ખાતરી આરોગ્ય વિભાગ આપે છે. બનાવટી માવો કે જેને સ્પેશિયલ બરફી તરીકે જથ્થાબંધ બનાવીને છૂટક વેપારીઓને આપવામાં આવે છે. જેમાંથી વેપારીઓ મીઠાઈ બનાવી રહ્યાં છે.
વર્ષે દરેક વ્યક્તિ બે કિલો ઝાપટે છે
વર્ષે 11થી 12 કરોડ કિલો માવો બનાવે છે. વ્યક્તિ દીઠ 2 કિલો માવો આવી મીઠાઈ બનાવવામાં આવે છે. તેનો સીધો મતલબ કે દરે વ્યક્તિ 2થી 3 કિલો મીઠાઈ માવાની નહીં પણ વનસ્પતી તેલની ખાય છે. જેમાં દૂધ ઘી હોતા નથી. માત્ર સ્વાદ હોય છે.
48 કિલોની મીઠાઈ 500માં વેચાય છે
48 કિલોના ભાવે વેપારીઓ લઈ જાય છે અને તેઓ તેમાંથી મીઠાઈ બનાવીને રૂ.300થી 500ના કિલોના ભાવે વેચે છે.
કાયદેસરની ભેળસેળ
કેન્દ્ર સરકારે બનાવેલા કાયદા પ્રમાણે છે. તે ગેરકાયદે નથી. 2004થી આ રેકેટ ચાલી રહ્યું છે.
7 દિવસમાં ખરાબ થઈ જાય
7 દિવસ જ તે ટકી શકે છે. તે પહેલા વાપરી નાંખવું પડે છે. નહીંતર ખરાબ થઈ જાય છે. તેથી જથ્થાબંધ-બલ્કમાં ઉત્પાદન કરીને તેને વેપારીઓને તુરંત ડીલીવર કરી દઈને મીઠાઈ બનાવી દેવામાં આવે છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ તેને બનાવતાં અટકાવી શકતું નથી. જેનો રોમટીરીયલ તરીકે ઉપયોગ વેપારીઓ કરે છે. તેલથી બનેલી સ્વીટને દૂધની સ્વીટ તરીકે લોકો હોંશથી ટન બંધ ખાય છે.