મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્રને મંજૂરી આપતી વેળાએ કોંગ્રેસના જ સભ્યોએ આરોપો મૂક્યા હતા. મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા છે. કોંગ્રેસના સભ્ય હરદેવસિંહ જાડેજાએ સામાન્ય સભામાં કોંગ્રેસ શાસિત પંચાયત પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા. જેમાં કમિટીઓના નામમાં પ્રમુખે ફેરફાર કર્યા હોય જે મામલે ઉપપ્રમુખે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું જેમાં પ્રમુખે ઉપપ્રમુખને વિશ્વાસમાં લીધા વગર જ કમિટી નામોમાં ફેરફાર કર્યાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને ફરીથી કોંગ્રેસનો જુથવાદ સપાટીએ જોવા મળ્યો છે. કોંગ્રેસના સદસ્ય હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કમિટીઓની રચના બાદ પ્રમુખે ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરાને વિશ્વાસમાં લીધા કે જાણ કર્યા વગર જ નામોમાં કરેલ ફેરફાર કર્યા અંગે પ્રમુખ અને ડીડીઓને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું જોકે બાદમાં મીડિયાના સવાલોના જવાબમાં કોંગ્રેસ સદસ્યે ગોળગોળ જવાબો આપ્યા હતા અને લેખિત નહિ પરંતુ મૌખિક રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું .