allgujaratnews.com દ્વારા આ અહેવાલ 28 એપ્રિલે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
પત્રકાર સંજય ત્રિવેદીએ પોતાની માસીએ યુકેના લેસ્ટરશાયરથી મોકલાવેલી એક તસવીરને ટ્વીટર પર મૂકીને અમદાવાદાના કમિશનર વિજય નહેરાને ટ્વીટ કરતાં તે બાબતને ગંભીર લઈને અમદાવાદ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પહેલા લંડન રહેતા તેમના માસી સ્મિતાબેન જોશીએ લેસ્ટરશાયરનો એક ફોટો મોકલ્યો હતો. જેમાં ગુજરાતીમાં લખેલું હતું કે પાન ખાઈને થુંકવું એ અસામાજિક છે અને આરોગ્ય માટે નુકસાનકારક છે. થુંકનારને 150 પાઉન્ડનો દંડ થશે. તેમણે ફોટો ફેસબુક પર મૂક્યો અને તેની લાઈનો પ્રેરણાદાયક મૂકી હતી.
તેમાં એક પ્રોફેસરે એવી કોમેન્ટ મૂકી કે બ્રિટનમાં ગુજરાતી બોર્ડ પ્રેરણાદાયક કે પછી પાન ખાઈને થૂંકનાર વ્યક્તિને કરાતો દંડ પ્રેરણાદાયક? અમુક ખટપટિયા લોકોએ એવી કોમેન્ટ મૂકી કે આ બાબત ગુજરાતીઓ માટે શરમજનક છે. ગુજરાતથી બ્રિટન જઇને પણ સીધા રહેતા નથી. ત્યાં જઈને પણ પાન ખાઈને પિચકારી મારે છે. આવી નકારાત્મક કોમેન્ટ પર બીજા લોકો પણ ચર્ચા કરવા લાગ્યા એટલે તે પત્રકારે પોસ્ટ ડીલીટ કરી નાખી હતી.
વિજય નહેરાએ આ રીતે જવાબ આપ્યો હતો
Thanks @vnehra sir pic.twitter.com/8iodsRaqq0
— Sanjay M. Trivedi (@editorasiatimes) April 23, 2019
બીજે દિવસે તેજ ફોટો સંજય ત્રિવેદીએ ટ્વિટર પર મૂક્યો હતો. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર તેમજ પીએમઓ અને રાષ્ટ્રપતિ ભવનને ટેગ કર્યા હતા. તેમાં લખ્યું કે પાન ખાઈને થૂંકવાથી અનેક બીમારીઓ ફેલાય છે. તો પછી યુ.કે.ની જેમ આપણા દેશમાં પાન ખાઈને થૂંકવાની પ્રવૃત્તિ અસામાજિક ગણી તેના પર દંડ કેમ ન લઈ શકાય ?
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ટ્વીટને લાઈક કરી હતી. તેમણે વિચારેલી યોજનાનો ઝડપથી દિશામાં વિચારી રાખેલા કાયદાનો અમલ થાય તે દિશામાં તજવીજ પણ હાથ ધરી. જાહેર જગ્યામાં થુકનાર વ્યક્તિઓને ઈ-મેમો મોકલવાનું પગલું લીધું હતું. પણ તે કાયદાથી ટકી શકશે કે કેમ તે એક સવાલ છે.
સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરીને આપણે સમાજ જીવનને સુધારવા કરી શકાય છે. તેનું ઉદાહરણ છે. દુરુપયોગ કરવામાં આવે તો સમાજમાં કોમવાદનુ ઝેર પણ ફેલાઈ શકે. જે ભાજપે લોકસભાની ચૂંટણીમાં લોકોને ઉશ્કેરવાનું વોટ્સ એપ અને ફેસબુક પર કામ કર્યું હતું એવું થાય તો દેશ બરબાદી તરફ જઈ શકે છે.