રાજકોટમાં રોગચાળો વકર્યોઃ તાવ, શરદી , મેલેરીયાના અનેક દર્દીઓથી દવાખાના ઉભરાયાં

રાજકોટ તા.૧૩ રાજકોટ શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હતો. સતત વરસાદી વાતાવરણ બાદ હવે ધીમેધીમે ઉઘાડ નિકળી રહ્યો  છે. જોકે વરસાદી પાણીને કારણે અને  ગંદકીની સાફ સફાઇમાં તત્પરતા નહીં દાખવી રહેલા મનપાના તંત્ર સામે રાજકોટવાસીઓામા રોષ જોવા મળી રહ્યો છે. મેલેરિયા નાબુદી અભિયાન અને વન-ડે-થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ ચાલી રહ્યાની જોર-શોરથી પ્રસિદ્ધ મેળવી ચૂકેલા મનપાના તંત્રની પોલ ખૂલી ગઇ છે. થઇ રહી છે  શરદી-તાવ-ઉધરસના  સેંકડો દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં અને દવાખાનાઓમાં સારવાર લઇ રહ્યા છે.  કેમકે છેલ્લા એક અઠવાડિયામાં રોગચાળામાં ૩૬૭ દર્દીઓ નોંધાયા છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે  સતાવાર જાહેર કરેલી વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ-શરદીના ૧૭૮ દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૩૮ દર્દીઓ, અન્ય તાવના ૩૮  દર્દીઓ ત્થા મરડાના ૯ અને કમળાના ર તેમજ મચ્છર જન્ય ડેંગ્યુના ૪ એમ કુલ ૩૬૭ જેટલા દર્દીઓ આરોગ્ય વિભાગમાં નોંધાયાં છે. આ રોગચાળાને કાબુમાં આરોગ્ય  તંત્ર દ્વારા મચ્છર નાબુદીમાં ૩૦૪૮ મકાનોના ફોગીંગ (ધુમાડો) કરાયેલ, ત્થા મચ્છરોનો ઉપદ્રવ ધરાવતી સ્કુલો, કોલેજો, હોટેલ, હોસ્પીટલ બાંધકામ  સાઇટ વગેરેમાં ૧૨૭ નોટીસો આપેલી હતી ૬૪ ખુલ્લા પાણીના તળાવમાં દવા છંટકાવ કર્યો હતો તથા ૭ર મકાન ધારકોને મચ્છરોના પોરા  મીસણ માટે ગપ્પી માછલીનું  વિતરણ પણ કરાયું છે. જયારે ફુડ વિભાગના અધિકારીઓએ ખાણીપીણાના ૧૮૧ વેપારીઓને ત્યાંથી ૪૫ કિલો અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો. અને ૩૭ વેપારીઓને  નોટીસો ફટકારી હતી.