રાજયની 150 શાળાઓમાં મંજુરી વગર ચાલતા ધો.12ના વર્ગોને મંજુરી કયારે?

અમદાવાદ,તા:૧૬

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ભૂલના કારણે નવી શાળાઓની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરી ન હોવાથી રાજયની અંદાજે 150 શાળાઓમાં ધો.૧૨ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ધો.૧૧ની મંજૂરી બાદ ક્રમિક વર્ગની મંજૂરીની દરખાસ્ત સ્વીકારવામાં આવી ન હોઈ શાળાઓને મંજૂરી મળી નથી. આ ૧૫૦ પૈકી ૧૦૦ શાળાઓમાં તો ધો.૧૨ના વર્ગો બે વર્ષથી મંજૂરી વગર ચાલે છે.

રાજયની 150 શાળાઓને ધો.12ની મંજુરી નથી

ગુજરાત માધ્યમિક  શિક્ષણ વિભાગ દ્વારા ગત  જૂન-૨૦૧૮માં ધો.૧૧ની મંજૂરી મળી હોય તેવી અંદાજે ૫૦ જેટલી શાળાઓ માટે ધો.૧૨ની મંજૂરી માટેની દરખાસ્ત સ્વીકારવા માટેની હજુસુધી જાહેરાત જ કરવામાં આવી નથી. નથી. જેના કારણે હાલમાં  ૫૦ શાળાઓ હાલમાં મંજૂરી વગર જ ચાલી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જૂન-૨૦૧૭માં મંજૂર થયેલી ધો.૧૧ની શાળાઓ પૈકી ૧૦૦ જેટલી શાળાઓ એવી છે કે જેમને હજુ સુધી ધો.૧૨ની મંજૂરી ન હોવાથી બે વર્ષથી મંજૂરી વગર જ ચાલી રહી છે. આમ, હાલમાં રાજ્યમાં ૧૫૦ જેટલી શાળાઓ ધો.૧૨ની મંજૂરી વગર જ ચાલી રહી છે.

શાળાઓને ક્રમિક મંજુરી આપવા શિક્ષણમંત્રીને પત્ર

ગતવર્ષે એટલે કે ભૂતકાળમાં પણ  ૨૦૧૭માં મંજૂર થયેલી ધો.૧૧ની શાળાઓ બાદ ધો.૧૨ની મંજૂરી આપવામાં આવી ન હોવાથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા ધો.૧૨ના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષા આવી ત્યારે ૧૦૦ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ કિસ્સામાં  અલગથી ફોર્મ ભરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી.  ૧૦૦ શાળાઓ અને જૂન-૨૦૧૮માં મંજૂર થયેલી ધો.૧૧ની શાળાઓમાં ધો.૧૨ના ક્રમિક વર્ગની દરખાસ્ત માટેની જાહેરાત ન આવવાના કારણે ધો.૧૨ની મંજૂરી વગર જ શાળાઓ ચલાવવાની ફરજ પડી છે. આ સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભાવિષ્ય સાથે ચેંડા ન થાય તે માટે  જૂન-૨૦૧૮થી ધો.૧૨ ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવાની જાહેરાત રાજ્યના વિદ્યાર્થીઓના લાભાર્થે ક્રમિક વર્ગો મંજૂર કરવામાં આવે તે માટે તાજેતરમાં બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.