ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાનુ આકોલવાડી ગીર ગામ વર્ષો પહેલાં આદર્શ ગામ તરીકે પ્રખ્યાત હતું. 15 હજાર લોકોની વસતી અને 5 હજાર પશુ ધરાવતાં આ ગામમાં 15 દિવસે પાણી આવે છે. પામી વેચાતું પાણી લેવું પડે છે. મત માટે રાજકારણીઓ આવે છે. 3 વિધાનસભાની ચૂંટણીમાં મત લેવા વચનો આપેલા હતા. પેટા ચૂંટણી વિજય રૂપાણી પાણી પુરવઠા વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે અહીં મત મેળવવા માટે કહ્યું હતું કે બીજી ચૂંટણી આવશે ત્યારે ગામમાં જામવાળાનું પાણી મળી જશે. હવે રૂપાણી મુખ્ય પ્રધાન બની ગયા પણ પાણી આવતું નથી. 2014માં પાણી આપવા વચનો અપાયા હતા. 2016માં પાણી આપવા માટે ફરી વચનો ભાજપના નેતાઓએ આપ્યા હતા. સરકારે 2017માં ખાતમૂહુર્ત કરી દીધું. જંગલ ખાતાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી પણ ગુજરાતના વન પ્રધાન વસાવાએ બે વર્ષથી મંજૂરી આપી નથી. જંગલની જમીન પરથી પાઈપ લાઈન પસાર થવાની છે. પાંચ ગામને પાણી જામવાળા પાઈપલાઈનથી આપવાનું થાય છે. રૂ.8 કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણી પૂરવઠા જૂથ યોજના ચાલુ થઈ નથી.
ભાજપ સરકારનું જુઠ એ છે કે, 10 ટેન્કર મંજૂર કર્યા પણ એક ટેન્કર આવતું નથી.
2016માં તો આકોલવાડી ગીરમાં પાણીના તંગી ઊભી થતા બેડા સરઘસ કાઢીને મહિલાઓએ વિરોધ કર્યો હતો. બેડા લઇને સરપંચ, તાલુકા સભ્ય અને તાલુકા પ્રમુખના ઘેર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ભાજપ સરકારની નિષ્ફળતા તથા આંતરીક ખટપટના લીધે પાણીની સમસ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સૌથી મોટા અને ૧૨ હજારથી વધુની વસ્તી ધરાવતા આકોલવાડી ગીર ગામના લોકો અને હજારોની સંખ્યામાં પશુધન પાણી માટે વલખા મારે છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગૃહિણીઓ અને વયોવૃદ્ધ મહિલાઓ ને પણ પાણી ના એક બેડા માટે રઝળપાટ કરવી પડી રહી છે.