રૂ.400 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. રૂ.4000 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર (ઉપનેતા, ગુજરાત વિધાનસભા), હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીનભાઈ શેખ, ઈમરાનભાઈ ખેડાવાલા, બળદેવજી ઠાકોર, ઋત્વિકભાઈ મકવાણા, ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર, પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર, સાગરભાઈ રાયકા, પૂર્વ મંત્રી કરસનદાસ સોનેરી, એ.આઈ.સી.સી.મંત્રી સોનલબેન પટેલ, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. મહિલા કોંગ્રેસ, કોંગ્રેસ સેવાદળ સહીત મોટી સંખ્યામાં કાર્યકર-આગેવાન ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકારે એમ.એસ.પી. (MSSPP) ભાવ જાહેર કરી મગફળી ખરીદવાનું ચાલુ કર્યું ત્યારે કોંગ્રેસ ધારાસભ્યોએ મગફળી કૌભાંડની રજૂઆત કરી હતી. પણ ભ્રષ્ટાચાર છુપાવવા ભાજપ સરકારે આંખ આડા કાન કર્યા હતા. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ મગફળી કૌભાંડ ઉજાગર કર્યો હતા.
રૂ.4000 કરોડના મગફળી કૌભાંડનો ર્દાફાશ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, મુઠ્ઠીભાર લોકોને પકડવામાં આવી રહ્યા છે. પણ મૂળ ભ્રષ્ટાચારી મળતીયાઓને ગુજરાત સરકાર કેમ પકડતી નથી ? એક એક આગેવાનોએ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી તમામ ભ્રષ્ટાચારીઓ પકડાય નહિ ત્યાં સુધી વિવિધ આંદોલન રૂપી કાર્યક્રમો કરવામાં આવશે. આવનારા દિવસોમાં વિધાનસભા સત્રમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, 257 મંડળીઓ દ્વારા કરેલ રૂ.4000 કરોડના ભ્રષ્ટાચારમાં 29 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે તે પૂરતા નથી. આ રૂ.4000 કરોડના મગફળી કૌભાંડમાં મલાઈ કોણે કોણે ખાધી ? મંડળીઓના માલિકોના ગોડાઉન કેમ સળગાવવામાં આવ્યા તેની ન્યાયિક તપાસની માંગણી કરી હતી.
એ.આઈ.સી.સી.ના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોની મગફળી કૌભાંડમાં તમામ ભ્રષ્ટાચારીઓ નહિ પકડાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વિશ્વનો સૌથી મોટો રૂ.61,000 કરોડનો રાફેલ ગોટાળામાં ભ્રષ્ટાચાર થયેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફ્રાંસ ગયા ત્યારે રાફેલ સોદો નક્કી કરાયો હતો અને ત્યારે સંરક્ષણ મંત્રી ગોવામાં માછલીઓ ખરીદતા હતા. આવનારા દિવસોમાં આ વિશ્વના મોટા રાફેલ ગોટાળાને પ્રજા સમક્ષ ઉજાગર કરીશું.
એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મધુસુદનભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના માનીતા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે રાફેલ સોદામાં પોતે સહી કરી છે. ડીફેન્સ કમિટીની મીટીંગ સમયસર બોલાવવામાં આવતી નથી. કારણ કે રાફેલ મુદ્દે જવાબ આપવા પડે. પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે કરેલા ઉચ્ચારણોમાં રાજદ્રોહનું કેસ કરવો જોઈએ તેવી માંગણી કરી હતી. તેમજ સંસદમાં વડાપ્રધાને કરેલ બિનસંસદીય ટીપ્પણી અંગે પ્રથમવાર શબ્દો સંસદમાંથી દુર કરવામાં આવ્યા હતા. તે વડાપ્રધાન માટે શરમજનક કહેવાય.