લુપ્ત થતા ઘોરાડ પક્ષીની માદા માટે રાજ્સ્થાનથી નર ન આવ્યો

ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વન વિભાગ કેન્દ્ર સરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરવા નક્કી કરાયું હતું.

ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું. રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સેવાઓનું સામૂહિક સન્માન-પ્રોત્સાહનનો એક કાર્યક્રમ યોજાશે.

બાલાસિનોરના રૈયાલીમાં પ્રવાસન વિભાગે ડાયનાસોર પાર્ક તૈયાર કર્યો છે તેની નજીક વાઇલ્ડ લાઇફ ટૂરિઝમ વિકસાવાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કચ્છમાં બસ્ટાર્ડ ઘોરાડ પક્ષીની પ્રજાતિના વિકાસ હેતુ રાજ્સ્થાનથી મેઇલ બસ્ટાર્ડ લાવવા માટે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનની આગામી બેઠકમાં નક્કી કરાશે.

ગીરના જંગલ વિસ્તારમાં અને તેની આસપાસના વિસ્તારમાં કામ કરતા ટ્રેકર્સ માટે તથા ફ્રન્ટ લાઇન સ્ટાફ માટે આગામી ૧પ તારીખથી એક માસનો વિશેષ તાલીમ કાર્યક્રમ વન વિભાગ યોજવાનું છે.

રાજ્યની યુનિવર્સિટી-કોલેજોના ઝૂઓલોજી વિષયના તેમજ પ્રાણી- વનસ્પતિશાસ્ત્રના BSC, MSCના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૪ માસ માટે પ્રોજેકટ કરવા માટે વન વિભાગ તરફથી અપાતી પરવાનગી ત્વરીત આપવા કહેવાયું છે. વન વિભાગ અને શિક્ષણવિદોનો આવી પરવાનગી સમિતિમાં સમાવેશ કરવા કહેવામાં આવ્યું છે.

વન્ય પ્રાણીસૃષ્ટિ સાથે સંકળાયેલા માનદ સભ્યોના સૂચનો પ્રત્યે પણ સકારાત્મકતાથી વન વિભાગ – રાજ્ય સરકાર  વિચારણા કરશે.  ગુજરાતની વન્ય પ્રાણીસૃષ્ટિ, રાષ્ટ્રીય ઊદ્યાનો, ઇકો સેન્સીટીવ ઝોનની ગતિવિધિઓ, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાંખવા જેવા એજન્ડા વિષયો ઉપર બેઠકમાં ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.