નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય, ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અને ભરૂચની દૂધધારા ડેરીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદાની મુખ્ય નહેર બંધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે પોતાના સંકેડો કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક જનતા સાથે કેવડીયા કોલોની કૂચ કરી હતી. પોલીસે મહેશ વસાવા સહિત ૪૦૦ કાર્યકરોની અટકાયત કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું કહતું. દરવાજા બંધ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવવાની ચીમકી આપી હતી. અટકાયતના વિરોધમાં ધારાસભ્ય અને ટેકેદારો રસ્તા પર બેસી ગયા હતા અને મોદી અને રૂપાણીની હાય હાય બોલાવી હતી. ઘણી સમજાવટ બાદ ૪૦૦ જેટલા કાર્યકરોને જીતનગર હેડ ક્વાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા હતા. 31 મે સુધીમાં જો સમગ્ર ગુજરાતમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે એરપોર્ટ રેલવે અને ગુજરાતના તમામ માર્ગને અને ગુજરાતની મુખ્ય મુખ્ય જગ્યાઓ છે એ તમામ જગ્યાઓએ બંધ પાડવામાં આવશે. 13 મી મે 2019 સુધી સમગ્ર નર્મદામાં પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો નર્મદા ડેમની મુખ્ય કેનાલના ગેટ બંધ કરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવીશું એવી ચીમકી આપી હતી. જેમાં 2 SP, 4 DYSP, 8 PI સહિત 400 થી વધુ પોલીસનો કાફલો તૈનાત હતો,સાથે સાથે સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું હતું.
દરવાજા બંધ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવવાની ધારાસભ્ય મહેશ વસાવાની ચીમકી
આશ્રમ પર બબાલ
ડેડીયાપાડાના ખોખરામર ગામે 1982 થી કાર્યરત ભારત સેવાશ્રમના છાત્રલાયમાં 55 જેટલા આદિવાસી બાળકો રહીને આજુબાજુની શાળામાં અભ્યાસ કરે છે. બોધમિત્રાનંદ સ્વામી આ આશ્રમના સંચાલક છે. ડેડીયાપાડા ધરાસભ્ય મહેશ વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ આ સંસ્થાને બદનામ કરવા કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ બોધમિત્રાનંદ સ્વામીએ લગાવ્યો હતો. નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. પોતાના ટેકેદારો સાથે એ આશ્રમ પર ગયા હતા. જાહેર રેડ કરી ચેકીંગ કરીને સંચાલકો પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. બંધ દરવાજાના તાળા પણ તોડી નાખ્યા સહિતની કામગીરીથી વાતાવરણ તંગ બની ગયું હતું. તમે બાળકોને રાખી ધાર્મિક પ્રવૃત્તિ કેમ કરો છો, બાળકોને બરાબર સગવડ કેમ આપતા નથી, તમે જે જુના ગૃહપતિને છુટા કર્યા છે એમને પરત નોકરી પર રાખવા જ પડશે. એમ ધરાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું. બાદમાં ધારાસભ્યએ મામલતદાર,TDO અને ડેડીયાપાડા PSIને પણ બોલાવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે ધારાસભ્ય અને કારોબારી ચેરમેન હિન્દૂ સંસ્કૃતીનાં કટ્ટર વિરોધી છે. હિન્દૂ સંસ્થાને દબાવવાના પ્રયાસ કર્યો છે. ભારત સેવાશ્રમનાં ડેડીયાપાડા શાખાના સંચાલક બોધમિત્રાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો કે ધારાસભ્ય 100 લોકોના ટોળા સાથે આશ્રમ પર ધસી આવ્યા હતા.અને મને ધમકીઓ આપી છે. ટોળાએ કેટલીક રૂમના તાળા પણ તોડયા હતા.
મનસુખ વસાવાએ હુમલો કરાવ્યો
મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેકટરને એક પત્ર લખ્યો છે. એમાં જણાવ્યું છે ચૈતર વસાવાને પાસા થયા એમા મારો કોઈ જ હાથ નથી. બે દિવસ પહેલા મહેશ વસાવા અને ચૈતર વસાવાએ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી મનસુખ વાસાવા ના ઇશારે મારી પત્ની અને માતા બહેન ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારા ઘર પર પથ્થર મારો કરવા કરવામાં આવ્યો એ બાબતે જો પોલીસ પગલાં નહીં ભરે તો આખો મારો પરિવાર કલેકટર ઓફીસ સામે ભૂખ હડતાલ પર બેસીસુ ની લેખિત અને મૌખિક રજુઆત કરતા 23 મી મેં ના પરિણામ કોઈ પણ આવે એ પહેલાં રાજકીય વોર નર્મદા જિલ્લા માં છેડાઈ ચુક્યું
પાણી આપો
આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લો નર્મદામાં હવે પાણી પ્રશ્ને આંદોલનનાં ભણકારા વાગી રહ્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવા એ રાષ્ટ્રીય જળનીતિ 2002 નો અમલ કરી ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનું ઉભુ થયેલું જળ સંકટ નિવારવા રાજ્યપાલને સંબોધતું આવેદન નિવાસી અધિક કલેકટરને આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગામડાઓમાં આજે પણ મહિલાઓં 2 – 3 કિલોમીટર સુધી માથે બેડા મૂકીને પાણી ભરવા જાય છે. નર્મદા જિલ્લામાં આટલો મોટો નર્મદા ડેમ આવેલો છે, ત્યારે એ પાણી સૌરાષ્ટ્રમાં આપવામા આવે છે, અને ગુજરાતના ઉદ્યોગોને આપાય છે. સાગબારાની કરજણની અને હાંફેશ્વરની પાણી યોજના ફેઈલ થઈ છે. લોકોને પાણી મળતું નથી. ડુંગરાળ વિસ્તારમાં પાણી મળતું નથી માટે જો 13 તારીખ સુધી ટેન્કર થી પણ પાણી આપવાની વ્યવસ્થા નહિ થાય તો અમે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીને સૌરાષ્ટ્ર જતું પાણી અટકાવીશું. ની ચીમકી આપી છે.
અનાજ મળતું નથી, ક્યાં જાય છે
જિલ્લામાં સસ્તાનાજની દુકાનમાં દુકાનદારો તંત્રની બેદરકારીથી બેફામ થઇ ગયા છે અને ગ્રાહકોને આનાજ પૂરતું મળતું નથી. રાજપીપળાના ગોડાઉન માંથી આનાજ આવે છે તેમાં 4 થી 5 કિલો ઘટ આવે છે. તો શુ ગોડાઉમાંથી કાઢી લેવામાં આવે છે કે પછી રાજ્યમાંથી ઓછું આવે છે. એકદમ હલકી ગુણવત્તા હોય તો પછી પુરવઠા વિભાગ શું જુવે છે. મહેશ વસાવા એ રજુ કરી બાળકો ભોજન કરે છે જે સળેલા આનાજ થી સંચાલકો બનાવે છે. જેમાં ગુણવત્તા જળવાતી નથી. પૂરતું આનાજ આપતા નથી અને ગોડાઉન માંથી પણ આનાજ ઘટ આવતું હોવાની ફરિયાદો લોકો મને કરે છે.
હેન્ડપંપ બંધ
ડેડીયાપાડા માં હેન્ડપંપો બંધ છે પાણી માટે લોકો વલખા મારે છે સાથે આજે આઝાદીને 70 વર્ષો વીત્યા છતાં ડેડીયાપાડા સાગબારા સહીત નર્મદા ના કેટલાય આદિવાસી ગામો છે જ્યા વીજળી નથી રસ્તા નથી શિક્ષણની આરોગ્યની સુવિધા નથી જે બાબતે સંકલનમાં પ્રશ્ન પર રજુઆતે તાત્કાલિક પગલાં ભરવા સૂચન કર્યું છે.
નર્મદા નદીમાં ભૂમાફિયાએ બનાવેલા ગેરકાયદે રસ્તા મામલે MLA મહેશ વસાવાએ રોષ વ્યક્ત કર્યો