વાઘણીનું પુતળું સળગાવ્યું અને મહિલાઓ દાઝી

રાહુલ ગાંધી પર વિવાદીત નિવેદન આપીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ફસાયા છે, તેમને કહ્યું હતુ કે રાહુલ સિક્યુરીટી વચ્ચે સ્તનપાન કરતા હતા, જેનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વાઘાણીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ, જો કે પૂતળા દહન દરમ્યાન કોંગ્રેસની ત્રણ મહિલા કાર્યકર્તાઓ દાઝી ગઇ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે.

મહિલા કાર્યકરો પૂતળા પર હાથ વડે માર મારતી હતી, આ સમયે એક મહિલાએ પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપતા જ્વાળા ભભૂકી ઉઠી હતી અને મહિલાઓ દાઝી ગઇ હતી.

બીજી તરફ ભાવનગર કોંગ્રેસ દ્વારા જીતુ વાઘાણીનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી છે, જેને લઇને ભાવનગર સ્થિત વાઘાણીના નિવાસસ્થાને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે આ મામલે જીતુ વાઘાણીએ માફી માંગી લીધી છે.