વિશ્વ વિખ્યાત ‘દિગ્જામ’ બ્રાન્ડના કાપડનું ઉત્પાદન કરતી જામનગર સ્થિત કંપની હાલ બંધની સ્થિતિમાં છે. ઊનના કાપડની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા મીલનાં વળતા દિવસો શરૂં થયા હતાં. મીલની કરોડો રૂપિયાની જમીન છે. દિગ્જામ મીલની વિશાળ જમીન ઉપર પણ કેટલાંકની નજર બગડી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો હોવાનું સંબંધિત વર્તુળોએ જણાવ્યું હતું.
ફેબ્રુઆરી- 2018થી દિગ્જામ મીલમાં વિવિધ કાપડનું ઉત્પાદન બંધ કરી દેવાયું છે. એક ડઝન જેટલા વિભાગોનું કામકાજ સ્થગિત છે. દિગ્જામ મીલમાં આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે, 600 કામદારોના પગાર છેલ્લા બે વર્ષથી નિયમીત રીતે થતા નથી. અગાઉ 3500 કામદારો કામ કરતા હતા. દોઢ વર્ષથી ઉત્પાદન બંધ છે. કામદારોએ સહકાર આપ્યો છે. મીલના લેણદારોએ કેસ કરતા હાલ એનસીએલટી દ્વારા નિમણુંક થયેલા આઇઆરપી દ્વારા મીલનો કબજો સંભાળ્યો છે. કાપડ દેશવિદેશમાં પ્રખ્યાત છે અને તેના લીધે જામનગરની એક આગવી ઓળખ પણ છે.
વિજય રૂપાણીની સરકારને લેખિત રજુઆત કરવામાં આવી છે. છતાં સરકારે કોઈ પગલાં લીધા નથી. અહીં ભાજપના સંગઠન મહા મંત્રી ભીખુ દલસાણીયા, કૃષિ પ્રધાન રણછોડ ફળદુ જેવા નેતાઓ છે પણ તેઓ કંઈ કરતાં નથી. અહીં રૂ.2000 કરોડની જમીન છે. હવે આ જમીન અમદાવાદની જેમ કરોડોની કટકીથી વેચાઈ જશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોટન, લીનનની ભરપૂર માંગ તેમજ તેની સામે વુલન મોંઘુ બન્યું છે. કોટનની વધુ માંગ, મોંધુ વુલન ઉપરાંત ટેક્સ સ્ટ્રકચરમાં ફેરફાર પણ મહત્ત્વનું પરિબળ ગણાવાઈ રહ્યું છે. લોકોની કાપડ પ્રત્યેની પસંદગીના ધોરણો બદલાતા ‘દિગ્જામ’ બ્રાન્ડ કાપડની માંગ ઘટતા મીલને બંધ થઈ રહી છે.
70 વર્ષ પહેલા બીરલા બીએસએલના નામથી શરૂં થઈ હતી. દિગ્જામ મીલ વિશ્વ વિખ્યાત ‘દિગ્જામ’ બ્રાન્ડ સુટ રેન્જ બનાવ્યું જેનું નામ આજે પણ વિશ્વમાં છે. જામનગરના રાજવી પરિવારના નામ સાથે જોડાયેલ એવી ખાનગી માલિકીવાળી દિગ્જામ વુલન મીલ્સ જાણીતી બ્રાન્ડ છે. દિગ્જામ વુલન મીલ્સનું કાપડ વિદેશમાં ખુબ માંગ હતી. કાપડ અને શાલનું ઉત્પાદન અને વેચાણ સારૂ હતું.
કામદારોના આઠ-આઠ મહિનાથી પગારથી વંતીત રહ્યા છે. સંચાલકો દ્વારા કામદારના પી.એફ.ની રકમ પણ જમા કરાવી નથી. કામદારોને પગાર ચુકવાની સાથે કંપની બંધ થવા અંગેની જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરી હતી. દિગ્જામ મીલમાં ભારતીય મઝદુર સંઘ- ઇન્ટુક અને મજૂર મહાજન સંઘ સંલગ્ન યુનિયનો તેમજ અન્ય યુનિયનો સો કામદારો- કર્મચારીઓ સંકળાયેલા છે.
વિશ્વની બ્રાંડનું પ્રદુષણ
2014માં કંપની સામે પ્રદુષણની ફરિયાદો થઈ હતી. મીલ આજુબાજુ ગરીબ લોકોની કોલોની છે. કંપનીની ચીમનીમાંથી તથા ખુલ્લામાં પડેલા દ્રવ્યોમાંથી રજકણ અને ભુકી ઘુમાડા સાથે ઉડીને આજુબાજુ થર જામતા હતા. તેથી આજે પણ આસપાસ લોકો બિમાર છે. દુર્ગંધ ફેલાવતું રસાયણયુકત વેસ્ટ પાણી રાત્રે બહાર છોડાતું હતું. એસીડ જેવા જલદ દ્રવ્યો અહીં ઉપયોગમાં લેવાતા હતા, નાના તળાવમાં ભેગું કરી પ્રોસેસ કરીને સુકવીને પાવડર જેવું મટીરીયલ તૈયાર થતું તે ચોરીછુપીથી બહારના આજુબાજુના વિસ્તારમાં ફેંકી દેવાતું હતું.