વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર હુમલો

અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
મેઘાણીનગર ભાર્ગવ રોડ પર આવેલી વિદ્યાનગર ચોકી પાસે સાંજે સાત વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓના સ્નેહમિલનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી અને સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતા. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જ દિવાલની બીજી તરફથી પથ્થરો ફેંકાવાના શરૂ થયા હતા. જેમાં એક મોટો પથ્થર ધાનસિંગ સિકરવાર નામના યુવકને માથામાં વાગતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. જ્યારે બીજો પથ્થરો ધારાસભ્ય બલરામ થાવણીની કાર પર પડતા તેમની ગાડીનો કાચ તુટી ગયો હતો. જો કે, ગાડી વચ્ચે આવી જતા બીજા કેટલાક લોકો ઇજા થતા બચી ગયા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઉપરાંત અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. આ મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

બલરામ થાવાણીની કાર પર હુમલો. બજારમાં તેનું નામ ગાજેલું છે. પણ વિશ્વ હિન્દુ પરિષદને તેની સાથે કંઈ લેવા દેવા નથી.

રામ મંદિરનો ચૂકાદો આવવાનો હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ શાંતિ સંઘની બેઠકો કરી રહ્યાં છે. મીડિયા સાથે વાત ન કરવા કે પોસ્ટ ન મૂકવા માટે સંઘની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ અગાઉ 3 જુન 2019માં

અમદાવાદના નરોડના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ એક મહિલાને લાતો મારતો વીડીયો વાયરલ થતા ભાજપ માટે શરમજનક સ્થિતિમાં મુકાઈ જવા જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. પાણી માટે રજુઆત કરવા આવેલા એક મહિલા સામે ઉશ્કેરાઈ જઈને મહિલાને લાતો મારી હતી.

પછી ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહીલાની માફી માંગી હતી. ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ  ધારાસભ્યની ખેંચી હતી. ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડા તથા અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા ભાજપના ધારાસભ્યની આકરી ટીકા કરી હતી. ભાજપના રાજમાં ફરીથી મહીલાઓ સુરક્ષિત નથી.

મહિલા આયોગ દ્વારા પોલીસ પાસેથી વિગતો મંગાવી હતી. ભાજપે આ ધટના અંગે કોઈ પગલાં ભર્યા ન હતા. હવે આ પ્રકરણ અંગે પથ્થર મારાને કે હુમલાને કોઈ સંબંધ છે કે કેમ તે અંગે ભાજપના કાર્યકરોમાં ચર્ચા જાગી છે.