વીજ કરંટથી 655ના મોત, છતાં જીઈબીને 420 વોલ્ટનો ઝટકો નથી લાગતો

2016-17મા ગુજરાતમાં 315 માણસો અને 460 પશુઓના મોત ગુજરાત વિદ્યુત બોર્ડના વીજળીના વાયરથી લાગતાં કરંટથી મોત થયા હતા. જેમાં દર વર્ષે 12 ટકાનો વધારો થઈ રહ્યો છે. 2015-16મા 408 પશુના મોત થયા હતા. 2017-18મા તે આંક વધીને 500 ઉપર પહોંચ્યો હોવાનો અંદાજ છે. આ વર્ષે મોટા પ્રમાણમાં પશુઓના મોત વીજળી કંપનીઓની બેદરકારીના કારણે થયા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં અબ્રામા ગામના ખેતરમાં ગાય જીવંત ઇલેક્ટ્રિક તાર અડી જતા મોત થયું હતું જ્યારે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે 600 જેટલાં માણસો વીજ વાયરના કારણે મોતને ભેટે છે. 2018-19માં ગુજરાતમાં 655 લોકો વીજ વાયરના કારણે મોતને ભેટે છે.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબ્રામા ગામે ભરથાણા જતા રોડની બાજુમાં ઠાકોર ભાઇ ભવન ભાઇ આહીર (ઉ.વ. 45) પોતાની ગાયો ચરાવા માટે ગયા હતા. અબ્રામા ખાડી ફળીયામાંથી ગામની સીમમાં પહોંચેલી ગાયોના ઝૂંડ પૈકી એક ગાય ચરતા ચરતા રોડની બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક થાંભલાનો જીવંત તાર નીચે પડેલો હોય જેને અડી જતા વીજ કરંટ લાગતા ગાયનું ઘટના સ્થળે મોત થયુ હતું.

રાજ્યમાં 2017-18મા કુલ 333 લોકોના મોત થયા હતા. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ની રાજ્ય સલાહકાર સમિતિની 25મી બેઠકમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મંગળવારે જાહેર કર્યા હતા. છેલ્લા વર્ષે વીજ દુર્ઘટનામાં 352 લોકો મૃત્યુ પામ્યા હતા. ઘર અને ઘરની બહાર વીજ કરંટથી થતાં આ મોત છે. વીજળીનો આંચકો તે માટે જવાબદાર છે. ખામીવાળી વાયરિંગ અને અનધિકૃત જોડાણો તે માટે જવાબદાર હોય છે. પાવર કંપનીઓ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં અકસ્માતો પણ થાય છે. સલાહકાર સમિતિએ આ આંકડાઓની સમીક્ષા કરી અને ભવિષ્યમાં આવા અકસ્માતોની ઘટનાને અટકાવવા વિતરણ કંપનીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હોવા છતાં અમદાવાદ અને સુરત, ગાંધીનગરની ટોરેન્ટ પાવર સહિતની કંપનીઓ આ રીતે બેદરકારી બતાવી રહ્યાં છે. જમીનની અંદર કેબલ નાંખવામાં આવે તો આ મોત બચાવી શકાય તેમ છે. માણસોના મોત માટે સૌથી વધુ સંખ્યા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં નોંધાઈ છે. ટોરેન્ટ પાવરના વિસ્તાર સુરતમાં સાત માણસોના મૃત્યુ થયા છે. વીજ કરંટથી બચી ગયા હોય એવા 2016-17મા 256 બનાવોમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 226 હતી. વીજપ્રવાહમાં મૃત્યુ પામેલા પ્રાણીઓની સંખ્યા 494 હતી, જ્યારે તે અગાઉના વર્ષમાં 460 જેટલી હતી. આવા અકસ્માતોમાં જાનહાનિ છેલ્લા ચાર વર્ષોમાં સૌથી વધુ છે.
આ મોટાભાગના અકસ્માતોમાં કૃષિ ક્ષેત્રની આસપાસ રક્ષણાત્મક વિદ્યુત વાડ જવાબદાર ઠેરવવામાં આવે છે પણ વીજ કંપનીઓના કેબલથી વધારે મોત થતાં હોવાનો લોકોનો અનુભવ છે.

494 પ્રાણીના મૃત્યુના કુલ 249 એટલે કે કુલ 50%થી વધુ, PGVCLના વિસ્તારમાં થયા છે. જ્યારે UGVCL (88), MGVCL અને DGVCL દ્વારા 72 મૃત્યુ થયા હતા. ટોરેન્ટ પાવર અમદાવાદ દ્વારા 13 પ્રાણીઓના મૃત્યુ થયા હતા. સુરતમાં ટોરેન્ટના વિસ્તારમાં પ્રાણીઓની જાનહાની એક પણ થઈ ન હતી એવો દાવો કરવામાં આવે છે.

2014ની નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોની વિગતો

મધ્યપ્રદેશમાં વીજપ્રવાહ દ્વારા કુલ આકસ્મિક મૃત્યુની સંખ્યા 1664 હતી. જે વર્ષ દરમિયાન ભારતમાં વિદ્યુતપ્રવાહ દ્વારા કુલ અકસ્માતોના મૃત્યુના 17.32% હતા. મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક્યુશન દ્વારા આકસ્મિક મૃત્યુની કુલ સંખ્યા 2014મા 1,373 હતી, જે વર્ષ દરમિયાન ભારતમાં વીજપ્રવાહના કારણે કુલ અકસ્માતોના મૃત્યુના 14.29% હતા. વર્ષ 2014મા રાજસ્થાનમાં વીજળી દ્વારા થયેલા અકસ્માતોની કુલ સંખ્યા 995 હતી, જે વર્ષ દરમિયાન ભારતમાં વીજળી દ્વારા થયેલા કુલ અકસ્માતોમાં 10.36% હતી.

વર્ષ 2014મા ઉત્તરપ્રદેશમાં ઇલેક્ટ્રિક દ્વારા થયેલા અકસ્માતોના કુલ મૃત્યુની સંખ્યા 623 હતી, જે વર્ષ દરમિયાન ભારતમાં વીજપ્રવાહના કારણે કુલ અકસ્માતોના મૃત્યુના 6.49 ટકા હતા. વર્ષ 2014મા ગુજરાતમાં વીજપ્રવાહ દ્વારા થયેલા અકસ્માતોના કુલ મૃત્યુની સંખ્યા 586 હતી, જે વર્ષ દરમિયાન ભારતમાં વીજપ્રવાહ દ્વારા થયેલા કુલ અકસ્માતોમાં 6.1 ટકાનો વધારો દર્શાવે છે. વાસ્તવમાં, આ ટોચની 5 રાજ્યોમાં 2014 દરમિયાન ભારતમાં વિદ્યુતપ્રવાહ દ્વારા કુલ આકસ્મિક મૃત્યુની કુલ સંખ્યાના અડધાથી વધુ એટલે કે 54.56% નો હિસ્સો છે.

ગુજરાત:

ગુજરાતમાં વીજપ્રવાહ દ્વારા થયેલા અકસ્માતોના કુલ મૃત્યુની સંખ્યા 586 હતી. જે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હોય એવી હતી. જેમાં પુરુષોની સંખ્યા 504 છે જેમાંથી 62 બાળકો હતા. 30 અને 45 વર્ષના પુરુષો વીજ કરંટથી વધારે મોતને ભેટે છે. 18થી 29 વર્ષ સુધીના 169 પુરુષો અને 30થી 44 ઉંમરના 170 પુરુષો મોતને ભેટ્યા હતા. કુલ 82 મહિલાઓના મોત વીજ કરંટથી થાય છે.

2018મા બનેલી મોતની ઘટનાઓ

– તાપીના મેઢા ગામમાં વીજ કરંટે એક જ પરિવારના ૩નો ભોગ લેવાયો.

– વીજ કરંટથી ગાંધીનગર જિલ્લાનાં મગોડીમાં કાળસંગભાઇ રાયસંગભાઇ રબારીની ભેસો ચરવા નિકળી હતી ત્યારે એક પાડરડુ વીજ ડીપીને અડી જતાં મોત થયું હતું.

– નલિયાના ડો.બાબાસાહેબ સ્મારક પાસે આવેલ વીજ તંત્રની ડીપી પાસે વીજ પ્રવાહના સંપર્કમાં આવતા ર રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયો હતા.

– ભેસાણ તાલુકાના ચણાકા ગામના રહેવાસી જયેશભાઇ માંડવિયાનું PGCLનુ ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે વીજ કરંટ લાગતા મોત થયું હતું. આ પહેલા જયેશભાઇના પરિવારના બે વ્યક્તિના મોત વીજ કરંટ લાગવાથી થયા હતા.

– ફતેપુરા તાલુકાના આફવામાં ઘર આગળ વીજ થાંભલા પાસે શૌચક્રિયા કરતીવેળા કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બાબતે સુખસર પોલીસે ગુનો નોંધ્યો હતો.

– બનાસકાંઠાના ડીસાના ભોયણ પાસે લક્ઝરી બસ પર ડ્રાઈવર સફાઈ માટે ચઢેલી યુવકનું ઉપરથી પસાર થતાં વાયર અડી જતાં વીજ કરંટથી યુવકનું મોત થયું હતું.

– વડોદરામાં પિતા પુત્રના વીજ કરંટથી મોત મામલે તપાસની માંગણી સાથે જીઈબીને આવેદન આપ્યું હતું.

– આણંદ વિદ્યાનગર રોડ પર ગરબા મેદાનમાં વાયરિંગ કરતા યુવકનું કરંટથી મોત થયું હતું.

– જામનગરના વસઈ ગામથી જાન લઈને નાનીખાવડી પહોંચેલા રબારી પરિવારના 13 વર્ષના બાળકનું વીજ કરંટથી મોત થયું હતું.

– મહુવાના ભાદ્રોડ નજીક આ ગૌરવયાત્રાને આવકારતા બેનરો લગાવતા લોખંડની એંગલ વીજ વાયરને અડકી બે મજૂરોના વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા.

– સાવરકુંડલામાં 1 સિંહ અને 10 નીલગાયના મોત વીજ કરંટથી થયા હતા. આ બનાવમાં વનતંત્રે વાડી માલીક પિતા-પુત્રની ધરપકડ કરી હતી. અનેક વખત ગીર અને આસપાસના વિસ્તારોમાં વીજ કરંટના કારણે અનેક સિંહોના મોત થયા છે.

– જસદણના વિરપર ભાડલામાં શેઢા પડોશીએ તારમાં વહેતા કરેલા કરંટથી પરષોત્તમભાઇ સોલંકીનું મોત થયું હતું.

– સુરતમાં વીજ કરંટને કારણે સુરતમાં એક માસમાં 4ના મોત થયા છે. વીજ કરંટથી મોતની બંને ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. વીજ કામ કરવા થાભંલા પર ચઢેલા યુવકનું મોત થયું છે

– ભાદરણના ફાર્મ હાઉસમાં વીજ કરંટથી મોત થયું હતું.

-અમરેલીના ખાંભાના નવા માલકનેસમાં વીજ કરંટથી દિપડીનુ મોત થયું હતું.

– ધોરાજીમાં રમાબેન પટેલ અગાસી પર કપડા સુકવી રહ્યા હતા ત્યારે અકસ્માતે વીજ તારને માથુ અડી જતા મોત થયું હતું.

– શેત્રુંજી નદીમાં વીજ કરંટ લાગવાથી સિંહ મોતને ભેટયો