શ્રી કાલ ભૈરવ મંદિર- ઉજ્જૈન મંદિરનો ઇતિહાસ 

કાલ ભૈરવનું ઉજ્જૈન સ્થિત મંદિર પુરાણું છે અને એ જોવાં લાયક પણ છે જ. આ મંદિરમાં મદિરા પ્રસાદ રૂપે મળે છે.  આજ સુધી વિજ્ઞાન પણ એ પતો નથી લગાવી શક્યું કે રોજ મૂર્તિને ધરાતી અને એના દ્વારા પીવાતી મદિરા જાય છે ક્યાં?

અજાયબી

મહાકાલ નગરી ઉજ્જૈનમાં સ્થિત કાલ ભૈરવનું મંદિર અનેક રીતે અજાયબીઓથી ભરપુર છે. કાળભૈરવને મદિરા પીવડાવવાનો આ સિલસિલો સદીઓથી ચાલી આવી રહ્યો છે. મંદિર આસપાસ ખોડીને શોધવાનો પ્રયાસ અંગ્રેજ સરકાર વખતે થયો હતો પણ કારણ મળી આવ્યું ન હતું.

કાલ ભૈરવ ભગવાન શિવનાં અત્યંત જ ઉગ્ર તથા તેજસ્વી સ્વરૂપ છે. બધાં જ પ્રકારનાં પૂજન, હવન, પ્રયોગમાં રક્ષાર્થ એમનું પૂજન થાય છે. બ્રહ્માજીનું પાંચમું શીશ ખંડન ભૈરવે જ કર્યું હતું. એમણે કાશીના કોટવાલ માનવામાં આવે છે

હજાર વર્ષ પુરાણું મંદિર

મધ્ય પ્રદેશનાં ઉજૈન શહેરથી લગભગ ૮ કિલોમીટર દુર ક્ષિપ્રા નદીનાં તટ પર કાલભૈરવ મંદિર સ્થિત છે. કાલ ભૈરવનું આ મંદિર લગભગ 1 હજાર વર્ષ પુરાણું છે. આ એક વામ માર્ગી તાંત્રિક મંદિર છે. વામ માર્ગનાં મંદિરોમાં માંસ, મદિરા, બલિ, મુદ્રા જેવાં પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહીંયા માત્ર તાંત્રીકોને જ આવતાં હતા. એ અહીંયા તાંત્રિક ક્રિયાઓ કરતાં હતાં. કાલાંતમાં આ મંદિર આમ લોકો માટે ખોલી દેવામાં આવ્યું છે.

કેટલાંક વર્ષો પહેલાં અહીંયા જાનવરોનો બલિ ચઢાવવામાં આવતો હતો. હવે બંધ છે. ભૈરવને કેવળ મદિરાનો જ ભોગ ધરાવવામાં આવે છે.

મંદિરમાં કાલ ભૈરવની મૂર્તિની સામે ઝૂલામાં બટુક ભૈરવની મૂર્તિ છે. બાહરી દીવાલો પર અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ છે. સભાગૃહની ઉત્તર તરફ પાતાળ ભૈરવી નામની એક નાનકડી ગુફા છે.

સ્કંદ પુરાણ

સ્કંદ પુરાણમાં આ જગ્યાના ધાર્મિક મહત્વનો ઉલ્લેખ છે. ચારે વેદોના રચયિતા ભગવાન બ્રહ્માએ જ્યારે પાંચમા વેદની રચનાનો ફેંસલો લીધો, તો એમણે આ કામ કરતાં રોકવાં માટે દેવતા ભગવાન શિવની શરણમાં આવ્યાં હતા. બ્રહ્માજીએ એમની વાત ના માની. આનાં પર ભગવાન શિવજીએ ક્રોધિત થઈને પોતાનાં ત્રીજા નેત્રથી બાળક બટુક ભૈરવને પ્રકટ કર્યા હતા. બ્રહ્માનું પાંચમું મસ્તક કાપી નાંખ્યું. ભૈરવે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવે ભૈરવને બતાવ્યું કે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનાં તટ પર ઓખર સ્મશાનની પાસે તપસ્યા કર. ત્યારથી જ ત્યાં કાલ ભૈરવની પૂજા થઇ રહી છે.

પ્રાચિન ઈતિહાસ

કાલાંતરમાં ત્યાં એક મોટું મંદિર બની ગયું. મંદિરનો જીર્ણોધ્ધાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો. રાજા ભદ્રસેન દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરનું નિર્માણ રાજા જયસિંહ દ્વારા કરાવવામાં આવ્યું છે. મંદિરમાં એક સુંદર દીપશિખા છે. મંદીરની ચારે તરફ બનેલી પરકાટોં વાળી લાંબી પત્થરની દીવાલ એ બતાવે છે કે આ પરમારકાલીન મંદિર છે. શ્રી કાલ ભૈરવનાં મંદિરમાં શ્રી ભૈરવ મહારાજની સાથે આરાધ્ય શિવની સાથે પાર્વતી, વિષ્ણુ અને ગણેશજીની પરમારકાલીન મૂર્તિઓ પણ સ્થાપિત છે. એની સાથે જ મંદિરમાં માલવા શૈલીનાં સુંદર ચિત્ર પણ અંકિત છે. મંદિરનાં પ્રાંગણમાં એક મુખવાળા ભગવાન દત્તાત્રેય પણ સ્થાપિત છે જે દર્શનાર્થીઓને ભારતની ધાર્મિક ગાથાથી પરિચિત કરાવે છે.

મંત્ર —— ॥ ઉં ભ્રં કાલભૈરવાય ફટ॥

સાધના વિધિ – કાળા રંગના વસ્ત્ર પહેરીને તથા કાળા રંગના જ આસન બિછાવીને, દક્ષિણ દિશાતરફ મોં કરીને બેસો તથા ઉપરોક્ત મંત્રની ૧૦૮ માળા કરો !!!

લાભ – આ સાધનાથી ભયનો વિનાશ થાય છે !!!

બાબા ભૈરવની પૂજાની ત્રણ વિધિઓ છે

સાત્વિક
તામસિક
રાજસી

સાત્વિક પૂજાની અંદર બાબાને ગંધ, દીપ, અક્ષત, રોલી, પુષ્પ,ફળ, નારિયેળનો ભોગ ધરાવાય છે. રાજસી પૂજામાં ઉપરોક્ત બધી ચીજો સાથે પશુ બલિ પણ આપવામાં આવે છે
તામસિક પૂજામાં ઉપરોક્ત બધી ચીજોની સાથે શરાબ અને પશુ બલિ અને શાસ્ત્રીય ગાયન પણ સંભળાવવામાં આવે છે
પરંતુ તામસિક પૂજા કોઈ વિશિષ્ટ જ્ઞાની ગુરુનાં સાનિધ્યમાં જ કરી શકાય છે. એટલાં માટે સૌથી સરળ પૂજા સાત્વિક જ માનવામાં આવે છે !!! જે રીતે આ પૂજાઓનું વિધાન અલગ છે એવી જ રીતે એમનો પ્રભાવ પણ અલગ છે !!!
જેમકે ——-

સાત્વિક પૂજા – નાં લાભથી અકાલ મૃત્યુનો નાશ, આયુ વૃદ્ધિ, આરોગ્ય વૃદ્ધિ થાય છે.
રાજસી પૂજા – નાં લાભથી ધર્મ જ્ઞાનની વૃદ્ધિ, ધનની વૃદ્ધિ થાય છે અને સન્માન અને સુખ-સુવિધાઓ પણ વધે છે.
તામસિક પૂજા -નાં લાભથી શત્રુ દમન, ભૂત -પ્રેત બાધાથી બચાવ થાય છે.
રવિવાર અને મંગળવાર ભૈરવજીનાં પૂજાનાં દિવસો માનવામાં આવે છે