સમગ્ર દેશમાં ગુજરાતીઓ ગાંજો સૌથી વધું પીવે છે

ગંજેરી ગુજરાત –  દિલીપ પટેલ

રાજ્યમાં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્ય માં ઘુસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે અને જો વાવે તો તે ગંભીર પ્રકારનો ગુનો બને છે. નાર્કોટીક્સનો ગુનો બનતો હોવાથી તેમાં 10 વર્ષ કે તેથી વધુની જેલ થઈ શકે છે. ડ્રગ્સની લત ગુજરાતના યુવાનોને ભરખી રહી છે. 2017માં જ ગુજરાતમાં 2300 કિલો ગાંજો પકડાયો હતો જ્યારે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. દારૂની રેલમછેલ બાદ ગાંજાના પગરવ થયા છે. નિવૃત્ત પોલીસ અધિકારીના મતે ગુજરાતમાં 20 લાખ કિલોથી પણ વધું ગાંજો બહારના રાજ્યોમાંથી આવે છે. 5000 થી 6000 હજારના એક કિલોના ભાવે ગુજરાતમાં ગાંજાના પત્તા વેચાઈ રહ્યાં છે. જે હવે ખાસ પ્રકારના કાગળમાં સિગાટેર બનાવીને ફિલ્ટર સાથે પિવામાં આવી રહ્યાં છે. જે ગરીબથી લઈને શ્રીમંતો પણ પી રહ્યાં છે. ગાંજાનો આનંદ માટે અને બુદ્ધિનો વધું ઉપયોગ કરતાં લોકો પોતાની બુદ્ધિને તેજ રાખવા માટે ગાંજો પી રહ્યાં છે. વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાના રેલ્વેસ્ટેશનો ગાંજો મંગાવવા અને વિતરણ કરવાના મુખ્ય કેન્દ્રો છે. ગાંજો મુખ્યત્વે ઓરિસાથી આવી રહ્યો છે. એની કિંમત બહુ ઓછી છે તેથી વિદ્યાર્થીઓ અને મજૂર વર્ગ તેનો વધું ઉપયોગ કરી રહ્યાં છે.

ઉડતા ગુજરાત, એક વર્ષમાં 2300 કિલો ગાંજો પકડાયો

3 મે 2018ના રોજ સત્તાવાર રીતે જાહેર કરાયું હતું કે 2017માં પંજાબ કરતા વધુ ગાંજો અને હેરોઇન ગુજરાતમાંથી પકડાયો હતો. ડ્રગ્સના ઓવરડોઝને કારણે થતા મોતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. ઉત્તર ભારતમાંથી મધ્ય ભારત-મુંબઈ તરફ થતી ડ્રગ્સની હેરાફેરીમાં વડોદરા અને સુરત રેલવે સ્ટેશન મુખ્ય વિતરણ કેન્દ્રો બની ગયા છે. પંજાબમાં 18, મહારાષ્ટ્રમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે ગુજરાતમાં 12ના મોત થયા હતા. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2017ના વર્ષમાં સૌથી વધારે માદકદ્રવ્યો ઝડપાયા છે. તેનાથી વધારે 2018માં પકડાયા હોવાનો અંદાજ છે. 2017માં દેશભરમાં કુલ 2,146.47 કિલો હેરોઇન ઝડપાયું હતું, જેમાંથી 1,017.23 કિલો માત્ર ગુજરાતમાંથી પકડાયું હતું જેની સરખામણીએ પંજાબમાં 406 કિલો હેરોઇન પકડાયું હતું. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજો પકડાયો હતો જ્યારે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. વડોદરા શહેરમાં 18 ગુનામાં 15 આરોપી પકડાયા હતા. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. વડોદરા અને સુરત ટ્રેન લાંબો સમય રોકાય છે તેથી ત્યાં ગાંજાની હેરાફેરી સરળ બને છે. વડોદરામાં 10 ગેંગ, સુરતમાં 22 ગેંગ અને અમદાવાદમાં 32 ગેંગ હોવાનું આધારભૂત લોકો કહી રહ્યાં છે. આ ગેંગ પાસેથી અંદાજે 250 જેટલા શહેરના નશેડીઓ ગાંજો અને ઇન્જેકશન ખરીદી રહ્યા છે.

દેવીપુજક મહિલાઓ પાસેથી 15 કિલો ગાંજો મળ્યો

25 ઓગસ્ટ 2018ના રોજ સુરતથી ગાંધીધામ જતી બસમાં 15 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મનિષ નામની વ્યક્તિ પાસેથી લઈને કચ્છ ગાંધીધામ જતી બસમાં વડોદરાના ખોડીયારનગર ઝુપડપટૃી ગોપાલપુરીની દેવીપૂજક બે મહિલાઓ કાંતાબેન વિજયભાઇ દેવીપુજક તથા તેના ભાભી મનુબેન સુરેશભાઇ દેવીપુજકને વડોદરા પોલીસે ઝડપી પાડી હતી. માલ ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો હતો.

ખેતરમાંથી 474 કિલો લીલો ગંજો મળ્યો

9 નવેમ્બર 2016ના દિવસે ગોધરાની માવાનીમુવાડી ગામના ખેતરોમાંથી 47 લાખની કિંમતનો 474 કિલો ગાંજો પકડાયો હતો. પંચમહાલ અને મહીસાગર પોલીસ સ્ટાફે લાલસર નજીકના ગામના માવાનીમુવાડી ગામે ખેતરમાં ઉગાડવામાં આવેલા 474 કિલોના ગાંજાના છોડથી લહેરાતા પાક સાથે બે વ્યક્તિઓ રૂપાભાઇ ધીરાભાઇ પગી તથા ખાતુભાઇ માનાભાઇ પગીની ધરપકડ કરી હતી. એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કિમ પાસે 700 કિલો ગાંજો પકડાયો

28 મે 2018ના રોજ ઓરિસ્સાના બેહરામપુરથી સુરતના કિમ ચારરસ્તા નજીક આવેલી હોટેર પર પાર્ક કરેલી એક ટ્રકમાંથી કોસંબા પોલીસે 700 કિલો ગાંજો રૂ.38 લાખની કિંમતનો પકડી પાડ્યો હતો.

સુરત રેલવે સ્ટેશનના પરથી પકડાયો ગાંજો

2 એપ્રિલ 2017ના દિવસે સુરત- રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 1 પરથી પુરીથી અમદાવાદ જતી એક્સપ્રેસ ટ્રેનમાંથી બીનવારસી રૂ.4.34 લાખનો 72 કિલો ગાંજો મળી આવ્યો હતો. રેલવેમાં પાર્સલ ઓફિસ નજીકથી ગાંજાની હેરાફેરીનું નેટવર્ક મહિધરપુરા પોલીસે ઝડપી પાડયું હતુ.

સુરત સ્ટેશને 167 કિલો

26 મે 2016માં સુરત રેલવે સ્ટેશન પર આવેલ ઝારખંડ પુરી અમદાવાદ જતી ટ્રેનનાં જરનલ ડબ્બામાંથી 10 કોથળા ભરીને 167 કિલો ગાંજો મમરાની કોથળીઓમાં પેક કરીને લઇ જવાતો હતો.

સુરતમાં ઓરિસ્સાનું નેટવર્ક

12 એપ્રિલ 2017 ઓરિસ્સા-ગંજામથી ટ્રેનમાં ગાંજો ગુજરાત લાવવા માટે નેટનર્ક ઊભું થયું છે. ઓરિસ્સાના શિવરામ અને સુરતમાં ગાંજાનો વેપલો કરનારા દિપક શેટ્ટીને ભાગેડુ જાહેર કરવા પડ્યા હતા. મહિધરપુરા પોલીસ દ્વારા પાર્સલ ઓફિસ પાસેથી 3 થેલા ભરીને 41 કિલો ગાંજો પકડી પાડ્યો હતો. ગાંજાની હેરાફેરી કરતા તુનાભોલા લડુભોલા ખંડાયત, દિપક ફકીર નાયક, સુમિત્રા વિદ્યાધર મંડલ (તમામ રહે-ગંજામ, ઓરિસ્સા) અને સારથી નિરંજન શાહુ (રહે- એસએેમસી આવાસ, પાંડેસરા- મુળ ગંજામ, ઓરિસ્સા)ની ધરપકડ કરી હતી. તેઓ ઓરિસ્સા ગંજામના શિવરામ ઉર્ફે શિબા માધવ નાહક બહેરામપુરથી લાવી સુરત આવી દિપક શેટ્ટી (રહે- ગણેશનગર, વડોદ, પાંડેસરા)ને આપી દેતા હતા. શેટ્ટી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ ગાંજો પહોંચાડી દેતો હતો.

સુરતના અશ્વનીકુમાર રોડ પરથી 266 કિલો ગાંજો

વરાછા પોલીસે અશ્વિનીરોડ પરની અશોકનગરમાંથી બિનવારસી રૂ.16 લાખનો 124 પેકેટમાં ભરેલો 266 કિલો ગાંજો, ડાળખી, પાંદડા પકડાયા હતા.

સુરતમાં ટ્રેન ઉથલાવવા ગંજેરીઓનું કાવતરું

30 ડિસેમ્બર 2017માં સુરતમાં અમદાવાદ-જગન્નાથપુરી ટ્રેનમાં મોટાપાયે ગાંજાની હેરાફેરી થાય છે. આ ટ્રેનમાંથી બીજી વખથ 74 કિલો બિનવારસી ગાંજો પકડી લીધા બાદ ડ્રગ માફિયાઓએ ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરની સમયસુચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો. રેલવે ટ્રેક ઉ૫ર લોખંડના બાંકડા મુકી દીધા હતાં. સુરતમાં આવેલી જગન્નાથપુરી – અમદાવાદ રૂટની ટ્રેનના ડબ્બાના ટોઇલેટમાંથી રૂ.4 લાખનો 74 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઝું૫ડ૫ટ્ટીમાં ગાંજાની હેરાફેરી માટેનો મોટો અડ્ડો હોવાની શક્યતા પણ પોલીસે દર્શાવી છે.

સુરતમાં સંયુક્ત રેલ ઓપરેશન

22 જાન્યુઆરી 2017માં સુરતના કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન માંથી કુલ 5 લાખનો 84 કિલ્લો ગાંજો પકડી પાડ્યો હતો. સુરત રેલવે પોલીસ અને વરાછા પોલીસે રૂ.9 લાખનો 158 કિલ્લો ગાંજો પકડાયો હતો.

જયપુરથી સુરત જતી સ્લીપર કોચમાં 5.7 કીલો ગાંજો ઝડપાયો

19 જુલાઈ 2018માં જયપુરથી સુરત જતી સ્લીપર કોચ મહેસાણાના ચંન્દ્રાલા પાસે પોલીસે રોકી ચિલોડા પોલીસ સ્ટેશન જઈને તપાસ કરતાં થેલામાં 5.722 કિલો ગાંજો પકડાયો હતો. બસમાંથી એક પણ વ્યક્તિએ થેલાની માલિકી બતાવી ન હતી.

વાપીના છીરી ગામે 18 કિલો ગાંજો વેચતી મહિલા

વલસાડના વાપીના છીરી ગામના રામનગરમાંથી 1.84 લાખની કિંમતનો 18 કિલો 400 ગ્રામ ગાંજો વેચતી નાસિકની વિમલબેન સુભાષભાઈ મોહિતે(ઉ.વ.૩૨, રહે, માતુરી થાના, નાસિક) મહિલાને ઝડપી પાડી હતી.

100 કિલો ગાંજો પકડાયો

5 એપ્રિલ 2016માં અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે સુપર આર્કેડમાંથી રૂ.6.25 લાખની કિંમતના 100 કિલો ગાંજા સાથે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ઓરપા ગામના 3 સગા ભાઈ એવા યુવકો યોગેશ, નરેશ, ગણેશ તડવીને પકડી લેવામા આવ્યા હતા. ગાંજો ઓરિસ્સાના ભાસ્કર અને રાહુલ નામના વ્યક્તિએ મોકલાવ્યો હતો. જે અમદાવાદ, ભરૃચ, વડોદરા, નર્મદા જિલ્લામાં આપવાનો હતો.

ભરૂચમાં 600 કિલો

16 જુન 2018ના દિવસે ભરૂચના અકંલેશ્વરની નર્મદા ચોકડી પાસેથી રૂ.2 કરોડના 591 કિલો ગાંજા સાથે ઉત્તર પ્રદેશના પ્રમોદ અને શીશુપાલ નામના બે ડ્રાઈવર, સુરતનો કમલ લોચન કે જે ગાંજો લેવા માટે આવ્યો હતો તેમ પાંચ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદની મહિલા ભાગી છુટી હતી.  ઓરિસાથી  ગાંજો ટ્રકમાં ગુજરાત લવાયો હતો. ઓડિશાથી ગુજરાતમાં લાવી નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો હતો.

માંગરોળ સુરત

28 મે 2018ના રોજ સુરતના માંગરોળ તાલુકાના સિયાયજ ગામની સીમમાં આવેલી હોટેલના કંમાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી 300 કિલો ગાંજો પડાયો હતો.

ગાંધીનગર શેરથા 28 કિલો ગાંજો મળ્યો

10 ઓગસ્ટ 2018માં ગાંધીનગર પોલીસની ટીમે શેરથા ટોલટેક્સ પર કારમાંથી 28 કિલો ગાંજા સાથે 4 લોકોને ઝડપ્યા હતા. વાહીદ મહંમદ શેખ (રહે.મહેસાણા), મહંમદ આરીફ મહંમદ હારૃન (નુરનગરની ચાલી, રખિયાલ અમદાવાદ), ઈમરાન ફદીસ પઠાણ (રહે.વટવા, અમદાવાદ) અને મહંમદ પરવેઝ અનવર શેખ (રહે.ગરીબનગર, ઈન્દિરાનગર રખિયાલ)ને ઝડપી લીધા હતા.

સંતરામપુરમાં આખું ખેતર મળ્યું

10 નવેમ્બર 2017માં સંતરામપુરના પડવા ગામે ગાંજાની કરોડો રૂપિયાની ખેતી થતી પકડાઈ હતી કુલ રૂ1.7 કરોડનાં ગાંજાના પાકનું ખેતર કે જે કપાસના છોડોની વચ્ચે ગાંજાના 1177 કિલોગ્રામ ફૂલ સાથે 550 છોડ પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે ખેતરમાં રહેતા ગલાભાઇ માવાભાઇ સંગાડા, ભલાભાઇ માવાભાઇ સંગાડા, મંજુલાબેન લક્ષ્મણભાઇ સંગાડા, કાળુભાઇ ભાથીભાઇ બારીઆ, અખમભાઇ મોતીભાઇ પાદરીઆ,પર્વતભાઇ વિરાભાઇ પાદરીયાના ખેતરમાં હતા.

પુજારી આપે છે, પ્રસાદ ના બદલે ગાંજો

8 જુલાઈ 2018ના દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તાર મેઘાણીનગરમાં લક્ષ્મણગીરી ગોસ્વામી નામનાં પૂજારી ગાંજો વહેંચતો હતો ત્યારે NCB એ 140 ગ્રામ સાથે પકડી લીધો હતો. પૂજારી પાસેથી યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ પણ ગાંજો લઈ જતાં હતા.

અમદાવાદના ગોતાના સાધુ પિતા-પુત્ર ઝડપાયા

16 ઓગસ્ટ 2018 અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા બોલબાલા હનુમાન આશ્રમમાંથી સોલા પોલીસે બે કિલો ગાંજા સાથે બે સાધુ સહિત ત્રણ શખ્સ, મહેન્દ્રભાઇ નરસીભાઇ સાધુ, દશરથ મહેન્દ્રભાઇ સાધુ બંને (રહે. બોલબાલા હનુમાન આશ્રમ, ગોતા) અને સંજય ત્રિવેદી (રહે. પંડ્યા પોળ, મહેમદાવાદ)ને ઝડપી લીધા હતા. સંજય ત્રિવેદી ગાંજો પહોંચાડતો હતો.

ગાંધીનગરના ખોરજમાં 17 કિલો

6 જુનાઈ 2018માં ગાંધીનગરનાં ખોરજમાં બિહારી શખ્સને પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે પકડ્યા બાદ પુછપરછ કરતા ગાંધીનગરનાં ખોરજ ગામે ભાડાનાં મકાનમાંથી રૂ.1.69 લાખની કિંમતનો 16.900 કિલોગ્રામ  ગાંજો મળી આવ્યો હતો.

અમદાવાદ 4 કિલો પકડાયો

1 ઓગસ્ટ 2018માં અમદાવાદ સેટેલાઈટ વિસ્તારના રામદેવનગર પાસે 4 કિલો ગાંજા સાથે ગોપાલ પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં રૂ.55 લાખના ગાંજો

23 જુલાઈ 2015માં મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રૂ.20 લાખના ગાંજા અને વિદેશી દારૂના જથ્થાને પોલીસે રાજ્યની જુદી જુદી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ઝડપી લઇ સઘન તપાસ શરૂ કરી છે. એંધલ ગામ પાસે જગદીશસિંહ લાભસિંહ નામના શખ્સની અટકાયત કરી હતી.

મોરબી

ઓગસ્ટ 2018માં મોરબીમાં રીક્ષામાંથી રૂ.57 હજારનો 9.50 કિલો ગાંજો પકડાયો હતો. રીક્ષા ચાલક હાજીગની ભટ્ટી અને હિતેષ મારવાડીને પકડી લીધો હતો.

સુરેન્દ્રનગર ભાજપના નેતાનું 2,500 કિલો ગાંજો

26 ફેબ્રુઆરી 2018માં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ગુજરાત ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત ગોરધન ઝેઝરીયા અફાણની લત લાગી જતાં 4-6 વીઘા જમીન ભાડે રાખીને ખેતી શરૂ કરી દીધી હતી. નર્મદાનું પાણી અફીણ, ગાજો, પોષડોડા, બ્રાઉનસુગર જેવા નશાકારક- કેફી પીણાના છોડ ઉગાડવા માટે પણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે ત્યાં ગુજરાતનું સૌથી વધું નશો કરતું ક્ષેત્ર છે. દરબાર દ્વારા કસુંબો લેવાની પ્રથા છે. અહીં અફીણ પીવાના લાયસંસ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ઉડતાં સુરેન્દ્રનગર તરીકે પણ જાણીતું છે. શાકભાજીના વાવેતર સાથે ગાંજો ઉગાડેલો હતો. ભાજપના કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વિડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હોવા છતાં મોડાં પગલાં ભરાયા હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે.

ઓખા ટ્રેમાંથી ગાંજો મળ્યો

જામનગરના ઓખા રેલ્વે સ્ટેશનપર ઉભેલી ટ્રેન ઓખા-હાવરાના જનરલ ડબામાંથી ઓખા હાવરા ટ્રેન માંથી બિનવાસરી 8 કિલો ગાંજો મળી આવેલો હતો.

રાજકોટથી 1.20 કિલો ગાંજો

20 ઓગસ્ટ 2018માં રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી અમીના પાસેથી મળ્યો 1.23 કિલો ગાંજો, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોરબીમાં 9.5 કિલો , ઉનામાં 5 કિલો અને રાજકોટમા 1.23 કિલો ગાંજો ઝડપાયો હતો.

શું છે ગાંજો

તેનું બીજું નામ સરદાઈ છે. ગાંજો એ એક જાતની પીળાં ફુલ ધરાવતી અને ભીંડા જેવા પાનના ગુચ્છા જેવી કળીઓ ધરાવતી વનસ્પતિનો છોડ છે. જે હવામાં શણ પાકે તે જ હવામાં ગાંજો ઊગી શકે છે. જેના અણીદાર પાન સુકવી તેની ભૂકી કીરને ભાંગ તરીકે વપરાય છે. ગાંજાના છોડમાં કળીનો ગચ્છો આવે છે. ભાંગનાં ફૂલ પાકે નહિ ત્યાંસુધી તેનામાં નશો લાવવાનો ગુણ આવતો નથી. છોડની કળીઓ ગાંજા તરીકે વપરાય છે. બંનેમાં નશો કરે એવી કેફ હોય છે. કેનાબીસ ઈ(ન્ડકા નામે ઓળખાતા ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો અને ભાંગ જેવા નશીલા પદાર્થો મળે છે. છોડમાંથી મળતાં રસાયણ પર સૂર્યનો પ્રકાશ પડવાથી ટેટ્રાહાલ્કેનાબીનોલ (delta-9-tetrahydrocannabinol) નામનો નશીલો પદાર્થ બને છે. આ વનસ્પતિનાં સૂકાં પાન અને અંકુરને ઉકાળીને ભાંગ બનાવવામાં આવે છે. ભાંગમાં લગભગ 15 ટકા જેટલાં નશીલા પરાર્થ છે. તાજી બનાવેલ ભાંગ વધુ નશો કરાવે છે. ભાંગમાટે પાન ઘૂંટીને મસાલો નાખીને પીવાય છે. કળીઓ એકઠી કરીને ગાંજા તરીકે ચલમમાં પીવાય છે. તે પીવાથી નશો ચડે છે. તેને ગાંજો કહે છે. અગાઉ ગાંજાના તંતુમાંથી વસ્ત્રો બનાવવામાં આવતાં હતાં. તેનો રસ શંકરને ઘણો પ્રિય ગણી સાધુ લે છે. દારૂ બેશરમ છે, અફીણ આળસુ બનાવે છે, ગાંજો ધૂની બનાવે છે, ભાંગ કલ્પનાશક્તિને ઉત્તેજી સ્વપ્નની શ્રીષ્ઠ સૃષ્ટિમાં લઈ જાય છે.

કેમ થાય છે નશો

કેનાબીસ ઈ(ન્ડકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં 15થી 25 ટકા નશીલું દ્રવ્ય હોય છે. મરીજુઆના તરીકે પણ ઓળખાતો આ પદાર્થ (ગાંજો) ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે છોડની ડાળી અને પાનમાંથી ‘રેઝિન્સ બનાવવામાં આવે ત્યારે ચરસ અથવા હશીશ બને છે. જેમાં 35 થી 40 ટકા નશીલાં દ્રવ્ય હોય છે. આનો ઉપયોગ પણ ધૂમ્રપાન વાટે જ થાય છે. હુકકા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધુમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે. મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે.

આયુર્વેદમાં ભાંગ

પાનનો રસ કાનમાં નાંખવાથી દુઃખાવો ઘટે છે. પાંદડાં ભૂખ અને વાચા વધારે છે. વીર્ય ઘટ્ટ બનાવે છે અને સ્તંભન કરે છે. પાતળી ધાતુવાળાને ભાંગ થોડા પ્રમાણમાં લેવાથી ફાયદો થાય છે. ભાંગ લેવાથી એટલી બધી ભૂખ લાગે છે કે ગમે તેટલો ખોરાક લેવાથી પણ તૃપ્તિ થતી નથી. ભાંગ ભૂખ લગાડનાર અને પાચક હોવાથી અજીર્ણ, અતિસાર અને અમુક તરેહના જીર્ણ મરડામાં ફાયદો કરે છે. ભાંગ પીધેલ ખૂબ બોલ્યા જ કરે અને ખૂબ હસે છે. હરસ અને ગુદાના ચિરાડામાં તેની પોટિસ મૂકવામાં આવે છે. હરસ અને ગુદાના ચીરા ઉપર સૂકાં પાનને ઘીમાં તળી, ગરમાગરમ પાનથી શેક કરવામાં આવે છે. ક્ષયની ખાંસી, મોટી ઉધરસ અને દમની દવા છે.  ચિંતા અને થાકને લીધે થતા માથાના દુખાવામાં ફાયદો કરે છે. તે ઘણાં ચૂર્ણો બનાવવામાં વપરાય છે. તેનાં પાંદડાં 30 ગ્રેનની માત્રામાં અપાય છે. વૈદ્યકમાં ભાંગને પિત્તજનક, ગ્રાહક, તીક્ષ્ણ, કડવી, ઉષ્ણ, લઘુ, કર્ષણકારક, અગ્નિદીપક, રુચિકર, માદક, બલવર્ધક, વાણીવર્ધક તથા મોહકારક કહેલ છે અને કફ તથા વાયુનાશક માની છે. ગાંજાના છોડમાંથી ચરસ નામની રાળ કાઢવામાં આવે છે. વૈધકમાં ગાંજાને ઉષ્ણ કહ્યો છે તે કફનાશક, ગ્રાહી, પાચક અને અગ્નિવર્ધક મનાયો છે. તે નશો આણનાર તથા પિત્તોત્પાદક છે.; વિજ્યા; સંવિદા; ભંગા; ગંજા; માતુલાજા; માદિની; જયા. તે પંજાબ, કશ્મીર અને બંગાળમાં થાય છે. તે ગ્રાહી, માદક, પીડાશામક, વિષયેંદ્રિય ઉત્તજક અને દીપન ગણાય છે. તેનો ઉપયોગ ધનુર્ સંધિવા, ચસકા વગેરે દર્દો ઉપર થાય છે. તેનામાં ઝાડાને મટાડવાનો ગુણ છે. પીડા શાંત કરવામાં તેનો ગુણ અફીણને મળતો છે.

કેન્સરની સામે ફાયદો કરે છે

9 ડિસેમ્બર 2015ના રોજ એક એવા સમાચાર દુનિયાભરમાં છપાઈ ગયા હતા કે લેબોરેટરીમાં અનેક પ્રયોગો બાદ અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટોએ જાહેર કર્યું હતું કે ગાંજા રહેલા ખાસ કેમિકલની મદદથી કેન્સરના કોષો ખતમ થાય છે. કેન્સરની સારવાર દરમિયાન થતી આડઅસરમાં રાહત રહે છે. કેન્સરની પીડા થવી, ઊબકા આવવા, ઊલટી થવી, એન્ગ્ઝાયટી થવી, ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

ફાયદા

ગાંજો કેવો હોય

સ્ટ્રોક આવે ત્યારે મગજને નુકસાન થવાથી બચાવે છે. સારી ઊંઘ અને બેચેની માટે ગાંજો અસરકારક છે.  ગાંજામાં કૈનાબીનોએડ્સ તત્વ છે જે કેન્સરના કોષોને મારી હઠાવે છે, તત્વ ટ્યુમરને વધતું અટકાવે છે, કોલન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, અને લીવર કેન્સરનો ઈલાજ પણ કરી શકાય છે. કૈનાબીનોએડ્સ તત્ત્વ શાંતિનો અનુભવ કરાવે છે. હેપેટાઈટીસ સી માં થકાન, નાક વહેવું, માંસપેશીઓમાં દર્દ, ભૂખ ન લાગવી અને ડીપ્રેશન જેવા સાઈડ ઈફેક્ટસ મળી આવે છે. ગાંજો પેન કિલર, દર્દ નાશક છે. તેથી ગુજરાતની અનેક દવા કંપનીઓ તેમાંથી દવા બનાવે છે. ગુજરાતમાં ડાયાબિટીશ અને કેન્સરના દર્દીઓ વધું છે તેમાં દુઃખાવો ઓછો કરે છે. ઓટોઈમ્યુન નાં ઇલાજમાં તે કામ આપે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે ત્યારે ગાંજો ફાયદો કરી આપે છે. મોતિયાને રોકી શકે છે અને તેનો ઈલાજ પણ કરી શકે છે.

મીઠાઈ બને છે

ભાંગ નાંખીને બનાવેલી મીઠાઈને મજુન કહેવાય છે જે ભૂખ અને જાતીયવૃત્તિ ઉત્તેજવા માટે વપરાય છે.

ખરાબ અસર

કાળજું કપાય છે અને શક્તિ ક્ષીણ થાય છે. નશાની અસરમાં સમયનું ભાન બિલકુલ જતું રહે છે. સવાર-સાંજનું કે સમય પસાર થઈ રહ્યાનું ધ્યાનમાં આવતું નથી. ટૂકા-ગાળાની યાદશક્તિ ઘટી જાય છે – વાકય પૂરું બોલાઇ રહે ત્યાં સુધીમાં વાકયની શરૂઆત ભૂલી જવાય છે. એકાગ્રતા ઘટી જાય છે. વાહન ચલાવવાની ક્ષમતામાં ઘટાડો થાય. ચરસ-ગાંજો કે ભાંગ લેવાથી આંખ લાલ થઇ જાય છે, અને હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદયરોગના દર્દીમાં એન્જાઇનાનો કે હ્રદયરોગનો હુમલો લાવવા માટે ચરસ-ગાંજો જવાબદાર બની શકે છે. ફેફસાંને નુકસાન કરવામાં આ પદાર્થો ફાળો આપે છે. ઊંઘ આવી ગયા પછી સામાન્ય રીતે નશો ઉતરી જાય છે. કયારેક નશાને કારણે આનંદનો અનુભવ થવાને બદલે દુ:ખ અને શત્રુતાનો અનુભવ થાય એવું પણ બને છે. લાંબો સમય સુધી નિયમિત ચરસ-ગાંજાનું સેવન કર્યા પછી અચાનક એ લેવાનું બંધ કરી નાંખવામાં આવે તો, ધ્રુજારી, પરસેવો, ઊબકા, ઊલટી, ઝાડા, બેચેની, ચીડિયાપણું, ભૂખ મરી જવી, ઊંઘ ન આવવી વગેરે જોવા મળે છે. આ બધી તકલીફ દારૂ કે અફીણ છોડનારાને થતી તકલીફ કરતાં ઘણી ઓછી છે અને આ વ્યસન છોડવા માટે કોઇ દવા કે સારવારની મોટે ભાગે જરૂર પડતી નથી. દ્દઢ મનોબળથી નિષ્ચય કરીને કાયમ માટે આ વ્યસન છોડી શકાય છે.

ખેતી કાયદેસર કરો

વૈચારિક ક્રાંતિ માટે જાણીતા શશી થરૂરે માંગણી કરી છે કે ગાંજાની ખેતીને કાયદેસર કરો. તેનો ઉપયોગ પણ માન્ય કરો. તેથી તેની નુકસાની ઓછી થશે, લાસસંયની ફીથી સરકાર અને ખેડૂતની આવક વધશે, ભ્રષ્ટાચાર નહીં રહે, ગુના ઘટશે. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા સંશોધનમાં જણાયું કે ગાંજો અને ભાંગને કાયદાકિય માન્યતા આપવાથી દેશને અને તમામને લાભ થશે. ગાંજાના ફળ( પોશ ડોડવા)માંથી બનતો પવાડર નશાકારક છે જો આ ઉત્પાદનોને લેબોરેટરી ટેસ્ટિંગ કરીને નક્કી કરેલી માત્રામાં જ લોકો સમક્ષ મૂકાય તો તે અન્ય નશાકારક વસ્તુઓની સરખામણીમાં ઓછી નુકસાન કારક છે. જ્યારે ગાંજાના પાનમાંથી બનતું પીણું અનેક પ્રકારના સંક્રમણ રોગ સામે રક્ષણ આપે છે. ભારતીય કાયદામાં 1985માં પહેલી વાર ભાંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 1961માં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાર્કોટિક્સ ડ્રગ સંઘિ પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંજો અને ભાંગ કરતાં ગંભીર વસ્તુ ડ્રગ્સ, તમાકુ, દારૂ છે. તેની સરખામણીમાં ગાંજો અને ભાંગ સ્વાસ્થ્યને ઓછું નુકસાન કરે છે. ખેતી અને વેપાર પરના પ્રતિબંધથી ભારત નુકસાન વેંઠી રહ્યાં છીએ. જવાબદાર ખેડૂતો દ્વારા ખેતી કરાવવી જોઈએ. પાકનું લેબોરેટરી ચકાસણી કરી નક્કી કરેલાં કેન્દ્રો પરથી વેચાણ થવું જોઈએ. હાલમાં આ ઉત્પાદનો મળે તો છે પણ તેની ગુણવત્તાની કોઈ ગેરન્ટી હોતી નથી. આમ થતાં કેટલી માત્રામાં લેવું એ જોખમકારક નથી તે નક્કી થઈ શકશે. ભાંગ અને ગાંજા થકી એક નવા ઉદ્યોગને ઉભો કરી શકાશે. અમેરિકાના કોલોરાડો રાજ્યમાં વર્ષ 2017માં 1.5 બિલિયન ડોલર ખેતપેદાશોનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. અમેરિકા અને કેનેડા પણ આ ખેત પેદાશોના ઉત્પાદન અને વેચાણને કાનૂની માન્યતા આપવા કવાયત હાથ ધરી છે. ત્યારે વિશ્વભરમાં આ છોડ સૌથી પહેલા ભારતીય ઉપ મહાદ્વિપમાંથી મળી આવ્યા. તે પછી તેને દુનિયાભરમાં ઉગાડવામાં આવ્યા. તો ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવાની મસમોટી તક ગુમાવી રહ્યું છે.

અન્ય રાજ્યોમાં ખેતી ગુજરાતમાં કેમ નહીં

ભારતમાં તેમ છતાં અનેક રાજ્યોમાં ભાંગ ઉગાડાય છે. જે દવા બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં ખેડૂતોને ઉગાડવાની છુટ નથી તે છૂટ આપવી જોઈએ એવું ગુજરાતના ખેડૂતો કહી રહ્યાં છે. કુલુ ખીણ પાસે આવેલા માલા ગામમાં 240 હેક્ટરમાં ગાંજાનું વાવેતર થાય છે, જેમાંથી કુલ 12,000 કિલોગ્રામ ગાંજો પેદા થાય છે.