બનાસકાંઠા જીલ્લાના થરાથી બનાસનદીના કાઠે 9 કો.મી.ના અંતરે આવેલા ટોટાણા ગામે માતા લખુબાઈને ત્યાં જન્મેલા સંત સદારામ બાપુને ગુરુ સંતશ્રી મસ્તરામજી મળ્યા હતા. જીવનમાં પરિવર્તન આવ્યું હતું. જે સંત સદારામ બાપુના નામે પ્રસિદ્ધ થયા.
જીવન તેમના નામ પ્રમાણે સદા સાદુને ઉમદા રહ્યું છે. ધર્મ એતો જીવન જીવવાની ઉમદા કળા છે. પછાત
કાંકરેજ આપસાસ શૈક્ષણિક સામાજીક રીતે ઠાકોર સમાજમાં જાગૃતિ લાવવામાં મોટું યોગદાન આપ્યું છે.
દરેક સમાજમાંથી વ્યસનો ખોટા રીત-રીવાજા બ્રાહ્મય આડંબરોને દૂર કરી સાચા માનવ બનવા સ્વરચિત ભજનો થકી જાગૃતિ લાવવાનું ઉમદા કાર્ય કર્યુ છે. સદારામ બાપુના મૌલીક ભજનો ડોસી છીકણી તાણવી હવે છોડી દે જે રે ડોહા બંધાણ કરવા હવે છોડી દે જે. “રામ રસ પીઓ બીજાને રે પાવો પહેલા લાગે કડવો પછી લાગે મેઠો”. આવા અનેક સ્વરચિત ગામઠી ભાષામાં ભજનો દ્વારા સમાજમાં જાગૃતિનું ઉમદાકામ કર્યું.
ભૂખ્યાને ભોજન તરસ્યાને જળ ને પશુ-પંખીઓને ચણ આપીને જીવનનું ધ્યેય બનાવ્યું છે. નિખાલસતાના દર્શન દરેક સ્થળે થાય છે.
રોટી સંત “છોટે જલારામ” તરીકે લોકોમાં સ્થાન પામ્યા છે. ટોટાણાના અબ્બાસભાઈ તથા અકબરભાઈ તરફથી ભોજન શાળા માટે જમીન બે રૂમોના બાંધકામ માટે રોકડ દાન પણ મળેલી છે. સંત સદારામ બાપુના કામમાં સતત દાન અન્નનો પુરવઠો અવિરત પણે આવતો જ રહ્યો છે.
આશ્રમમાં વારે તહેવારે કે ગમે ત્યારે ભક્ત રૂ.૧૦ આપે કે ધનનો ઢગલો કરે એ ચહેરા પરનો ભાવ બંને ભક્તો માટે સરખોજ જાવા મળે છે.
સદા હસતો ચહેરો – સદી વટાવી ચુક્યા છતાં થાકની કોઈ અસર નહી. ભક્તને માથે ટપલી મારીને ફતેહ નારાયણ કરે. દર્શન જ્યારે કરો ત્યારે એક અનોખી તાજગીનો અહેસાસ થાય છે.
15 મે 2019માં સદારામ બાપુની ઉમરાવસ્થાને કારણે તબીયત નાદુરસ્ત હતી. પાટણ સારવાર બાદ ટોટાણા આશ્રમ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રહ્મલીન થયા હતા.