હિતેશ ચાવડા – પત્રકાર અને RTI ચળવળકાર
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત અને સેવા નિયુક્ત અધિકારીઓ કે જેઓ જનતાની સેવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓને નાગરિકો કઈ રીતે ઉદબોધન કરે એ વિષયે એક RTI કરવામાં આવી. માહિતી અધિનિયમ 2005 મુજબ 4 મુદ્દાઓ સાથે માહિતી માંગવામાં જેમાં સરકારને પૂછવામાં આવ્યું કે સામાન્ય જનતા સરકારી અધિકારીઓને શું કહીને બોલાવે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે માહિતી અને સમજણના અભાવે કે પોતાની રીતે લોકો સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને ‘સાહેબ’ કે ‘સર’, ‘મેડમ’ કહીને બોલાવતા હોય છે. આ સ્થિતિમાં આપણો દેશ પ્રજાસત્તાક હોય અને જનતા સર્વોપરી હોય તો સરકારી અધિકારી કે કર્મચારીને ‘સાહેબ’ કે ‘સર’ કહીને કેમ સંબોધવા એ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ મુદ્દે ગુજરાત સરકારના મુખ્ય સચિવના કાર્યલયમાં RTI (Right To Information- માહિતીનો અધિકારી) અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી.
આ અરજીના જવાબમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવ્યો કે માંગેલ માહિતી રેકર્ડ સ્વરૂપે કે રજીસ્ટર સ્વરૂપે ઉપલબ્ધ નથી અને અત્રે કોઈ જોગવાઈ હોવાનું જણાતું નથી. આ માહિતી જ સાબિત કરે છે કે સરકાર દ્વારા એવી કોઈપણ જોગવાઈ કરવામાં નથી આવી કે નિયમ નથી કરવામાં આવ્યો કે જનતા એ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને ‘સાહેબ’ કે ‘સર’ કહીને બોલાવવા પડે. આપણા દેશના બંધારણમાં નાગરિકનમે સર્વોચ્ય ગણવામાં આવ્યો છે અને દેશના નેતાઓને ચૂંટવાનો મતાધિકાર પણ પ્રજાને જ આપવામાં આવ્યો છે, અને સરકારી અધિકારીઓ પ્રજાના સેવક છે તો તેમણે અંગ્રેજોના સમયે ઉપયોગમાં લેવાતા શબ્દ ‘સાહેબ’ કે ‘સર’થી સંબોધન કરવાની જરૂર નથી. અને સરકાર પાસે પણ આ બાબતે રેકોર્ડ કે જોગવાઈ ઉપલબ્ધ નથી.
આ RTIમાં સરકારને ચાર મુદ્દા વિષયે માહિતી માંગવામાં આવી જેમ કે (૧) ગુજરાત સરકારના વિવિધ વિભાગના IAS/IPS અને સંવર્ગ અધિકારીઓ છે તેમને કેવી રીતે ઉદબોધન કરવામાં આવે એ માટે ક્યા પ્રકારની જોગવાઈ છે (૨) IAS/IPS અને સંવર્ગ અધિકારીઓને પ્રોટોકોલ મુજબ ઉદબોધન માટે કયા પ્રકારની જોગવાઈ દાખલ કરવામાં આવી છે (૩) IAS/IPS અને સંવર્ગ અધિકારીઓને સામાન્ય જનતા શું કહીને સંબોધિત કરવા (૪) સરકારી કચેરીમાં કેવી રીતે મળવું અને ક્યાં સમયે મળી શકાય તેના ઠરાવની કે જોગવાઈ વિશેની માહિતી માંગમાં આવી હતી.
