સરસીયા વિડીમાંથી ચંદનનાં વધુ 3 વૃક્ષો સાથે 30 વૃક્ષોની ચોરી

ધારી ગીર પુર્વ દલખાણીયા રેન્‍જની કરમદડી રાઉન્‍ડ હેઠળ આવેલ સરસીયા વિડીમાંથી પ્રથમ 19,7 અને છેલ્‍લે વધુ 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાંથી માત્ર 3 વૃક્ષ કટીંગ કરનાર આરોપી વનતંત્રના હાથ લાગ્‍યા હતો.

ધારીની સરસીયા વિડીમાંથી ચંદન ચોર ગેંગ અત્‍યાર સુધીમાં 30 ચંદનના આરક્ષિત વૃક્ષો કટીંગ કરી લઈ જવામાં સફળ રહી હતી. જેમાં પ્રથમ 19.7 અને છેલ્‍લે 3 ચંદનના વૃક્ષોનું કટીંગ થયું હતું. જેમાં પર પ્રાંતિય શખ્‍સ કોરશલાલ મનીબેગ પારધી (રે. કુડો, જિ. કટની – મઘ્‍યપ્રદેશ) ની ઘરપકડ કરી હતી. પકડાયેલ શખ્‍સ પર છેલ્‍લે વિડીમાંથી જે 3 વૃક્ષો કટીંગ કર્યા હતા. તેમાં તેની ધરપકડ થઈ હતી.

ધારી નજીકના હરીપરા, સરસીયા તથા સરસીયાના જંગલમાંથી વ્‍યાપક પ્રમાણમાં ચંદનના વૃક્ષોનું કટીંગ થયું હતું. રેવન્‍યું વિસ્‍તારમાં 100ચંદનના વૃક્ષો કપાયા હતા. જે અંગે કોઈ આરોપી ઝડપાયો નથી.

તેમજ સરસીયા વિડીના જંગલ મોરલાગાળી વિસ્‍તારમાંથી તોજતરમા જ 3 વૃક્ષોનું કટીંગ થતા વન વિભાગને એક જ આરોપી ઝડપવામાં સરળતા મળી હતી.

છેલ્‍લા દોઢેક માસથી જંગલ વિસ્‍તારમાં અવિરત ચંદનના આરક્ષિત વૃક્ષોનું કટીંગ ચાલતું હોય અહિથી 30 જેટલા ચંદનના મહામુલ્‍ય વૃક્ષોનું કટીંગ થઈ ગયું હતું. અને 3 વખત ચંદન ચોર ગેંગ જંગલમાં ત્રાટકીને ચંદનનો જથ્‍થો લઈ જવામાં સરળ રહી હતી. અને વનતંત્રના પેટ્રોલીંગના દાવા પોકળ પુરવાર થયા હતા. આ અંગે ધારી પંથકમાં ચાલતી ચર્ચા મુજબ સરસીયા વિડીમાં કયાં કયાં ચંદનના વૃક્ષો છે. તે પર પ્રાંતિય શખ્‍સને કઈ રીતે ખબર પડે ? જેવા અનેક પ્રશ્‍નો ઉઠી રહયા છે.

આ અંગે ધારી વન વિભાગનો સંપર્ક કરવાની કોશીષ કરતા એક પણ અધિકારીનો સંપર્ક થઈ શકયો નહોતો. આ અગાઉ જયારે સરસીયા વિડીમાં ર6 સિંહોના મોતને ભેટયા હતા. ત્‍યારે પણ વન તંત્રે કોઈ વિગતો જાહેર કરી નહોતી અને હવે 30 ચંદનના વૃક્ષો કટીંગમાં પણ આજ રીતે વિગતો છુપાવાઈ રહી છે.