સહિદ યાત્રામાં હાર્દિક સાથે હજારો જોડાયા

પાટીદાર સમાજને અનામત આપો અને અનામતની લડાઈમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી પાટીદાર શહીદ યાત્રામાં આજે મોરબી ખાતે હજારો લોકો જોડાયા હતા.25 ઓગસ્ટથી અનામતની માંગ સાથે આયોજિત આમરણાંત ઉપવાસમાં મોરબીથી હજારો લોકો જોડાશે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.