સાવરકુંડલા તાલુકા પંચાયતમાં પક્ષાંતર થશે ? ભાજપમાં ભાડગંજ

સ્‍થાનિક ધારાસભ્‍ય પ્રતાપ દુધાત સામે ગ્રામ્‍ય કક્ષાના સ્‍થાનિક સ્‍વરાજય તાલુકા પંચાયતના સદસ્‍યોમાં ભારે રોષ છે. તેથી કોંગ્રેસના કેટલાંક લોકો હવે પક્ષાંતર કરીને ભાજપમાં જવા માટે તૈયારી કરી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે સ્‍પષ્‍ટ બહુમતી છે. સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયા બાદ સ્‍થાનિક સ્‍વરાજયની જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોમાં અસંતોષનો છે. તેથી તાલુકા પંચાયત કોંગ્રેસની ભાંગી પડે તેવા સમીકરણો સાકાર થઈ રહયા છે. કોંગ્રેસના 5 સભ્યો પક્ષાંતર કરીને ભાજપમાં જોડાવા માટે ધમકી આપી રહ્યાં છે. અમરેલી જિલ્‍લા પંચાયતમાં હોદો ધરાવતા કોંગ્રેસ સમિતિના ચેરમેનની આગેવાની હેટળ સાવરકુંડલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્‍જામાંથી ભાજપની બનવાની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. અઠવાડિયામાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત ભંગાવાની શકયતાઓ વધી છે.

સાવરકુંડલા તાલુકાની 20 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. પણ તેમની વિચારધારા કોંગ્રેસની છે. તેઓ હવે કોંગ્રેસ છોડીને પક્ષાંતર કરીને ભાજપમાં જવા માટે તખ્તો ગોઠવી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ ભાજપની સાથે ગોઠવણ કરીને પક્ષાંતર કરવાનું વિચારી રહ્યાં છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ગઢમાં કાંગરા ખેરવાનો અઘ્‍યાય આરંભ થઈ ગયો છે. તેવું કોંગ્રેસના જિલ્‍લા પંચાયતના અધ્યક્ષ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભગવો ખેસ પહેરે તેવા સમીકરણો ગોઠવાઈ ગયા છે.

કોંગ્રેસ કરતાં ભાજપમાં જૂથવાદ નધું : વીરજીભાઇ ઠૂંમર

અડવાણી અને મોદીથી શરૂ થતો જૂથવાદ  નીચે સુધી વહે છે. જીતુ વાઘાણી અને દલસાણીયાના અબોલા અમિત શાહ અને આનંદીબેનના રિસામણા, નિતિન પટેને અડધે રસ્તે છોડીને જતાં રહેનાર અને રૂપાણી જેવી અનેક જૂથબંધીની જુગલબંધી ભાજપમાં જોવા મળે છે. અમિતશાહની અવગણનાના જુતા નહીં સહી શકનાર આનંદીબેને ફેસબુક પર નારાજગીનું જૂતું ઉતાર્યું પણ હજુ અડવાણી જાણતા હશે કે મોદીજીના વિશેષ સ્નેહથી આનંદીબેનને ગવર્નર પદ તો મળ્યું મને ગાંધીનગરની ટીકીટમાં પણ મોદી નહીં ગણે. અડવાણી જૂતું ઉતારવાની હિંમત અને વય બંને વટાવી ચૂક્યા છે પણ નિતિનભાઈને ડંખે છે અને ક્યારે ઉતારી ડે એ નક્કી નહીં. જીતુભાઈનું કદ (ઉંચાય) જોઈને પ્રમુખ બનાવવાથી નારાજ ભીખુભાઈ દલસાણીયા હાઇટ વધારવાના ઈન્જેક્સન ભલે ના લે પણ જીતુભાઈનું રાજકીય કદ ઘટાડવા સતત પ્રયત્નશીલ છે. ભાજપને પોતાના પારકા અને પારકાને પોતાના કરવાનું જે વળગણ છે તે પણ આ જૂથબંધીનું કારણ છે. સિઝનલ વેપારીની જેમ ચૂંટણી આવે એટલે નવો માલ એક્સપાયરી ડેટનો ગણી કોંગ્રેસ કે વિપક્ષના સેકન્ડ હેન્ડ માલને રીફર્નીશ કરી બજારમાં મૂકવાની પધ્ધતિ સામેનો રોષ જુતામાં પ્રકટ થાય છે. ઉત્તરપ્રદેશ જેને ઉત્તમ પ્રદેશ બનાવવાના બણગા યોગીજી ફૂંકે છે ત્યાંથી જૂથબંધીની સર્જીકલ સ્ટ્રાઈક ગેરશિસ્તનું ઉત્તમ ઉદાહરણ છે. ભાજપ આ નથી બન્યું એમ પણ કહી શકે તેમ નથી કારણ કે ઉત્તરપ્રદેશ ભાજપ સંગઠન મોદીજીની એર સ્ટ્રાઈકવાળી ભૂલ સુધારી એના પુરાવા રૂપે વિડીયો પણ પ્રસ્તુત કર્યો છે. ભાજપની આબરૂ બચાવવા હવે અમિતશાહે પક્ષની બેઠકોમાં બુટબંધી ફરજિયાત કરવી પડશે. બાકી ક્યારે ક્યાં અને કોનું બુટ મજબૂત બની જૂથની ટાલ રંગી નાખે નક્કી નહીં. તેમ વિરજી ઠુંમરે જણાવ્યું હતું.